ઉનાળુ વેકેશનના વિદેશ પ્રવાસ માટે ખીસ્સું વધારે ઢીલું કરવું પડશે, ફોરેન ટૂર 30 ટકા મોંઘી થઈ


  • Published By :
  • Published Date : 2023-02-12 16:12:43

ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે વિદેશ પ્રવાસ કરવાની ઈચ્છા હોય તો ખીસ્સું ઢીલું કરવાની તૈયારી રાખજો. આ વખતે ઉનાળું વેકેશનની મજા માણનારા લોકોને ટિકિટ ઉપરાંત હોટેલ તથા મોંઘી સર્વિસનો સામનો કરવો પડશે. આ વખતે વિદેશ વેકેશનનો સરેરાશ 15 થી 30 ટકા મોંઘા બને તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 


શા માટે વિદેશ યાત્રા મોંઘી થયો?


વિદેશ પ્રવાસના શોખિનો માટે આ વખતે વિદેશ પ્રવાસ મોંઘો થવાનું મુખ્ય કારણ વિદેશ પ્રવાસનાં વધતા ખર્ચનું મુખ્ય કારણ ભારતીય ચલણમાં ઘસારો છે. અમેરિકાનો ડોલર તથા યુરોપિયન યુનિયનની કરન્સી યુરો સામે છેલ્લા એક વર્ષમાં ભારતીય રૂપિયો નબળો પડયો હોવાના કારણે એક માસ પૂર્વેની સ્થિતિ થતા આ વખતે ઉનાળા વેકેશનમાં વિદેશ પ્રવાસનો ખર્ચ વધી ગયો છે. વિમાની ઈંધણમાં ભાવ વધારાથી ફલાઈટના ભાડા પણ મોંઘા બન્યા છે. ડોલર સામે ભારતીય રૂપિયો એક વર્ષમાં 75.1 ઘટીને 82.50 થયો છે, તેના પરીણામે વિદેશ પ્રવાસો 15 થી 30 ટકા મોંઘા બન્યા છે. 


વિદેશ પ્રવાસ કેટલો મોંઘો થયો 


ડોલર અને યુરો સહિતના મુખ્ય ચલણ સામે રૂપિયો નબળો પડતા વિવિધ દેશોની મુલાકાત લેવી મોંઘી બની છે. ગત વર્ષે ફ્રાંસ-સ્વીઝર્લેન્ડના સાત-આઠ દિવસનો પેકેજનો ખર્ચ રૂા.1.70 લાખ હતો તે આ વર્ષે વધીને બે લાખે પહોંચ્યો છે આજ રીતે મલેશીયા-સિંગાપોરનું પેકેજ એક લાખવાળુ હવે 1.30 લાખનું થવા જાય છે. ઉનાળુ વેકેશનમાં અમેરીકા તથા યુરોપ હોટ સ્પોટ હોય છે. તે ઉપરાંત સિંગાપોર, વિયેતનામ, મલેશીયા, થાઈલેન્ડ, દુબઈ, કંબોડીયા તરફ પણ ઘસારો હોય છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.