સુનિતા વિલિયમ્સે કેમ NASAના રીહેબીલીટેશન કાર્યક્રમમાં જવું પડ્યું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-21 13:48:38

 ૫૯ વર્ષના સુનિતા વિલિયમ્સ ૯ મહિનાની લાંબી અવકાશયાત્રા કરીને ધરતી પર પાછા ફર્યા છે .  આ અવકાશયાત્રા દરમ્યાન એક વિક્રમ પણ સ્થાપિત કર્યો છે . તેઓ અવકાશમાં સૌથી વધારે સ્પેસવોક કરનારા બીજા નંબરના અવકાશયાત્રી બન્યા છે . પરંતુ આ અવકાશયાત્રા દરમ્યાન તેમના શરીરને ઘણી આડઅસરો પહોંચી છે . જેની રિકવરી આવતા ખુબ લાંબો સમય લાગી શકે છે . ગુજરાતના દીકરી સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત ફરવાની રાહ સમગ્ર ભારતે ખુબ આતુરતાથી જોઈ હતી . સુનિતા વિલિયમ્સ આ પેહલા પ્રથમવાર ૨૦૦૬-૨૦૦૭માં ૧૯૬ દિવસ માટે અવકાશમાં ગયા હતા આ પછી તેઓ ફરીવાર ૨૦૧૨માં ૧૨૭ દિવસ માટે અવકાશમાં ગયા હતા. જોકે આ તેમનો ત્રીજો અવકાશ પ્રવાસ ખુબ જ લાંબો હતો . 

Sunita Williams - Wikipedia

હવે આપણે જોઈએ કે , અંતરિક્ષમાં ખુબ લાંબા સુધી રહેવા પર સુનિતા વિલિયમ્સના શરીર પર શું અસરો થઈ છે . તેમની માંસપેશીઓનું વજન ઓછું થયું છે કેમ કે આ માંસપેશીઓ માઇક્રોગ્રેવીટીમાં ક્ષમતા પૂર્વક કામ ના કરી શકે. સુનિતા વિલિયમ્સનું હૃદય પણ નબળું પડ્યું છે . આપણું હૃદય પણ માંસપેશીઓથી બનેલું છે અને હૃદય માઇક્રોગ્રેવીટીમાં એટલી મેહનત નથી કરતુ . જોકે સુનિતા વિલિયમ્સ પોતાના હૃદયની તંદુરસ્તી માટે ૯૦ મિનિટથી બે કલાક સુધી અવકાશમાં એક્સરસાઇઝ કરતા હતા . બોઇંગ સ્ટારલાઈનરમાં તકનીકી ખરાબી આવતા એવું નક્કી થઈ ગયું કે તેમણે ખુબ લાંબા સમય સુધી અવકાશમાં રોકાવું પડશે. પરંતુ , આ પછી સુનિતા વિલિયમ્સે ખુબ જરૂરી વિજ્ઞાનના પ્રયોગો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાથ ધર્યા હતા . અવકાશમાં માઇક્રોગ્રેવીટીમાં રહેવાથી તમારી ઉમર ઝડપથી વધતી હોય છે . ધરતી પર પાછા ફર્યા બાદ કોઈ પણ અવકાશયાત્રીને નોર્મલ લાઈફમાં પાછા ફરતા વાર લાગી શકે છે . સુનિતા વિલિયમ્સ નાસાના ૪૫ દિવસ લાંબા રિહેબિલિટેશન કાર્યક્રમમાં જશે જ્યાં તેઓ સતત ડોક્ટર્સની દેખરેખમાં રહેશે . અહીં તેમના ઘણા મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે સાથે જ રોજ બે કલાકની ફિઝિકલ થેરાપી આપવામાં આવશે . 

Sunita Williams, Butch Wilmore's 45-day rehabilitation: How NASA astronauts  will adjust to life on Earth | World News - The Indian Express

૪૫ દિવસનો નાસાનો રિહેબિલિટેશનનો કાર્યક્રમ ૩ ચરણમાં હશે . પેહલા ચરણ અંતર્ગત તેમની માંસપેશીઓને મજબૂત કરવા લો ઇન્ટેન્સિટીવાળી શારીરિક એક્સરસાઇઝ કરાવડાવવામાં આવશે અને હળવી ફિઝિકલ થેરાપી આપવામાં આવશે . બીજા ચરણમાં હૃદયની સ્થિતિ સુધારવા પર ધ્યાન આપવામાં આવશે . માઇક્રોગ્રેવીટીમાં રહેવાથી હૃદયના સ્નાયુઓમાં સંકોચન આવે છે . માટે આ ચરણમાં ટ્રેડમિલ એક્સરસાઇઝ , સ્ટેશનરી બાઈક અને રેસિસ્ટંસ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવશે . નાસાના આ પોસ્ટ રિહેબિલિટેશનનો ત્રીજો ચરણ સૌથી લાંબો હશે જેમાં સુનિતા વિલિયમ્સની શારીરિક ક્ષમતા પ્રી-ફ્લાઇટ કન્ડિશનમાં પાછી લાવવામાં આવશે.  

What Is NASA? (Grades 5-8) - NASA

કોઈ પણ અવકાશયાત્રી માટે માઇક્રોગ્રેવીટીમાંથી , પૂર્ણ ગ્રેવીટીમાં આવવું એ ખુબ ચેલેંજિંગ હોય છે . સુનિતા વિલિયમ્સ પર કોઈ પણ અપડેટ માટે જોતા રહો જમાવટ .  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.