AAPના સ્ટાર પ્રચારક ગુજરાતમાં, Chaitar Vasava અને Umesh Makwanaનો પ્રચાર કરવા Sunita Kejriwal આવ્યા ગુજરાત...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-02 12:56:59

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. 26માંથી બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે જ્યારે 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરવા માટે સુનિતા કેજરીવાલ ગુજરાત આવ્યા છે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર તેઓ સભાને સંબોધવાના છે ઉપરાંત રોડ શોમાં પણ  તેઓ ભાગ લઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.. 

રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગજવી રહ્યા છે સભા 

લો કસભા ચૂંટણીને માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. 7મી તારીખે મતદાન થવાનું છે.. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે.. ભાજપનો પ્રચાર કરવા પીએમ મોદી પોતે ગુજરાત આવ્યા છે જ્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ હતો.. ત્યારે આપના ઉમેદવારનો પ્રચાર કરવા માટે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ ગુજરાત આવ્યા છે..


સુનિતા કેજરીવાલ આવ્યા ગુજરાત..  

ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર આપે ચૈતર વસાવાને ટિકીટ આપી છે જ્યારે ભાવનગરમાં ઉમેશ મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે... ત્યારે આ બંને ઉમેદવારો માટે પ્રચાર કરવા સુનિતા કેજરીવાલ ગુજરાત આવ્યા છે... જનસભાને સંબોધવાના છે ઉપરાંત રોડશોમાં પણ તેઓ ભાગ લેવાના છે.. મહત્વનું છે કે આની પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રચાર માટે આવ્યા હતા.. મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં... 



કમોસમી વરસાદના રાઉન્ડ બાદ તાપમાનનો પારો સતત વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુરૂવારે અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.. વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લાઓનું તાપમાન 44 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે.. અમદાવાદનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું..

ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.