વિપક્ષી નેતા સુખરામ રાઠવાને લઈ ગરમાયું અટકળોનું બજાર, ગમે ત્યારે ધારણ કરી શકે છે કેસરિયો


  • Published By :
  • Published Date : 2022-11-13 09:39:05

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ એકબાદ એક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. કોંગ્રેસનો સાથ છોડી અનેક નેતાઓ ભાજપ અથવા આપમાં જઈ રહ્યા છે તો ભાજપમાંથી પણ અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. આવી સ્થિતિ આમ આદમી પાર્ટીમાં પણ જોવા મળી રહી છે. ત્યારે ચૂંટણી સમયે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. કારણ કે સુખરામ રાઠવાના જમાઈ રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપે ટિકિટ આપી છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે સુખરામ રાઠવા પણ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. 

Most of Gujarat Cong sitting MLAs to play in 'last and final over': Sukhram  Rathva – Navjeevan Express

કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો 

ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપે, કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. અનેક નેતાઓને ટિકિટ ન મળતા તેઓ પાર્ટીથી નારાજ થઈ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓએ ચૂંટણી સમયે જ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. ત્યારે ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ફટકો પડી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવા ગમે તે ક્ષણે ભાજપમાં જોડાઈ શકે છે. 

Rajendrasinh Rathva Archives - ગુજરાત તક

જમાઈને સમર્થન આપવા જોડાઈ શકે છે ભાજપમાં 

કોંગ્રેસે ગઈ કાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, આ સમય દરમિયાન અનેક નેતાઓ હાજર હતા પરંતુ વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાની ગેરહાજરી દેખાતી હતી. આવા સમયે તેમની ગેરહાજરીથી અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે અને અટકળોના બજારોમાં એવી વાતો વહેતી થઈ રહી છે કે સુખરામ રાઠવા પણ કેસરિયો ધારણ કરવાના છે. કારણ કે તેમના જમાઈ અને છોટા ઉદેપુરના દિગ્ગજ નેતાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપે ટિકિટ આપી છે. રાજેન્દ્ર રાઠવાએ પણ થોડા સમય પહેલા જ કેસરિયો ધારણ કર્યો હતો આને કારણે એવી વાત વહેતી થઈ રહી છે કે જમાઈને સાથ આપવા તે પણ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે તે સાચે ભાજપમાં જોડાવાના છે કે આ વાતો માત્ર અફવા છે તે આવનાર સમયમાં ખબર પડશે.        



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.