વડોદરાના હરણી તળાવ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટેમાં સુઓમોટો દાખલ, HCએ સ્વિકારી રજુઆત


  • Published By :
  • Published Date : 2024-01-19 21:37:38

વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં 14 લોકોના મોત સમગ્ર રાજ્યમાં હાહાકરા મચી ગયો છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા મૃતકોમાં સૌથી વધુ બાળકો છે એટલે મામલો ગંભીર બન્યો છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ વિસ્તૃત અહેવાલ જાણીને સુઓમોટોની તૈયારી દર્શાવી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરાઈ હતી જેને હાઇકોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ એસોશિએશને જણાવ્યુ હતુ કે આ દુર્ઘટનામાં અનેક બાળકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બાળકોને લાઇફ જેકેટ કે અન્ય કોઇ સુવિધા આપવામાં આવી ન હતી. જેથી સ્પષ્ટપણે આ દુર્ઘટના બેદરકારીના કારણે ઘટી હોવાનું જોવા મળી રહ્યુ છે.


શું કહ્યું એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ?


ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું કે બોટની કેપેસિટી 13ની હતી પણ તેમાં 27 લોકો બેસાડ્યા હતા. આ મામલાની તપાસ જો વડોદરા જિલ્લાના સિનિયર મોસ્ટ પોલીસ અધિકારીને આ ધટનાની તપાસ સોંપાશે તો નહીં તો કશું બચશે નહીં. તેમણે કોર્ટ સમક્ષ આરોપીઓ સામે IPC 302 ની કલમ ઉમેરવામાં આવે તેવી વિનંતી કરી હતી. હાઇકોર્ટે સુઓ મોટો દાખલ કરવા હકારાત્મક પ્રતિક્રિયા આપી છે. 3 મહિનામાં સ્પેશિયલ કોર્ટમા આ કેસ ચલાવીને ટ્રાયલ પૂર્ણ કરાય. ગુજરાતમાં આવી દુર્ઘટનાનો બનતી રહે છે. આ કિસ્સામાં મોટા માથા બચી જતા હોય છે. આવું ન થાય તે માટે પોલીસ તમામ પુરાવા અત્યારે એકત્ર કરી લે. તેવી પણ કોર્ટે સુચના આપી હતી. 


રજૂઆતો બાદ હાઈકોર્ટે તૈયારી દર્શાવી હતી


ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા, સુઓમોટો લેવા મુખ્ય ન્યાયાધીશને કરાયેલી રજૂઆતો બાદ મુખ્ય ન્યાયાધીશે ઘટના અંગે રિપોર્ટ મગાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશે અહેવાલ મળશે તો આ મામલે સુઓમોટોની તૈયારી દર્શાવી હતી. જે પછી હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી રિપોર્ટ એકઠા કરવા સહિતની પ્રક્રિયામાં કામે લાગ્યા હતા. આ મામલે હજુ વધુ સુનાવણી થશે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે