સુરતમાં ભરઉનાળે અષાઢી માહોલ, લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી


  • Published By :
  • Published Date : 2023-04-18 18:56:38

રાજ્યના હવામાનમાં ફરી એક વખત પલટો જોવા મળ્યો છે, હવામાન વિભાગે પણ આ અંગે આગાહી મુજબ સુરત શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. શહેરના તમામ વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર  કમોસમી વરસાદ વરસ્યો છે. શહેરમાં બપોર બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતા લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે.


લોકો આશ્ચર્યમાં મુકાયા


સુરતના હવામાનમાં બપોર બાદ અચાનક જ ફેરફાર થતાં લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. જો કે કેટલાક લોકો માર્ગો પર રીતસર અટવાઈ ગયા હતા. સુસવાટા મારતા પવન સાથે માવઠું થતાં શહેરના માર્ગો ભીના થયા હતા. ક્યાંક ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સમગ્ર શહેરમાં ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં ભર બપોરે 12 વાગ્યા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ કેટલાક ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું.


કાળઝાળ ગરમીથી રાહત


સુરતમાં માવઠું થતાં ઉનાળાના આકરા તાપ અને ઉકળાટથી લોકોએ રાહત અનુભવી હતી. બપોર બાદથી સમગ્ર શહેરમાં વરસાદી ઝાપટું પડી રહ્યું છે. દરમિયાન બપોર બાદ અચાનક જ શહેરના તમામ વિસ્તારોમાં ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે વરસાદ વરસતા અનેરી ઠંડક પ્રસરી હતી. શહેરમાં ઉનાળો જાણે ગાયબ થઈ ગયો હોય અને ચોમાસા જેવી ઠંડક સમગ્ર શહેરમાં ફેલાઈ છે.


ખેડૂતોની ચિંતા વધી


સુરતના માંગરોળ અને લિંબાયત તાલુકાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. માંગરોળ અને લિંબાયતમાં ભરઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે. બન્ને તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ચૈત્ર મહિનાના અંતમાં અષાઢી માહોલ છવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતીના વિવિધ પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.