AAPના સ્ટાર પ્રચારક ગુજરાતમાં, Chaitar Vasava અને Umesh Makwanaનો પ્રચાર કરવા Sunita Kejriwal આવ્યા ગુજરાત...


  • Published By :
  • Published Date : 2024-05-02 12:56:59

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. 26માંથી બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે જ્યારે 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરવા માટે સુનિતા કેજરીવાલ ગુજરાત આવ્યા છે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર તેઓ સભાને સંબોધવાના છે ઉપરાંત રોડ શોમાં પણ  તેઓ ભાગ લઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.. 

રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગજવી રહ્યા છે સભા 

લો કસભા ચૂંટણીને માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. 7મી તારીખે મતદાન થવાનું છે.. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે.. ભાજપનો પ્રચાર કરવા પીએમ મોદી પોતે ગુજરાત આવ્યા છે જ્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ હતો.. ત્યારે આપના ઉમેદવારનો પ્રચાર કરવા માટે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ ગુજરાત આવ્યા છે..


સુનિતા કેજરીવાલ આવ્યા ગુજરાત..  

ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર આપે ચૈતર વસાવાને ટિકીટ આપી છે જ્યારે ભાવનગરમાં ઉમેશ મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે... ત્યારે આ બંને ઉમેદવારો માટે પ્રચાર કરવા સુનિતા કેજરીવાલ ગુજરાત આવ્યા છે... જનસભાને સંબોધવાના છે ઉપરાંત રોડશોમાં પણ તેઓ ભાગ લેવાના છે.. મહત્વનું છે કે આની પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રચાર માટે આવ્યા હતા.. મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં... 



હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.