ઉનાળુ વેકેશનના વિદેશ પ્રવાસ માટે ખીસ્સું વધારે ઢીલું કરવું પડશે, ફોરેન ટૂર 30 ટકા મોંઘી થઈ


  • Published By :
  • Published Date : 2023-02-12 16:12:43

ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે વિદેશ પ્રવાસ કરવાની ઈચ્છા હોય તો ખીસ્સું ઢીલું કરવાની તૈયારી રાખજો. આ વખતે ઉનાળું વેકેશનની મજા માણનારા લોકોને ટિકિટ ઉપરાંત હોટેલ તથા મોંઘી સર્વિસનો સામનો કરવો પડશે. આ વખતે વિદેશ વેકેશનનો સરેરાશ 15 થી 30 ટકા મોંઘા બને તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 


શા માટે વિદેશ યાત્રા મોંઘી થયો?


વિદેશ પ્રવાસના શોખિનો માટે આ વખતે વિદેશ પ્રવાસ મોંઘો થવાનું મુખ્ય કારણ વિદેશ પ્રવાસનાં વધતા ખર્ચનું મુખ્ય કારણ ભારતીય ચલણમાં ઘસારો છે. અમેરિકાનો ડોલર તથા યુરોપિયન યુનિયનની કરન્સી યુરો સામે છેલ્લા એક વર્ષમાં ભારતીય રૂપિયો નબળો પડયો હોવાના કારણે એક માસ પૂર્વેની સ્થિતિ થતા આ વખતે ઉનાળા વેકેશનમાં વિદેશ પ્રવાસનો ખર્ચ વધી ગયો છે. વિમાની ઈંધણમાં ભાવ વધારાથી ફલાઈટના ભાડા પણ મોંઘા બન્યા છે. ડોલર સામે ભારતીય રૂપિયો એક વર્ષમાં 75.1 ઘટીને 82.50 થયો છે, તેના પરીણામે વિદેશ પ્રવાસો 15 થી 30 ટકા મોંઘા બન્યા છે. 


વિદેશ પ્રવાસ કેટલો મોંઘો થયો 


ડોલર અને યુરો સહિતના મુખ્ય ચલણ સામે રૂપિયો નબળો પડતા વિવિધ દેશોની મુલાકાત લેવી મોંઘી બની છે. ગત વર્ષે ફ્રાંસ-સ્વીઝર્લેન્ડના સાત-આઠ દિવસનો પેકેજનો ખર્ચ રૂા.1.70 લાખ હતો તે આ વર્ષે વધીને બે લાખે પહોંચ્યો છે આજ રીતે મલેશીયા-સિંગાપોરનું પેકેજ એક લાખવાળુ હવે 1.30 લાખનું થવા જાય છે. ઉનાળુ વેકેશનમાં અમેરીકા તથા યુરોપ હોટ સ્પોટ હોય છે. તે ઉપરાંત સિંગાપોર, વિયેતનામ, મલેશીયા, થાઈલેન્ડ, દુબઈ, કંબોડીયા તરફ પણ ઘસારો હોય છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.