Ram Mandir Pratistha કાર્યક્રમમાં સામેલ ન થવા મામલે Congressને Sudhanshu trivediએ ઘેરી, કહ્યું કોંગ્રેસ બહિષ્કારની પાર્ટી છે...


  • Published By :
  • Published Date : 2024-01-11 15:23:43

જેમ જેમ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ગરમાઈ રહી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસે ન આવવાનો નિર્ણય કર્યો છે તે બાદ ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવાના નિર્ણય પર ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પાર્ટીની આલોચના કરી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસે નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહનો બહિષ્કાર કર્યો. 2004થી 2009 સુધી કોંગ્રેસે કારગિલ વિજય દિવસનો બહિષ્કાર કર્યો. અટલ બિહારી વાજપૈયીની સરકારના નેતૃત્વમાં મે 1998માં કરવામાં આવેલા પરમાણુ પરિષણ બાદ પણ કોંગ્રેસે 10 દિવસ સુધી કોઈ નિવદેન આપ્યું ન હતું, જનતા પણ તેમને સત્તાથી બહિષ્કાર કરી રહી છે....

કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કરતા ગરમાઈ રાજનીતિ! 

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત થવાની છે. અનેક ભક્તો આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. અનેક દાયકાઓ બાદ આ ક્ષણ આવી રહી છે જ્યારે ભગવાન રામની મૂર્તિની સ્થાપના થવાની છે. રામ મંદિર આમંત્રણને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. અનેક રાજનેતાઓને, ફિલ્મ સ્ટાર્સને, સાધુ સંતો સહિત અનેક દિગ્ગજ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. તે બાદ રાજનીતિ ગરમાઈ ગઈ. ભાજપના સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહનો બહિષ્કાર કર્યો

સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કોંગ્રેસ મહાત્મા ગાંધીની નહીં પરંતુ... 

વધુમાં તેમણે કહ્યું કે આ નહેરૂની કોંગ્રેસ છે, ગાંધીની કોંગ્રેસ નથી. મહાત્મા ગાંધી રઘુપતિ રાઘવ રાજા રામ ગાતા હતા અને આજની કોંગ્રેસ છે કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ નથી થઈ રહ્યા. આ પરથી ખબર પડે છે કે કોંગ્રેસ હિંદુ ધર્મ અને હિંદુત્વના વિરૂદ્ધ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે આ વખતે મોકો હતો કે તે પોતાને બદલી શકે. પરંતુ તેમણે આ વખતે પણ તે ન કર્યું. આજે રામરાજ્યની પ્રાણ પ્રતિષ્ઠાના શ્રી ગણેશ થઈ રહ્યા છે પરંતુ કોંગ્રેસ તેના પક્ષમાં નથી. આથી ખબર પડે છે કે ગાંધીજીની કોંગ્રેસ અને નહેરૂની કોંગ્રેસમાં બહુ અંતર છે. કોંગ્રેસની અંદર હિંદુ ધર્મ પ્રતિ જે વિરોધ છે તે બહાર આવે છે.     

રવિશંકરે પણ આ મામલે આપી પ્રતિક્રિયા 

સુધાંશુ ત્રિવેદી ઉપરાંત બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આ બહુ દુર્ભાગ્ય, પીડાદાયક અને શરમજનક છે. તેમણે સદૈવ રામ જન્મ ભૂમિનો વિરોધ કર્યો. કોંગ્રેસ પાર્ટીએ દેશ પર રાજ કર્યું હતું તો પણ આજે તે સમેટાઈ ગઈ છે. આગામી ચૂંટણીમાં તેમના સૂપડા સાફ થઈ જશે. શું આ કોઈ સંઘનો કાર્યક્રમ છે? આ રાષ્ટ્રનો કાર્યક્રમ છે, પૂરી દુનિયા આની પ્રતિક્ષા કરી રહી છે...



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે