કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો, અમદાવાદમાં વધુ 49 કેસો નોંધાયા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-17 20:20:31

રાજ્યમાં કોરોનાના કેસ દિનપ્રતિદિન સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 121 દર્દી નોંધાયા છે. જેને લીધે હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 521 થઈ છે. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 49 કેસ નોંધાયા છે, અને આના કારણે અમદાવાદમાં કુલ કોરોનાના કેસોની સંખ્યા 111 જેટલી થઈ ગઈ છે.

અમદાવાદમાં કોરોનાનાની સાથે H3N2 વાયરસના કેસોમાં પણ ઉછાળો

અમદાવાદમાં કોરોનાની સાથે સાથે નવો એક વાયરસ પણ કહેર મચાવી રહ્યો છે, જેનું નામ છે H3N2 વાયરસ. અમદાવાદમાં માર્ચ મહિનામાં H3N2ના કુલ 4 જેટલા કેસો નોંધાયા છે , જેને કારણે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ટૂંક સમયમાં સંજીવની રથ શરુ કરી શકે છે. આ ઉપરાંત શહેરમાં રેપિડ ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવી છે. 

આજે રાજ્યોના અન્ય જિલ્લાઓમાં નોંધાયા આટલા કેસ 

ગુજરાત રાજ્યમાં અમદાવાદ સિવાય આજે રાજકોટમાં 12, સુરતમાં 12, મહેસાણામાં 11, રાજકોટમાં જિલ્લામાં 07, સાબરકાંઠામાં 06, વડોદરામાં 04, ભાવનગરમાં 03, સુરત જિલ્લામાં 03, વલસાડમાં 03, બનાસકાંઠામાં 02, ભરૂચમાં 02, ગાંધીનગરમાં 02, સુરેન્દ્રનગરમાં 02, દાહોદમાં 01, નવસારીમાં 01 અને પોરબંદરમાં 01 કેસ નોંધાયો છે.



એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.

રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે ત્રણ દિવસો દરમિયાન ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમીનો પારો સતત વધશે. હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.