જસદણના વિંછીયામાં બની હ્રદયદ્રાવક ઘટના, દંપતીએ મસ્તક કાપી હવન કુંડમાં હોમ્યું


  • Published By :
  • Published Date : 2023-04-16 20:08:16

રાજ્યમાં અંધશ્રદ્ધામાં અંધ બનીને આત્મ બલિદાન કરનારા દંપતીની હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના જસદણના વિંછીયામાં કમળ પૂજા કરનારા પતિ-પત્નીએ પોતાનું મસ્તક કાપીને હવનકુંડમાં હોમી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને વિંછીયાના મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને બંને મૃતકોની બે પાનાની સ્યૂસાઈડ નોટ પણ મળી છે.


રાત્રે તાંત્રિકવિધિ કરી હતી


જસદણના વિંછીયામાં રહેતા હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેમના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ રાત્રે તાંત્રિક વિધિ કરી હતી. તાંત્રિક વિધિ પત્યા બંનેએ કમળ પૂજા કરી દીધી હતી. દંપતીએ રાત્રે તાંત્રિક વિધિની પૂજા કરીને હવનમાં કુંડમાં તેમના મસ્તકને હોમી દીધું હતું. હજુ આ મામલે કોઈ સત્તાવાર પોલીસે માહિતી આપી હતી. પતિ-પત્ની બંનેએ આ ઘટનાના આગળના દિવસે દીકરા દીકરીને તેના મામાના ઘેર મુકી આવ્યા હતા. ત્યાર બાદ રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરી હતી. 


3 વર્ષથી કરતા હતા તાંત્રિક વિધિ


મૃતક હેમુભાઈના પિતાએ આ અંગે જણાવ્યું હતું કે, પતિ-પત્ની છેલ્લા ત્રણ વર્ષથી ખેતરમાં તાંત્રિક વિધિ કરતા હતા. તાંત્રિક વિધિમાં હવન કુંડમાં કમળ પૂજા કરવા માટે પોતે જ લોખંડનો માચડો બનાવ્યો હતો. જ્યાં તાંત્રિક વિધિ કરવામાં આવી હતી. ત્યાં બે સ્યૂસાઈટ નોંટ લટકાવેલી હતી અને તેની બાજૂમાં 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો.


શા માટે સ્વ બલિ ચડાવ્યો?


દંપતીના મૃતદેહો પાસેથી મળી આવેલી બે સ્યૂસાઈડ નોટમાં લખ્યું છેકે, અમે બન્ને અમારી હાથે અમારા રાજીપે અમારા હાથે જીવન ત્યાગ કરીએ છીએ. મારા ઘરના હંસાબેનને મજા રહેતી નથી. અમારા ભાઈએ, અમારા બાપુજીએ અને અમારા બેને પણ કોઇ દિવસ અમને કંઇ કહ્યું નથી. એટલે એમની કોઇપણ જાતની પૂછપરછ કરતા નહીં. મારા સાસુ-સસરા પણ અમને ક્યારેય અડચણ ઉભી કરી નથી.એટલે કોઇપણ પ્રકારની પૂછપરછ કરતા નહીં. તમે ભાઈ હારે રહેજો અને મા-બાપનું ધ્યાન રાખજો. મારા છોકરાનું અને મારી છોકરીનું ધ્યાન રાખજો.મને મારા ભાઇઓ પર ભરોસો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.