સુરતમાં ભરઉનાળે અષાઢી માહોલ, લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી


  • Published By :
  • Published Date : 2023-04-18 18:56:38

રાજ્યના હવામાનમાં ફરી એક વખત પલટો જોવા મળ્યો છે, હવામાન વિભાગે પણ આ અંગે આગાહી મુજબ સુરત શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. શહેરના તમામ વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર  કમોસમી વરસાદ વરસ્યો છે. શહેરમાં બપોર બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતા લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે.


લોકો આશ્ચર્યમાં મુકાયા


સુરતના હવામાનમાં બપોર બાદ અચાનક જ ફેરફાર થતાં લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. જો કે કેટલાક લોકો માર્ગો પર રીતસર અટવાઈ ગયા હતા. સુસવાટા મારતા પવન સાથે માવઠું થતાં શહેરના માર્ગો ભીના થયા હતા. ક્યાંક ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સમગ્ર શહેરમાં ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં ભર બપોરે 12 વાગ્યા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ કેટલાક ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું.


કાળઝાળ ગરમીથી રાહત


સુરતમાં માવઠું થતાં ઉનાળાના આકરા તાપ અને ઉકળાટથી લોકોએ રાહત અનુભવી હતી. બપોર બાદથી સમગ્ર શહેરમાં વરસાદી ઝાપટું પડી રહ્યું છે. દરમિયાન બપોર બાદ અચાનક જ શહેરના તમામ વિસ્તારોમાં ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે વરસાદ વરસતા અનેરી ઠંડક પ્રસરી હતી. શહેરમાં ઉનાળો જાણે ગાયબ થઈ ગયો હોય અને ચોમાસા જેવી ઠંડક સમગ્ર શહેરમાં ફેલાઈ છે.


ખેડૂતોની ચિંતા વધી


સુરતના માંગરોળ અને લિંબાયત તાલુકાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. માંગરોળ અને લિંબાયતમાં ભરઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે. બન્ને તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ચૈત્ર મહિનાના અંતમાં અષાઢી માહોલ છવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતીના વિવિધ પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે