વિપક્ષી નેતા સુખરામ રાઠવાને લઈ ગરમાયું અટકળોનું બજાર, ગમે ત્યારે ધારણ કરી શકે છે કેસરિયો


  • Published By :
  • Published Date : 2022-11-13 09:39:05

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ એકબાદ એક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. કોંગ્રેસનો સાથ છોડી અનેક નેતાઓ ભાજપ અથવા આપમાં જઈ રહ્યા છે તો ભાજપમાંથી પણ અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. આવી સ્થિતિ આમ આદમી પાર્ટીમાં પણ જોવા મળી રહી છે. ત્યારે ચૂંટણી સમયે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. કારણ કે સુખરામ રાઠવાના જમાઈ રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપે ટિકિટ આપી છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે સુખરામ રાઠવા પણ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. 

Most of Gujarat Cong sitting MLAs to play in 'last and final over': Sukhram  Rathva – Navjeevan Express

કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો 

ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપે, કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. અનેક નેતાઓને ટિકિટ ન મળતા તેઓ પાર્ટીથી નારાજ થઈ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓએ ચૂંટણી સમયે જ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. ત્યારે ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ફટકો પડી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવા ગમે તે ક્ષણે ભાજપમાં જોડાઈ શકે છે. 

Rajendrasinh Rathva Archives - ગુજરાત તક

જમાઈને સમર્થન આપવા જોડાઈ શકે છે ભાજપમાં 

કોંગ્રેસે ગઈ કાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, આ સમય દરમિયાન અનેક નેતાઓ હાજર હતા પરંતુ વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાની ગેરહાજરી દેખાતી હતી. આવા સમયે તેમની ગેરહાજરીથી અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે અને અટકળોના બજારોમાં એવી વાતો વહેતી થઈ રહી છે કે સુખરામ રાઠવા પણ કેસરિયો ધારણ કરવાના છે. કારણ કે તેમના જમાઈ અને છોટા ઉદેપુરના દિગ્ગજ નેતાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપે ટિકિટ આપી છે. રાજેન્દ્ર રાઠવાએ પણ થોડા સમય પહેલા જ કેસરિયો ધારણ કર્યો હતો આને કારણે એવી વાત વહેતી થઈ રહી છે કે જમાઈને સાથ આપવા તે પણ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે તે સાચે ભાજપમાં જોડાવાના છે કે આ વાતો માત્ર અફવા છે તે આવનાર સમયમાં ખબર પડશે.        



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.