Ram Mandir Pratistha કાર્યક્રમમાં સામેલ ન થવા મામલે Congressને Sudhanshu trivediએ ઘેરી, કહ્યું કોંગ્રેસ બહિષ્કારની પાર્ટી છે...


  • Published By :
  • Published Date : 2024-01-11 15:23:43

જેમ જેમ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ગરમાઈ રહી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસે ન આવવાનો નિર્ણય કર્યો છે તે બાદ ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવાના નિર્ણય પર ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પાર્ટીની આલોચના કરી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસે નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહનો બહિષ્કાર કર્યો. 2004થી 2009 સુધી કોંગ્રેસે કારગિલ વિજય દિવસનો બહિષ્કાર કર્યો. અટલ બિહારી વાજપૈયીની સરકારના નેતૃત્વમાં મે 1998માં કરવામાં આવેલા પરમાણુ પરિષણ બાદ પણ કોંગ્રેસે 10 દિવસ સુધી કોઈ નિવદેન આપ્યું ન હતું, જનતા પણ તેમને સત્તાથી બહિષ્કાર કરી રહી છે....

કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કરતા ગરમાઈ રાજનીતિ! 

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત થવાની છે. અનેક ભક્તો આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. અનેક દાયકાઓ બાદ આ ક્ષણ આવી રહી છે જ્યારે ભગવાન રામની મૂર્તિની સ્થાપના થવાની છે. રામ મંદિર આમંત્રણને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. અનેક રાજનેતાઓને, ફિલ્મ સ્ટાર્સને, સાધુ સંતો સહિત અનેક દિગ્ગજ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. તે બાદ રાજનીતિ ગરમાઈ ગઈ. ભાજપના સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહનો બહિષ્કાર કર્યો

સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કોંગ્રેસ મહાત્મા ગાંધીની નહીં પરંતુ... 

વધુમાં તેમણે કહ્યું કે આ નહેરૂની કોંગ્રેસ છે, ગાંધીની કોંગ્રેસ નથી. મહાત્મા ગાંધી રઘુપતિ રાઘવ રાજા રામ ગાતા હતા અને આજની કોંગ્રેસ છે કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ નથી થઈ રહ્યા. આ પરથી ખબર પડે છે કે કોંગ્રેસ હિંદુ ધર્મ અને હિંદુત્વના વિરૂદ્ધ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે આ વખતે મોકો હતો કે તે પોતાને બદલી શકે. પરંતુ તેમણે આ વખતે પણ તે ન કર્યું. આજે રામરાજ્યની પ્રાણ પ્રતિષ્ઠાના શ્રી ગણેશ થઈ રહ્યા છે પરંતુ કોંગ્રેસ તેના પક્ષમાં નથી. આથી ખબર પડે છે કે ગાંધીજીની કોંગ્રેસ અને નહેરૂની કોંગ્રેસમાં બહુ અંતર છે. કોંગ્રેસની અંદર હિંદુ ધર્મ પ્રતિ જે વિરોધ છે તે બહાર આવે છે.     

રવિશંકરે પણ આ મામલે આપી પ્રતિક્રિયા 

સુધાંશુ ત્રિવેદી ઉપરાંત બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આ બહુ દુર્ભાગ્ય, પીડાદાયક અને શરમજનક છે. તેમણે સદૈવ રામ જન્મ ભૂમિનો વિરોધ કર્યો. કોંગ્રેસ પાર્ટીએ દેશ પર રાજ કર્યું હતું તો પણ આજે તે સમેટાઈ ગઈ છે. આગામી ચૂંટણીમાં તેમના સૂપડા સાફ થઈ જશે. શું આ કોઈ સંઘનો કાર્યક્રમ છે? આ રાષ્ટ્રનો કાર્યક્રમ છે, પૂરી દુનિયા આની પ્રતિક્ષા કરી રહી છે...



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.