જસદણના વિંછીયામાં બની હ્રદયદ્રાવક ઘટના, દંપતીએ મસ્તક કાપી હવન કુંડમાં હોમ્યું


  • Published By :
  • Published Date : 2023-04-16 20:08:16

રાજ્યમાં અંધશ્રદ્ધામાં અંધ બનીને આત્મ બલિદાન કરનારા દંપતીની હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના જસદણના વિંછીયામાં કમળ પૂજા કરનારા પતિ-પત્નીએ પોતાનું મસ્તક કાપીને હવનકુંડમાં હોમી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને વિંછીયાના મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને બંને મૃતકોની બે પાનાની સ્યૂસાઈડ નોટ પણ મળી છે.


રાત્રે તાંત્રિકવિધિ કરી હતી


જસદણના વિંછીયામાં રહેતા હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેમના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ રાત્રે તાંત્રિક વિધિ કરી હતી. તાંત્રિક વિધિ પત્યા બંનેએ કમળ પૂજા કરી દીધી હતી. દંપતીએ રાત્રે તાંત્રિક વિધિની પૂજા કરીને હવનમાં કુંડમાં તેમના મસ્તકને હોમી દીધું હતું. હજુ આ મામલે કોઈ સત્તાવાર પોલીસે માહિતી આપી હતી. પતિ-પત્ની બંનેએ આ ઘટનાના આગળના દિવસે દીકરા દીકરીને તેના મામાના ઘેર મુકી આવ્યા હતા. ત્યાર બાદ રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરી હતી. 


3 વર્ષથી કરતા હતા તાંત્રિક વિધિ


મૃતક હેમુભાઈના પિતાએ આ અંગે જણાવ્યું હતું કે, પતિ-પત્ની છેલ્લા ત્રણ વર્ષથી ખેતરમાં તાંત્રિક વિધિ કરતા હતા. તાંત્રિક વિધિમાં હવન કુંડમાં કમળ પૂજા કરવા માટે પોતે જ લોખંડનો માચડો બનાવ્યો હતો. જ્યાં તાંત્રિક વિધિ કરવામાં આવી હતી. ત્યાં બે સ્યૂસાઈટ નોંટ લટકાવેલી હતી અને તેની બાજૂમાં 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો.


શા માટે સ્વ બલિ ચડાવ્યો?


દંપતીના મૃતદેહો પાસેથી મળી આવેલી બે સ્યૂસાઈડ નોટમાં લખ્યું છેકે, અમે બન્ને અમારી હાથે અમારા રાજીપે અમારા હાથે જીવન ત્યાગ કરીએ છીએ. મારા ઘરના હંસાબેનને મજા રહેતી નથી. અમારા ભાઈએ, અમારા બાપુજીએ અને અમારા બેને પણ કોઇ દિવસ અમને કંઇ કહ્યું નથી. એટલે એમની કોઇપણ જાતની પૂછપરછ કરતા નહીં. મારા સાસુ-સસરા પણ અમને ક્યારેય અડચણ ઉભી કરી નથી.એટલે કોઇપણ પ્રકારની પૂછપરછ કરતા નહીં. તમે ભાઈ હારે રહેજો અને મા-બાપનું ધ્યાન રાખજો. મારા છોકરાનું અને મારી છોકરીનું ધ્યાન રાખજો.મને મારા ભાઇઓ પર ભરોસો છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે