પાકિસ્તાનમાં ભીષણ આત્મઘાતિ હુમલો, 9 પોલીસકર્મીઓના મોત, 13થી વધુ ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-03-06 14:32:06

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સોમવારે ભયાનક આત્મઘાતિ બોમ્બ વિષ્ફોટ થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 9 લોકોના મોત અને 13થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો બોલન જિલ્લામાં થયો છે, પોલીસ કમિશનરે પણ 9 પોલીસકર્મીઓના મોતની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે આ વિષ્ફોટ કાબ્રી પુલ પર થયો છે. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો કે આ આત્મઘાતિ હુમલો હતો, જો કે હજું સુધી આ વિષ્ફોટની  કોઈ પણ આતંકી સંગઠનો જવાબદારી લીધી નથી.


કઈ રીતે થયો હુમલો?


આત્મઘાતિ હુમલા અંગે જાણકારી આપતા પાકિસ્તાન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવારે બલૂચિસ્તાનમાં (6 માર્ચ) દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરે પોલીસ ટ્રક સાથે મોટરસાઇકલ અથડાવી હતી, જેમાં નવ પોલીસકર્મીઓના મોત થયા હતા.પોલીસકર્મીઓ સીબી મેળામાંથી પરત ફરી રહ્યા હતા, તે જ સમયે રસ્તામાં આત્મઘાતિ હુમલાખોરે ભીષણ હુમલો કરીને પોતાને ઉડાવી દીધો હતો. SSPના જણાવ્યા પ્રમાણે ઘાટલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


બલોચ બળવાખોરો પર શંકા


હુમલા પાછળ બલોચ વિદ્રોહીઓનો હાથ હોવાની આશંકા છે, બલોચ વિદ્રોહીઓ અવારનવાર બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવે છે. તેઓ ચીનના CPEC પ્રોજેક્ટનો સખત વિરોધ કરી રહ્યા છે. 









ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.