ઉનાળુ વેકેશનના વિદેશ પ્રવાસ માટે ખીસ્સું વધારે ઢીલું કરવું પડશે, ફોરેન ટૂર 30 ટકા મોંઘી થઈ


  • Published By :
  • Published Date : 2023-02-12 16:12:43

ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે વિદેશ પ્રવાસ કરવાની ઈચ્છા હોય તો ખીસ્સું ઢીલું કરવાની તૈયારી રાખજો. આ વખતે ઉનાળું વેકેશનની મજા માણનારા લોકોને ટિકિટ ઉપરાંત હોટેલ તથા મોંઘી સર્વિસનો સામનો કરવો પડશે. આ વખતે વિદેશ વેકેશનનો સરેરાશ 15 થી 30 ટકા મોંઘા બને તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 


શા માટે વિદેશ યાત્રા મોંઘી થયો?


વિદેશ પ્રવાસના શોખિનો માટે આ વખતે વિદેશ પ્રવાસ મોંઘો થવાનું મુખ્ય કારણ વિદેશ પ્રવાસનાં વધતા ખર્ચનું મુખ્ય કારણ ભારતીય ચલણમાં ઘસારો છે. અમેરિકાનો ડોલર તથા યુરોપિયન યુનિયનની કરન્સી યુરો સામે છેલ્લા એક વર્ષમાં ભારતીય રૂપિયો નબળો પડયો હોવાના કારણે એક માસ પૂર્વેની સ્થિતિ થતા આ વખતે ઉનાળા વેકેશનમાં વિદેશ પ્રવાસનો ખર્ચ વધી ગયો છે. વિમાની ઈંધણમાં ભાવ વધારાથી ફલાઈટના ભાડા પણ મોંઘા બન્યા છે. ડોલર સામે ભારતીય રૂપિયો એક વર્ષમાં 75.1 ઘટીને 82.50 થયો છે, તેના પરીણામે વિદેશ પ્રવાસો 15 થી 30 ટકા મોંઘા બન્યા છે. 


વિદેશ પ્રવાસ કેટલો મોંઘો થયો 


ડોલર અને યુરો સહિતના મુખ્ય ચલણ સામે રૂપિયો નબળો પડતા વિવિધ દેશોની મુલાકાત લેવી મોંઘી બની છે. ગત વર્ષે ફ્રાંસ-સ્વીઝર્લેન્ડના સાત-આઠ દિવસનો પેકેજનો ખર્ચ રૂા.1.70 લાખ હતો તે આ વર્ષે વધીને બે લાખે પહોંચ્યો છે આજ રીતે મલેશીયા-સિંગાપોરનું પેકેજ એક લાખવાળુ હવે 1.30 લાખનું થવા જાય છે. ઉનાળુ વેકેશનમાં અમેરીકા તથા યુરોપ હોટ સ્પોટ હોય છે. તે ઉપરાંત સિંગાપોર, વિયેતનામ, મલેશીયા, થાઈલેન્ડ, દુબઈ, કંબોડીયા તરફ પણ ઘસારો હોય છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.