Ram Mandir Pratistha કાર્યક્રમમાં સામેલ ન થવા મામલે Congressને Sudhanshu trivediએ ઘેરી, કહ્યું કોંગ્રેસ બહિષ્કારની પાર્ટી છે...


  • Published By :
  • Published Date : 2024-01-11 15:23:43

જેમ જેમ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ગરમાઈ રહી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસે ન આવવાનો નિર્ણય કર્યો છે તે બાદ ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવાના નિર્ણય પર ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પાર્ટીની આલોચના કરી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસે નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહનો બહિષ્કાર કર્યો. 2004થી 2009 સુધી કોંગ્રેસે કારગિલ વિજય દિવસનો બહિષ્કાર કર્યો. અટલ બિહારી વાજપૈયીની સરકારના નેતૃત્વમાં મે 1998માં કરવામાં આવેલા પરમાણુ પરિષણ બાદ પણ કોંગ્રેસે 10 દિવસ સુધી કોઈ નિવદેન આપ્યું ન હતું, જનતા પણ તેમને સત્તાથી બહિષ્કાર કરી રહી છે....

કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કરતા ગરમાઈ રાજનીતિ! 

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત થવાની છે. અનેક ભક્તો આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. અનેક દાયકાઓ બાદ આ ક્ષણ આવી રહી છે જ્યારે ભગવાન રામની મૂર્તિની સ્થાપના થવાની છે. રામ મંદિર આમંત્રણને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. અનેક રાજનેતાઓને, ફિલ્મ સ્ટાર્સને, સાધુ સંતો સહિત અનેક દિગ્ગજ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. તે બાદ રાજનીતિ ગરમાઈ ગઈ. ભાજપના સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહનો બહિષ્કાર કર્યો

સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કોંગ્રેસ મહાત્મા ગાંધીની નહીં પરંતુ... 

વધુમાં તેમણે કહ્યું કે આ નહેરૂની કોંગ્રેસ છે, ગાંધીની કોંગ્રેસ નથી. મહાત્મા ગાંધી રઘુપતિ રાઘવ રાજા રામ ગાતા હતા અને આજની કોંગ્રેસ છે કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ નથી થઈ રહ્યા. આ પરથી ખબર પડે છે કે કોંગ્રેસ હિંદુ ધર્મ અને હિંદુત્વના વિરૂદ્ધ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે આ વખતે મોકો હતો કે તે પોતાને બદલી શકે. પરંતુ તેમણે આ વખતે પણ તે ન કર્યું. આજે રામરાજ્યની પ્રાણ પ્રતિષ્ઠાના શ્રી ગણેશ થઈ રહ્યા છે પરંતુ કોંગ્રેસ તેના પક્ષમાં નથી. આથી ખબર પડે છે કે ગાંધીજીની કોંગ્રેસ અને નહેરૂની કોંગ્રેસમાં બહુ અંતર છે. કોંગ્રેસની અંદર હિંદુ ધર્મ પ્રતિ જે વિરોધ છે તે બહાર આવે છે.     

રવિશંકરે પણ આ મામલે આપી પ્રતિક્રિયા 

સુધાંશુ ત્રિવેદી ઉપરાંત બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આ બહુ દુર્ભાગ્ય, પીડાદાયક અને શરમજનક છે. તેમણે સદૈવ રામ જન્મ ભૂમિનો વિરોધ કર્યો. કોંગ્રેસ પાર્ટીએ દેશ પર રાજ કર્યું હતું તો પણ આજે તે સમેટાઈ ગઈ છે. આગામી ચૂંટણીમાં તેમના સૂપડા સાફ થઈ જશે. શું આ કોઈ સંઘનો કાર્યક્રમ છે? આ રાષ્ટ્રનો કાર્યક્રમ છે, પૂરી દુનિયા આની પ્રતિક્ષા કરી રહી છે...



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.