જસદણના વિંછીયામાં બની હ્રદયદ્રાવક ઘટના, દંપતીએ મસ્તક કાપી હવન કુંડમાં હોમ્યું


  • Published By :
  • Published Date : 2023-04-16 20:08:16

રાજ્યમાં અંધશ્રદ્ધામાં અંધ બનીને આત્મ બલિદાન કરનારા દંપતીની હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના જસદણના વિંછીયામાં કમળ પૂજા કરનારા પતિ-પત્નીએ પોતાનું મસ્તક કાપીને હવનકુંડમાં હોમી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને વિંછીયાના મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને બંને મૃતકોની બે પાનાની સ્યૂસાઈડ નોટ પણ મળી છે.


રાત્રે તાંત્રિકવિધિ કરી હતી


જસદણના વિંછીયામાં રહેતા હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેમના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ રાત્રે તાંત્રિક વિધિ કરી હતી. તાંત્રિક વિધિ પત્યા બંનેએ કમળ પૂજા કરી દીધી હતી. દંપતીએ રાત્રે તાંત્રિક વિધિની પૂજા કરીને હવનમાં કુંડમાં તેમના મસ્તકને હોમી દીધું હતું. હજુ આ મામલે કોઈ સત્તાવાર પોલીસે માહિતી આપી હતી. પતિ-પત્ની બંનેએ આ ઘટનાના આગળના દિવસે દીકરા દીકરીને તેના મામાના ઘેર મુકી આવ્યા હતા. ત્યાર બાદ રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરી હતી. 


3 વર્ષથી કરતા હતા તાંત્રિક વિધિ


મૃતક હેમુભાઈના પિતાએ આ અંગે જણાવ્યું હતું કે, પતિ-પત્ની છેલ્લા ત્રણ વર્ષથી ખેતરમાં તાંત્રિક વિધિ કરતા હતા. તાંત્રિક વિધિમાં હવન કુંડમાં કમળ પૂજા કરવા માટે પોતે જ લોખંડનો માચડો બનાવ્યો હતો. જ્યાં તાંત્રિક વિધિ કરવામાં આવી હતી. ત્યાં બે સ્યૂસાઈટ નોંટ લટકાવેલી હતી અને તેની બાજૂમાં 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો.


શા માટે સ્વ બલિ ચડાવ્યો?


દંપતીના મૃતદેહો પાસેથી મળી આવેલી બે સ્યૂસાઈડ નોટમાં લખ્યું છેકે, અમે બન્ને અમારી હાથે અમારા રાજીપે અમારા હાથે જીવન ત્યાગ કરીએ છીએ. મારા ઘરના હંસાબેનને મજા રહેતી નથી. અમારા ભાઈએ, અમારા બાપુજીએ અને અમારા બેને પણ કોઇ દિવસ અમને કંઇ કહ્યું નથી. એટલે એમની કોઇપણ જાતની પૂછપરછ કરતા નહીં. મારા સાસુ-સસરા પણ અમને ક્યારેય અડચણ ઉભી કરી નથી.એટલે કોઇપણ પ્રકારની પૂછપરછ કરતા નહીં. તમે ભાઈ હારે રહેજો અને મા-બાપનું ધ્યાન રાખજો. મારા છોકરાનું અને મારી છોકરીનું ધ્યાન રાખજો.મને મારા ભાઇઓ પર ભરોસો છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.