જસદણના વિંછીયામાં બની હ્રદયદ્રાવક ઘટના, દંપતીએ મસ્તક કાપી હવન કુંડમાં હોમ્યું


  • Published By :
  • Published Date : 2023-04-16 20:08:16

રાજ્યમાં અંધશ્રદ્ધામાં અંધ બનીને આત્મ બલિદાન કરનારા દંપતીની હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના જસદણના વિંછીયામાં કમળ પૂજા કરનારા પતિ-પત્નીએ પોતાનું મસ્તક કાપીને હવનકુંડમાં હોમી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને વિંછીયાના મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને બંને મૃતકોની બે પાનાની સ્યૂસાઈડ નોટ પણ મળી છે.


રાત્રે તાંત્રિકવિધિ કરી હતી


જસદણના વિંછીયામાં રહેતા હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેમના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ રાત્રે તાંત્રિક વિધિ કરી હતી. તાંત્રિક વિધિ પત્યા બંનેએ કમળ પૂજા કરી દીધી હતી. દંપતીએ રાત્રે તાંત્રિક વિધિની પૂજા કરીને હવનમાં કુંડમાં તેમના મસ્તકને હોમી દીધું હતું. હજુ આ મામલે કોઈ સત્તાવાર પોલીસે માહિતી આપી હતી. પતિ-પત્ની બંનેએ આ ઘટનાના આગળના દિવસે દીકરા દીકરીને તેના મામાના ઘેર મુકી આવ્યા હતા. ત્યાર બાદ રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરી હતી. 


3 વર્ષથી કરતા હતા તાંત્રિક વિધિ


મૃતક હેમુભાઈના પિતાએ આ અંગે જણાવ્યું હતું કે, પતિ-પત્ની છેલ્લા ત્રણ વર્ષથી ખેતરમાં તાંત્રિક વિધિ કરતા હતા. તાંત્રિક વિધિમાં હવન કુંડમાં કમળ પૂજા કરવા માટે પોતે જ લોખંડનો માચડો બનાવ્યો હતો. જ્યાં તાંત્રિક વિધિ કરવામાં આવી હતી. ત્યાં બે સ્યૂસાઈટ નોંટ લટકાવેલી હતી અને તેની બાજૂમાં 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો.


શા માટે સ્વ બલિ ચડાવ્યો?


દંપતીના મૃતદેહો પાસેથી મળી આવેલી બે સ્યૂસાઈડ નોટમાં લખ્યું છેકે, અમે બન્ને અમારી હાથે અમારા રાજીપે અમારા હાથે જીવન ત્યાગ કરીએ છીએ. મારા ઘરના હંસાબેનને મજા રહેતી નથી. અમારા ભાઈએ, અમારા બાપુજીએ અને અમારા બેને પણ કોઇ દિવસ અમને કંઇ કહ્યું નથી. એટલે એમની કોઇપણ જાતની પૂછપરછ કરતા નહીં. મારા સાસુ-સસરા પણ અમને ક્યારેય અડચણ ઉભી કરી નથી.એટલે કોઇપણ પ્રકારની પૂછપરછ કરતા નહીં. તમે ભાઈ હારે રહેજો અને મા-બાપનું ધ્યાન રાખજો. મારા છોકરાનું અને મારી છોકરીનું ધ્યાન રાખજો.મને મારા ભાઇઓ પર ભરોસો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.