Sukhdev Singh Gogamediના નશ્વરદેહને રાજપૂત સભા ભવન ખાતે લવાયો, અંતિમ દર્શન માટે ઉમટી લોકોની ભીડ


  • Published By :
  • Published Date : 2023-12-07 13:26:10

કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા જયપુરમાં સ્થિત તેમના જ ઘરમાં કરવામાં આવી. હત્યાના સમાચાર મળતા જ રાજપૂત સમાજના લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. રાજસ્થાન બંધનું એલાન કરવામાં આવ્યું. ગઈકાલે રાજસ્થાનમાં હત્યાને લઈ ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રસ્તા પર બેસી સમાજના લોકોએ રોષ વ્યક્ત કર્યો. અંતિમ સંસ્કાર માટે સુખદેવ સિંહના શરીરને તેમના વતન લઈ જવાશે. રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ ગોગામેડીના મૃતદેહને જયપુરમાં રાજપૂત સભા ભવનમાં રખાયો. તેમના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. પૈતૃક વતનમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ભવાની નિકેતન સ્કૂલ અને કોલેજમાં લોકોના અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો છે. 

અશોક ગેહલોતનો ઉલ્લેખ શીલા શેખાવત દ્વારા કરવામાં આવ્યો! 

સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાન તેમજ દેશના અનેક રાજ્યોમાં તેમના સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનમાં બંધનું એલાન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં લોકોએ વિરોધમાં ભાગ લીધો. તેમની હત્યાને કારણે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અને તેમની પત્નીનો પણ હુંકાર જોવા મળ્યો છે. આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. વિરોધ પ્રદર્શનને સંબોધિત કરતી વખતે ગોગામેડીની પત્ની શીલા શેખાવતે હુંકાર ભરી હતી. આ કેસમાં દાખલ કરાયેલી FIRમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ ડીજીપીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંને પર સુરક્ષા પુરી પાડવામાં બેદરકારી દાખવી હોવાનો આરોપ છે. 


એફઆઈઆરમાં શું કરાયો છે ઉલ્લેખ? 

જે FIR દાખલ કરવામાં આવી છે તેમાં એવો દાવો કરાયો છે કે, ગોગામેડીને સુરક્ષા આપવામાં આવે તે માટે 3 વખત 24 ફેબ્રુઆરી, 1 માર્ચ અને 25 માર્ચે રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને DGPને પત્ર લખ્યો હતો. પરંતુ તેમણે જાણીજોઈને સુરક્ષા પુરી ન પાડી. આ એફઆઈઆર તેમના પત્ની શીલા શેખાવત દ્વારા કરવામાં આવી છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે