વિપક્ષી નેતા સુખરામ રાઠવાને લઈ ગરમાયું અટકળોનું બજાર, ગમે ત્યારે ધારણ કરી શકે છે કેસરિયો


  • Published By :
  • Published Date : 2022-11-13 09:39:05

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ એકબાદ એક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. કોંગ્રેસનો સાથ છોડી અનેક નેતાઓ ભાજપ અથવા આપમાં જઈ રહ્યા છે તો ભાજપમાંથી પણ અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. આવી સ્થિતિ આમ આદમી પાર્ટીમાં પણ જોવા મળી રહી છે. ત્યારે ચૂંટણી સમયે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. કારણ કે સુખરામ રાઠવાના જમાઈ રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપે ટિકિટ આપી છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે સુખરામ રાઠવા પણ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. 

Most of Gujarat Cong sitting MLAs to play in 'last and final over': Sukhram  Rathva – Navjeevan Express

કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો 

ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપે, કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. અનેક નેતાઓને ટિકિટ ન મળતા તેઓ પાર્ટીથી નારાજ થઈ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓએ ચૂંટણી સમયે જ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. ત્યારે ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ફટકો પડી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવા ગમે તે ક્ષણે ભાજપમાં જોડાઈ શકે છે. 

Rajendrasinh Rathva Archives - ગુજરાત તક

જમાઈને સમર્થન આપવા જોડાઈ શકે છે ભાજપમાં 

કોંગ્રેસે ગઈ કાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, આ સમય દરમિયાન અનેક નેતાઓ હાજર હતા પરંતુ વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાની ગેરહાજરી દેખાતી હતી. આવા સમયે તેમની ગેરહાજરીથી અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે અને અટકળોના બજારોમાં એવી વાતો વહેતી થઈ રહી છે કે સુખરામ રાઠવા પણ કેસરિયો ધારણ કરવાના છે. કારણ કે તેમના જમાઈ અને છોટા ઉદેપુરના દિગ્ગજ નેતાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપે ટિકિટ આપી છે. રાજેન્દ્ર રાઠવાએ પણ થોડા સમય પહેલા જ કેસરિયો ધારણ કર્યો હતો આને કારણે એવી વાત વહેતી થઈ રહી છે કે જમાઈને સાથ આપવા તે પણ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે તે સાચે ભાજપમાં જોડાવાના છે કે આ વાતો માત્ર અફવા છે તે આવનાર સમયમાં ખબર પડશે.        



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.