Ram Mandir Pratistha કાર્યક્રમમાં સામેલ ન થવા મામલે Congressને Sudhanshu trivediએ ઘેરી, કહ્યું કોંગ્રેસ બહિષ્કારની પાર્ટી છે...


  • Published By :
  • Published Date : 2024-01-11 15:23:43

જેમ જેમ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ગરમાઈ રહી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસે ન આવવાનો નિર્ણય કર્યો છે તે બાદ ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવાના નિર્ણય પર ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પાર્ટીની આલોચના કરી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસે નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહનો બહિષ્કાર કર્યો. 2004થી 2009 સુધી કોંગ્રેસે કારગિલ વિજય દિવસનો બહિષ્કાર કર્યો. અટલ બિહારી વાજપૈયીની સરકારના નેતૃત્વમાં મે 1998માં કરવામાં આવેલા પરમાણુ પરિષણ બાદ પણ કોંગ્રેસે 10 દિવસ સુધી કોઈ નિવદેન આપ્યું ન હતું, જનતા પણ તેમને સત્તાથી બહિષ્કાર કરી રહી છે....

કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કરતા ગરમાઈ રાજનીતિ! 

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત થવાની છે. અનેક ભક્તો આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. અનેક દાયકાઓ બાદ આ ક્ષણ આવી રહી છે જ્યારે ભગવાન રામની મૂર્તિની સ્થાપના થવાની છે. રામ મંદિર આમંત્રણને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. અનેક રાજનેતાઓને, ફિલ્મ સ્ટાર્સને, સાધુ સંતો સહિત અનેક દિગ્ગજ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. તે બાદ રાજનીતિ ગરમાઈ ગઈ. ભાજપના સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહનો બહિષ્કાર કર્યો

સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કોંગ્રેસ મહાત્મા ગાંધીની નહીં પરંતુ... 

વધુમાં તેમણે કહ્યું કે આ નહેરૂની કોંગ્રેસ છે, ગાંધીની કોંગ્રેસ નથી. મહાત્મા ગાંધી રઘુપતિ રાઘવ રાજા રામ ગાતા હતા અને આજની કોંગ્રેસ છે કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ નથી થઈ રહ્યા. આ પરથી ખબર પડે છે કે કોંગ્રેસ હિંદુ ધર્મ અને હિંદુત્વના વિરૂદ્ધ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે આ વખતે મોકો હતો કે તે પોતાને બદલી શકે. પરંતુ તેમણે આ વખતે પણ તે ન કર્યું. આજે રામરાજ્યની પ્રાણ પ્રતિષ્ઠાના શ્રી ગણેશ થઈ રહ્યા છે પરંતુ કોંગ્રેસ તેના પક્ષમાં નથી. આથી ખબર પડે છે કે ગાંધીજીની કોંગ્રેસ અને નહેરૂની કોંગ્રેસમાં બહુ અંતર છે. કોંગ્રેસની અંદર હિંદુ ધર્મ પ્રતિ જે વિરોધ છે તે બહાર આવે છે.     

રવિશંકરે પણ આ મામલે આપી પ્રતિક્રિયા 

સુધાંશુ ત્રિવેદી ઉપરાંત બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આ બહુ દુર્ભાગ્ય, પીડાદાયક અને શરમજનક છે. તેમણે સદૈવ રામ જન્મ ભૂમિનો વિરોધ કર્યો. કોંગ્રેસ પાર્ટીએ દેશ પર રાજ કર્યું હતું તો પણ આજે તે સમેટાઈ ગઈ છે. આગામી ચૂંટણીમાં તેમના સૂપડા સાફ થઈ જશે. શું આ કોઈ સંઘનો કાર્યક્રમ છે? આ રાષ્ટ્રનો કાર્યક્રમ છે, પૂરી દુનિયા આની પ્રતિક્ષા કરી રહી છે...



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.