સુરતમાં ભરઉનાળે અષાઢી માહોલ, લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી


  • Published By :
  • Published Date : 2023-04-18 18:56:38

રાજ્યના હવામાનમાં ફરી એક વખત પલટો જોવા મળ્યો છે, હવામાન વિભાગે પણ આ અંગે આગાહી મુજબ સુરત શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. શહેરના તમામ વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર  કમોસમી વરસાદ વરસ્યો છે. શહેરમાં બપોર બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતા લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે.


લોકો આશ્ચર્યમાં મુકાયા


સુરતના હવામાનમાં બપોર બાદ અચાનક જ ફેરફાર થતાં લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. જો કે કેટલાક લોકો માર્ગો પર રીતસર અટવાઈ ગયા હતા. સુસવાટા મારતા પવન સાથે માવઠું થતાં શહેરના માર્ગો ભીના થયા હતા. ક્યાંક ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સમગ્ર શહેરમાં ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં ભર બપોરે 12 વાગ્યા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ કેટલાક ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું.


કાળઝાળ ગરમીથી રાહત


સુરતમાં માવઠું થતાં ઉનાળાના આકરા તાપ અને ઉકળાટથી લોકોએ રાહત અનુભવી હતી. બપોર બાદથી સમગ્ર શહેરમાં વરસાદી ઝાપટું પડી રહ્યું છે. દરમિયાન બપોર બાદ અચાનક જ શહેરના તમામ વિસ્તારોમાં ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે વરસાદ વરસતા અનેરી ઠંડક પ્રસરી હતી. શહેરમાં ઉનાળો જાણે ગાયબ થઈ ગયો હોય અને ચોમાસા જેવી ઠંડક સમગ્ર શહેરમાં ફેલાઈ છે.


ખેડૂતોની ચિંતા વધી


સુરતના માંગરોળ અને લિંબાયત તાલુકાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. માંગરોળ અને લિંબાયતમાં ભરઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે. બન્ને તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ચૈત્ર મહિનાના અંતમાં અષાઢી માહોલ છવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતીના વિવિધ પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.