બનાસકાંઠાના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતાં પિતાનો આપઘાતનો પ્રયાસ, 5 શખ્સો સામે ફરિયાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 14:39:02

રાજ્યમાં ડીસા તાલુકાના માલગઢમાં ધર્મ પરિવર્તન કરી ચુકેલી પત્ની,પુત્રી અને પુત્રની હેરાનગતિથી ત્રાસેલા પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા હડકંપ મચ્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરનારા હરેશભાઇ સોલંકીના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવતા પોલીસે 5 લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વિગત એવી છે કે રાજપુર ગવાડી ગામના એક વિધર્મી યુવકે હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. રસાણા કોલેજમાં અભ્યાસ કરતી માલગઢની યુવતી નેહા સોલંકી સાથે એજાજ શેખે પ્રેમ લગ્ન કર્યા હતા, બાદમાં યુવતીની માતા અને ભાઇને ધર્મ પરિવર્તન કર્યું હતું. એજાજ શેખે યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાવી ત્રણેને અલગ રહેવા માટે 25 લાખની માંગણી કરતા યુવતીના પિતાએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


5 લોકો સામે ફરિયાદ 


પરિવારમાં ધર્મ પરિવર્તન  થતા પિતા હરેશભાઇ સોલંકીને ખુબ જ આઘાત લાગ્યો હતો. તેમાં પણ પુત્રએ તેમની સામે હાઈકોર્ટમાં અરજી કરી 25 લાખની માંગણી કરતા કંટાળેલા પિતાએ પાલનપુરમાં ઝેરી પ્રવાહી પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે એજાજ મુસ્તુફાભાઈ શેખ, મુસ્તુફા પાપાભાઇ શેખ, આલમ પાપાભાઇ શેખ, સત્તાર અબ્દુલભાઈ હાજી અને સોહીલ સત્તારભાઈ શેખ સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપીઓ વિરૂધ્ધ પોલીસે આત્મહત્યા માટે મજબુર કરવા, બળજબરી પૂર્વક નાણા પડાવવા, મદદગારી સહિતની કલમો 306,511, 384,506.1 અને 114 મુજબ ગુનો નોંધ્યો હતો. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.