બનાસકાંઠાના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતાં પિતાનો આપઘાતનો પ્રયાસ, 5 શખ્સો સામે ફરિયાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 14:39:02

રાજ્યમાં ડીસા તાલુકાના માલગઢમાં ધર્મ પરિવર્તન કરી ચુકેલી પત્ની,પુત્રી અને પુત્રની હેરાનગતિથી ત્રાસેલા પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા હડકંપ મચ્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરનારા હરેશભાઇ સોલંકીના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવતા પોલીસે 5 લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વિગત એવી છે કે રાજપુર ગવાડી ગામના એક વિધર્મી યુવકે હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. રસાણા કોલેજમાં અભ્યાસ કરતી માલગઢની યુવતી નેહા સોલંકી સાથે એજાજ શેખે પ્રેમ લગ્ન કર્યા હતા, બાદમાં યુવતીની માતા અને ભાઇને ધર્મ પરિવર્તન કર્યું હતું. એજાજ શેખે યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાવી ત્રણેને અલગ રહેવા માટે 25 લાખની માંગણી કરતા યુવતીના પિતાએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


5 લોકો સામે ફરિયાદ 


પરિવારમાં ધર્મ પરિવર્તન  થતા પિતા હરેશભાઇ સોલંકીને ખુબ જ આઘાત લાગ્યો હતો. તેમાં પણ પુત્રએ તેમની સામે હાઈકોર્ટમાં અરજી કરી 25 લાખની માંગણી કરતા કંટાળેલા પિતાએ પાલનપુરમાં ઝેરી પ્રવાહી પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે એજાજ મુસ્તુફાભાઈ શેખ, મુસ્તુફા પાપાભાઇ શેખ, આલમ પાપાભાઇ શેખ, સત્તાર અબ્દુલભાઈ હાજી અને સોહીલ સત્તારભાઈ શેખ સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપીઓ વિરૂધ્ધ પોલીસે આત્મહત્યા માટે મજબુર કરવા, બળજબરી પૂર્વક નાણા પડાવવા, મદદગારી સહિતની કલમો 306,511, 384,506.1 અને 114 મુજબ ગુનો નોંધ્યો હતો. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .