વડોદરાના હરણી તળાવ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટેમાં સુઓમોટો દાખલ, HCએ સ્વિકારી રજુઆત


  • Published By :
  • Published Date : 2024-01-19 21:37:38

વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં 14 લોકોના મોત સમગ્ર રાજ્યમાં હાહાકરા મચી ગયો છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા મૃતકોમાં સૌથી વધુ બાળકો છે એટલે મામલો ગંભીર બન્યો છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ વિસ્તૃત અહેવાલ જાણીને સુઓમોટોની તૈયારી દર્શાવી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરાઈ હતી જેને હાઇકોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ એસોશિએશને જણાવ્યુ હતુ કે આ દુર્ઘટનામાં અનેક બાળકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બાળકોને લાઇફ જેકેટ કે અન્ય કોઇ સુવિધા આપવામાં આવી ન હતી. જેથી સ્પષ્ટપણે આ દુર્ઘટના બેદરકારીના કારણે ઘટી હોવાનું જોવા મળી રહ્યુ છે.


શું કહ્યું એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ?


ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું કે બોટની કેપેસિટી 13ની હતી પણ તેમાં 27 લોકો બેસાડ્યા હતા. આ મામલાની તપાસ જો વડોદરા જિલ્લાના સિનિયર મોસ્ટ પોલીસ અધિકારીને આ ધટનાની તપાસ સોંપાશે તો નહીં તો કશું બચશે નહીં. તેમણે કોર્ટ સમક્ષ આરોપીઓ સામે IPC 302 ની કલમ ઉમેરવામાં આવે તેવી વિનંતી કરી હતી. હાઇકોર્ટે સુઓ મોટો દાખલ કરવા હકારાત્મક પ્રતિક્રિયા આપી છે. 3 મહિનામાં સ્પેશિયલ કોર્ટમા આ કેસ ચલાવીને ટ્રાયલ પૂર્ણ કરાય. ગુજરાતમાં આવી દુર્ઘટનાનો બનતી રહે છે. આ કિસ્સામાં મોટા માથા બચી જતા હોય છે. આવું ન થાય તે માટે પોલીસ તમામ પુરાવા અત્યારે એકત્ર કરી લે. તેવી પણ કોર્ટે સુચના આપી હતી. 


રજૂઆતો બાદ હાઈકોર્ટે તૈયારી દર્શાવી હતી


ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા, સુઓમોટો લેવા મુખ્ય ન્યાયાધીશને કરાયેલી રજૂઆતો બાદ મુખ્ય ન્યાયાધીશે ઘટના અંગે રિપોર્ટ મગાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશે અહેવાલ મળશે તો આ મામલે સુઓમોટોની તૈયારી દર્શાવી હતી. જે પછી હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી રિપોર્ટ એકઠા કરવા સહિતની પ્રક્રિયામાં કામે લાગ્યા હતા. આ મામલે હજુ વધુ સુનાવણી થશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.