પ્રચારમાં થઈ સુપર મારીયો ગેમની એન્ટ્રી, Akhliesh Yadavએ વીડિયો કર્યો શેર જેમાં લખ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-05-24 16:05:52

દેશમાં લોકસભા ચૂંટણી માટે આવતી કાલે છઠ્ઠા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. અડધાથી ઉપર સીટો માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પ્રચાર માટે નવી નવી રીતો અપનાવામાં આવી રહી છે પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા.. ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરાઈ રહ્યો છે. પ્રચાર માટે મૂકવામાં આવતા વીડિયો તો આપણે જોયા છે પરંતુ આ વખતે વીડિયો ગેમના માધ્યમના વીડિયોનો સહારો લઈ પ્રચાર કરાઈ રહ્યો છે.. 

વીડિયો ગેમનો કરવામાં આવી રહ્યો છે પ્રયોગ

આપણે નાના હતા ત્યારે વીડિયો ગેમ રમતા હતા.. વીડિયો ગેમ રમતા હતા.. વીડિયો ગેમ રમવામાં મજા પણ આવતી. તે વખતે આપણે કદાચ વિચાર્યું પણ નહીં હોય કે વીડિયો ગેમનો પ્રયોગ પ્રચાર માટે કરવામાં આવશે.. પરંતુ આ વખતની ચૂંટણીમાં પ્રચાર માટે વીડિયો ગેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી જીતવા તેમજ યુવા મતદાતાઓને આકર્ષવા માટે વીડિયો ગેમનો સહારો લોકો લઈ રહ્યા છે.



શું લખ્યું અખિલેશ યાદવે?

થોડા સમય પહેલા ગુજરાતની વલસાડના લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલ દ્વારા વીડિયો ગેમ જેવા વીડિયો અખિલેશ યાદવ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અખિલેશ યાદવે લખ્યું કે જનતાનો અતૂટ વિશ્વાસ માટે આભાર, જીતી રહ્યા છીએ અમે કારણ કે જનતા અમારી સાથે છે.. ઉપરાંત #માં લખવામાં આવ્યું છે ઈન્ડિયાની જીત ગરીબની જીત.. વીડિયો ગેમમાં લખવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશ (2012-2017) તેમજ અખિલેશ યાદવ... તે ઉપરાંત અનેક મુદ્દાઓની વાત આમાં કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વખતે અનેક વિપક્ષી પાર્ટીઓએ ભેગા થઈને ઈન્ડિયા ગઠબંધન કર્યું છે.. ત્યારે જોવું રહ્યું કે ચોથી જૂને શું પરિણામ આવે છે? 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.