વડોદરાના હરણી તળાવ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટેમાં સુઓમોટો દાખલ, HCએ સ્વિકારી રજુઆત


  • Published By :
  • Published Date : 2024-01-19 21:37:38

વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં 14 લોકોના મોત સમગ્ર રાજ્યમાં હાહાકરા મચી ગયો છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા મૃતકોમાં સૌથી વધુ બાળકો છે એટલે મામલો ગંભીર બન્યો છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ વિસ્તૃત અહેવાલ જાણીને સુઓમોટોની તૈયારી દર્શાવી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરાઈ હતી જેને હાઇકોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ એસોશિએશને જણાવ્યુ હતુ કે આ દુર્ઘટનામાં અનેક બાળકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બાળકોને લાઇફ જેકેટ કે અન્ય કોઇ સુવિધા આપવામાં આવી ન હતી. જેથી સ્પષ્ટપણે આ દુર્ઘટના બેદરકારીના કારણે ઘટી હોવાનું જોવા મળી રહ્યુ છે.


શું કહ્યું એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ?


ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું કે બોટની કેપેસિટી 13ની હતી પણ તેમાં 27 લોકો બેસાડ્યા હતા. આ મામલાની તપાસ જો વડોદરા જિલ્લાના સિનિયર મોસ્ટ પોલીસ અધિકારીને આ ધટનાની તપાસ સોંપાશે તો નહીં તો કશું બચશે નહીં. તેમણે કોર્ટ સમક્ષ આરોપીઓ સામે IPC 302 ની કલમ ઉમેરવામાં આવે તેવી વિનંતી કરી હતી. હાઇકોર્ટે સુઓ મોટો દાખલ કરવા હકારાત્મક પ્રતિક્રિયા આપી છે. 3 મહિનામાં સ્પેશિયલ કોર્ટમા આ કેસ ચલાવીને ટ્રાયલ પૂર્ણ કરાય. ગુજરાતમાં આવી દુર્ઘટનાનો બનતી રહે છે. આ કિસ્સામાં મોટા માથા બચી જતા હોય છે. આવું ન થાય તે માટે પોલીસ તમામ પુરાવા અત્યારે એકત્ર કરી લે. તેવી પણ કોર્ટે સુચના આપી હતી. 


રજૂઆતો બાદ હાઈકોર્ટે તૈયારી દર્શાવી હતી


ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા, સુઓમોટો લેવા મુખ્ય ન્યાયાધીશને કરાયેલી રજૂઆતો બાદ મુખ્ય ન્યાયાધીશે ઘટના અંગે રિપોર્ટ મગાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશે અહેવાલ મળશે તો આ મામલે સુઓમોટોની તૈયારી દર્શાવી હતી. જે પછી હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી રિપોર્ટ એકઠા કરવા સહિતની પ્રક્રિયામાં કામે લાગ્યા હતા. આ મામલે હજુ વધુ સુનાવણી થશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.