પાકિસ્તાનમાં ભીષણ આત્મઘાતિ હુમલો, 9 પોલીસકર્મીઓના મોત, 13થી વધુ ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-03-06 14:32:06

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સોમવારે ભયાનક આત્મઘાતિ બોમ્બ વિષ્ફોટ થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 9 લોકોના મોત અને 13થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો બોલન જિલ્લામાં થયો છે, પોલીસ કમિશનરે પણ 9 પોલીસકર્મીઓના મોતની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે આ વિષ્ફોટ કાબ્રી પુલ પર થયો છે. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો કે આ આત્મઘાતિ હુમલો હતો, જો કે હજું સુધી આ વિષ્ફોટની  કોઈ પણ આતંકી સંગઠનો જવાબદારી લીધી નથી.


કઈ રીતે થયો હુમલો?


આત્મઘાતિ હુમલા અંગે જાણકારી આપતા પાકિસ્તાન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવારે બલૂચિસ્તાનમાં (6 માર્ચ) દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરે પોલીસ ટ્રક સાથે મોટરસાઇકલ અથડાવી હતી, જેમાં નવ પોલીસકર્મીઓના મોત થયા હતા.પોલીસકર્મીઓ સીબી મેળામાંથી પરત ફરી રહ્યા હતા, તે જ સમયે રસ્તામાં આત્મઘાતિ હુમલાખોરે ભીષણ હુમલો કરીને પોતાને ઉડાવી દીધો હતો. SSPના જણાવ્યા પ્રમાણે ઘાટલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


બલોચ બળવાખોરો પર શંકા


હુમલા પાછળ બલોચ વિદ્રોહીઓનો હાથ હોવાની આશંકા છે, બલોચ વિદ્રોહીઓ અવારનવાર બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવે છે. તેઓ ચીનના CPEC પ્રોજેક્ટનો સખત વિરોધ કરી રહ્યા છે. 









રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .