Sukhdev Singh Gogamediના નશ્વરદેહને રાજપૂત સભા ભવન ખાતે લવાયો, અંતિમ દર્શન માટે ઉમટી લોકોની ભીડ


  • Published By :
  • Published Date : 2023-12-07 13:26:10

કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા જયપુરમાં સ્થિત તેમના જ ઘરમાં કરવામાં આવી. હત્યાના સમાચાર મળતા જ રાજપૂત સમાજના લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. રાજસ્થાન બંધનું એલાન કરવામાં આવ્યું. ગઈકાલે રાજસ્થાનમાં હત્યાને લઈ ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રસ્તા પર બેસી સમાજના લોકોએ રોષ વ્યક્ત કર્યો. અંતિમ સંસ્કાર માટે સુખદેવ સિંહના શરીરને તેમના વતન લઈ જવાશે. રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ ગોગામેડીના મૃતદેહને જયપુરમાં રાજપૂત સભા ભવનમાં રખાયો. તેમના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. પૈતૃક વતનમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ભવાની નિકેતન સ્કૂલ અને કોલેજમાં લોકોના અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો છે. 

અશોક ગેહલોતનો ઉલ્લેખ શીલા શેખાવત દ્વારા કરવામાં આવ્યો! 

સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાન તેમજ દેશના અનેક રાજ્યોમાં તેમના સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનમાં બંધનું એલાન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં લોકોએ વિરોધમાં ભાગ લીધો. તેમની હત્યાને કારણે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અને તેમની પત્નીનો પણ હુંકાર જોવા મળ્યો છે. આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. વિરોધ પ્રદર્શનને સંબોધિત કરતી વખતે ગોગામેડીની પત્ની શીલા શેખાવતે હુંકાર ભરી હતી. આ કેસમાં દાખલ કરાયેલી FIRમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ ડીજીપીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંને પર સુરક્ષા પુરી પાડવામાં બેદરકારી દાખવી હોવાનો આરોપ છે. 


એફઆઈઆરમાં શું કરાયો છે ઉલ્લેખ? 

જે FIR દાખલ કરવામાં આવી છે તેમાં એવો દાવો કરાયો છે કે, ગોગામેડીને સુરક્ષા આપવામાં આવે તે માટે 3 વખત 24 ફેબ્રુઆરી, 1 માર્ચ અને 25 માર્ચે રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને DGPને પત્ર લખ્યો હતો. પરંતુ તેમણે જાણીજોઈને સુરક્ષા પુરી ન પાડી. આ એફઆઈઆર તેમના પત્ની શીલા શેખાવત દ્વારા કરવામાં આવી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.