પાકિસ્તાનમાં ભીષણ આત્મઘાતિ હુમલો, 9 પોલીસકર્મીઓના મોત, 13થી વધુ ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-03-06 14:32:06

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સોમવારે ભયાનક આત્મઘાતિ બોમ્બ વિષ્ફોટ થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 9 લોકોના મોત અને 13થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો બોલન જિલ્લામાં થયો છે, પોલીસ કમિશનરે પણ 9 પોલીસકર્મીઓના મોતની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે આ વિષ્ફોટ કાબ્રી પુલ પર થયો છે. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો કે આ આત્મઘાતિ હુમલો હતો, જો કે હજું સુધી આ વિષ્ફોટની  કોઈ પણ આતંકી સંગઠનો જવાબદારી લીધી નથી.


કઈ રીતે થયો હુમલો?


આત્મઘાતિ હુમલા અંગે જાણકારી આપતા પાકિસ્તાન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવારે બલૂચિસ્તાનમાં (6 માર્ચ) દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરે પોલીસ ટ્રક સાથે મોટરસાઇકલ અથડાવી હતી, જેમાં નવ પોલીસકર્મીઓના મોત થયા હતા.પોલીસકર્મીઓ સીબી મેળામાંથી પરત ફરી રહ્યા હતા, તે જ સમયે રસ્તામાં આત્મઘાતિ હુમલાખોરે ભીષણ હુમલો કરીને પોતાને ઉડાવી દીધો હતો. SSPના જણાવ્યા પ્રમાણે ઘાટલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


બલોચ બળવાખોરો પર શંકા


હુમલા પાછળ બલોચ વિદ્રોહીઓનો હાથ હોવાની આશંકા છે, બલોચ વિદ્રોહીઓ અવારનવાર બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવે છે. તેઓ ચીનના CPEC પ્રોજેક્ટનો સખત વિરોધ કરી રહ્યા છે. 









ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .