પ્રચારમાં થઈ સુપર મારીયો ગેમની એન્ટ્રી, Akhliesh Yadavએ વીડિયો કર્યો શેર જેમાં લખ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-05-24 16:05:52

દેશમાં લોકસભા ચૂંટણી માટે આવતી કાલે છઠ્ઠા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. અડધાથી ઉપર સીટો માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પ્રચાર માટે નવી નવી રીતો અપનાવામાં આવી રહી છે પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા.. ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરાઈ રહ્યો છે. પ્રચાર માટે મૂકવામાં આવતા વીડિયો તો આપણે જોયા છે પરંતુ આ વખતે વીડિયો ગેમના માધ્યમના વીડિયોનો સહારો લઈ પ્રચાર કરાઈ રહ્યો છે.. 

વીડિયો ગેમનો કરવામાં આવી રહ્યો છે પ્રયોગ

આપણે નાના હતા ત્યારે વીડિયો ગેમ રમતા હતા.. વીડિયો ગેમ રમતા હતા.. વીડિયો ગેમ રમવામાં મજા પણ આવતી. તે વખતે આપણે કદાચ વિચાર્યું પણ નહીં હોય કે વીડિયો ગેમનો પ્રયોગ પ્રચાર માટે કરવામાં આવશે.. પરંતુ આ વખતની ચૂંટણીમાં પ્રચાર માટે વીડિયો ગેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી જીતવા તેમજ યુવા મતદાતાઓને આકર્ષવા માટે વીડિયો ગેમનો સહારો લોકો લઈ રહ્યા છે.



શું લખ્યું અખિલેશ યાદવે?

થોડા સમય પહેલા ગુજરાતની વલસાડના લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલ દ્વારા વીડિયો ગેમ જેવા વીડિયો અખિલેશ યાદવ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અખિલેશ યાદવે લખ્યું કે જનતાનો અતૂટ વિશ્વાસ માટે આભાર, જીતી રહ્યા છીએ અમે કારણ કે જનતા અમારી સાથે છે.. ઉપરાંત #માં લખવામાં આવ્યું છે ઈન્ડિયાની જીત ગરીબની જીત.. વીડિયો ગેમમાં લખવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશ (2012-2017) તેમજ અખિલેશ યાદવ... તે ઉપરાંત અનેક મુદ્દાઓની વાત આમાં કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વખતે અનેક વિપક્ષી પાર્ટીઓએ ભેગા થઈને ઈન્ડિયા ગઠબંધન કર્યું છે.. ત્યારે જોવું રહ્યું કે ચોથી જૂને શું પરિણામ આવે છે? 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.