સુનિતા વિલિયમ્સે કેમ NASAના રીહેબીલીટેશન કાર્યક્રમમાં જવું પડ્યું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-21 13:48:38

 ૫૯ વર્ષના સુનિતા વિલિયમ્સ ૯ મહિનાની લાંબી અવકાશયાત્રા કરીને ધરતી પર પાછા ફર્યા છે .  આ અવકાશયાત્રા દરમ્યાન એક વિક્રમ પણ સ્થાપિત કર્યો છે . તેઓ અવકાશમાં સૌથી વધારે સ્પેસવોક કરનારા બીજા નંબરના અવકાશયાત્રી બન્યા છે . પરંતુ આ અવકાશયાત્રા દરમ્યાન તેમના શરીરને ઘણી આડઅસરો પહોંચી છે . જેની રિકવરી આવતા ખુબ લાંબો સમય લાગી શકે છે . ગુજરાતના દીકરી સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત ફરવાની રાહ સમગ્ર ભારતે ખુબ આતુરતાથી જોઈ હતી . સુનિતા વિલિયમ્સ આ પેહલા પ્રથમવાર ૨૦૦૬-૨૦૦૭માં ૧૯૬ દિવસ માટે અવકાશમાં ગયા હતા આ પછી તેઓ ફરીવાર ૨૦૧૨માં ૧૨૭ દિવસ માટે અવકાશમાં ગયા હતા. જોકે આ તેમનો ત્રીજો અવકાશ પ્રવાસ ખુબ જ લાંબો હતો . 

Sunita Williams - Wikipedia

હવે આપણે જોઈએ કે , અંતરિક્ષમાં ખુબ લાંબા સુધી રહેવા પર સુનિતા વિલિયમ્સના શરીર પર શું અસરો થઈ છે . તેમની માંસપેશીઓનું વજન ઓછું થયું છે કેમ કે આ માંસપેશીઓ માઇક્રોગ્રેવીટીમાં ક્ષમતા પૂર્વક કામ ના કરી શકે. સુનિતા વિલિયમ્સનું હૃદય પણ નબળું પડ્યું છે . આપણું હૃદય પણ માંસપેશીઓથી બનેલું છે અને હૃદય માઇક્રોગ્રેવીટીમાં એટલી મેહનત નથી કરતુ . જોકે સુનિતા વિલિયમ્સ પોતાના હૃદયની તંદુરસ્તી માટે ૯૦ મિનિટથી બે કલાક સુધી અવકાશમાં એક્સરસાઇઝ કરતા હતા . બોઇંગ સ્ટારલાઈનરમાં તકનીકી ખરાબી આવતા એવું નક્કી થઈ ગયું કે તેમણે ખુબ લાંબા સમય સુધી અવકાશમાં રોકાવું પડશે. પરંતુ , આ પછી સુનિતા વિલિયમ્સે ખુબ જરૂરી વિજ્ઞાનના પ્રયોગો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાથ ધર્યા હતા . અવકાશમાં માઇક્રોગ્રેવીટીમાં રહેવાથી તમારી ઉમર ઝડપથી વધતી હોય છે . ધરતી પર પાછા ફર્યા બાદ કોઈ પણ અવકાશયાત્રીને નોર્મલ લાઈફમાં પાછા ફરતા વાર લાગી શકે છે . સુનિતા વિલિયમ્સ નાસાના ૪૫ દિવસ લાંબા રિહેબિલિટેશન કાર્યક્રમમાં જશે જ્યાં તેઓ સતત ડોક્ટર્સની દેખરેખમાં રહેશે . અહીં તેમના ઘણા મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે સાથે જ રોજ બે કલાકની ફિઝિકલ થેરાપી આપવામાં આવશે . 

Sunita Williams, Butch Wilmore's 45-day rehabilitation: How NASA astronauts  will adjust to life on Earth | World News - The Indian Express

૪૫ દિવસનો નાસાનો રિહેબિલિટેશનનો કાર્યક્રમ ૩ ચરણમાં હશે . પેહલા ચરણ અંતર્ગત તેમની માંસપેશીઓને મજબૂત કરવા લો ઇન્ટેન્સિટીવાળી શારીરિક એક્સરસાઇઝ કરાવડાવવામાં આવશે અને હળવી ફિઝિકલ થેરાપી આપવામાં આવશે . બીજા ચરણમાં હૃદયની સ્થિતિ સુધારવા પર ધ્યાન આપવામાં આવશે . માઇક્રોગ્રેવીટીમાં રહેવાથી હૃદયના સ્નાયુઓમાં સંકોચન આવે છે . માટે આ ચરણમાં ટ્રેડમિલ એક્સરસાઇઝ , સ્ટેશનરી બાઈક અને રેસિસ્ટંસ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવશે . નાસાના આ પોસ્ટ રિહેબિલિટેશનનો ત્રીજો ચરણ સૌથી લાંબો હશે જેમાં સુનિતા વિલિયમ્સની શારીરિક ક્ષમતા પ્રી-ફ્લાઇટ કન્ડિશનમાં પાછી લાવવામાં આવશે.  

What Is NASA? (Grades 5-8) - NASA

કોઈ પણ અવકાશયાત્રી માટે માઇક્રોગ્રેવીટીમાંથી , પૂર્ણ ગ્રેવીટીમાં આવવું એ ખુબ ચેલેંજિંગ હોય છે . સુનિતા વિલિયમ્સ પર કોઈ પણ અપડેટ માટે જોતા રહો જમાવટ .  



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.