Supreme Courtએ Electoral Bondને લઈ અપનાવ્યું કડક વલણ, સુનાવણી દરમિયાન કાઢી SBIની ઝાટકણી, જાણો કોર્ટ રૂમમાં કોણે શું કરી દલીલ?


  • Published By :
  • Published Date : 2024-03-12 11:33:37

અનેક મુદ્દાઓને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવામાં આવી રહ્યું છે. અનેક એવા ચૂકાદા દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવી રહ્યા છે જે ચર્ચાનો વિષય બની રહ્યા છે. અનેક એવા ચૂકાદા છે જેમાં ચર્ચા થવી જોઈએ પરંતુ આજે વાત કરવી છે ચૂંટણી બોન્ડની. ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા એસબીઆઈ માટે કડક વલણ અપનાવામાં આવ્યું હતું. ચૂંટણી બોન્ડને લઈ એસબીઆઈને ડેટા સબ્મિટ કરવાનો હતો પરંતુ બેન્ક દ્વારા વધુ સમય આપવામાં આવે તેવી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. ડેટા આપવા માટે આજ સુધીનો સમય આપવામાં આવ્યો છે. 


સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી દલીલ જે રસપ્રદ હતી!

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અરજી પર સુપ્રીમ કોર્ટે 11 માર્ચે પોતાનો ચુકાદો આપ્યો છે. SBIએ ભારતના ચૂંટણી પંચ ECIને ઈલેક્ટોરલ બોન્ડની માહિતી આપવાની સમયમર્યાદા 30 જૂન સુધીનો આપવામાં આવે તે માટે અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે સમય મર્યાદા લંબાવવાનો ઈન્કાર કરી દીધો. આ વાત તો તમે જાણતા હશે પરંતુ સુપ્રીમ કોર્ટમાં જે દલીલો કરવામાં આવી તે ખુબ રસપ્રદ હતી. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે SBIની અરજી ફગાવી દીધી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે SBIએ 12 માર્ચ સુધીમાં આ ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત માહિતી જાહેર કરવી પડશે. ECI તેને 15 માર્ચે સાંજે 5 વાગ્યા પહેલા તેની વેબસાઈટ પર કમ્પાઈલ કરીને પ્રકાશિત કરશે.



કોને શું કરી દલીલ? 

આ કેસમાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય ચંદ્રચુડએ કહ્યું છે કે,SBIએ જે અગાઉ submission આપ્યા તેમાં  SBI પાસે માહિતી તૈયાર જ છે એટલે એસબીઆઈની ૩૦ જૂનની તારીખની અરજી ફગાવી દેવામાં આવે છે . તો આ તરફ SBIના વકીલ હરીશ સાલ્વે એ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા કીધું હતું કે , અમારે માહિતીને ક્રમવાર ગોઠવવાની છે , તે માટે આ આખી પ્રક્રિયાને રીવર્સ કરવી પડશે , એક બેંક તરીકે અમને આ તમામ માહિતીને ગુપ્ત રાખવાનું કહેવામાં આવ્યું હતું .


એસબીઆઈને આપી હતી છેલ્લી તારીખ ડેટા સબમીટ કરવા માટે!

ત્યારે જસ્ટિસ સંજીવ ખન્નાએ એવું કીધું હતું કે, તમારે ખાલી sealed કવરને ઓપન કરી માહિતીને ક્રમવાર ગોઠવવાની રહેશે , અને તેનો ખુલાસો કરવાનો રહેશે . ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયાને પણ એક sealed એન્વેલોપમાં માહિતી કોર્ટમાં જમા કરાવવાનું કેહવામાં આવ્યું છે . આ તરફ આપને કહી દઈએ કે ફેબ્રુઆરીની ૧૫ તારીખે નામદાર સુપ્રીમ કોર્ટે ભારત સરકારની આ ઈલેક્ટોરિયલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ગણાવી બંધ કરી દીધી હતી , અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને માર્ચની  ૬ તારીખ સુધીમાં આ તમામ ઈલેક્ટોરિયલ બોન્ડની માહિતી ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાને જમા કરાવવાનું કીધું હતું , 


આજ સાંજ સુધીમાં એસબીઆઈને કરવો પડશે ખુલાસો

ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાને માર્ચની ૧૩ તારીખ સુધીમાં આ બધી જ માહિતી પોતાની વેબસાઈટ પર રજુ કરવાનું કીધું હતું. આ બાજુ સી.જે.આઈ ચંદ્રચુડે વધુ ટિપ્પણી કરતા કીધું હતું કે ઈલેક્ટોરિયલ બોન્ડ યોજનાની કલમ ૭ અને પેટ કલમ ૪માં એવું કહેવામાં આવ્યું છે કે આ યોજનાની તમામ માહિતી સ્ટેટે બેંક ઓફ ઈન્ડિયા પાસે રહેશે. અને જ્યારે કોઈ પણ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સી આ માહિતીને રજુ કરવાનું કહે ત્યારે SBIએ તેનો ખુલાસો કરવો જ પડશે .  



આવો સમજીએ કે ELECTORAL બોન્ડ scheme છે શું ?

આ ઈલેક્ટોરલ બોન્ડ યોજના તત્કાલીન ભારત સરકારના નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ૨૦૧૭ના બજેટમાં જાહેર કરવામાં આવી. આ માટેનું નોટિફિકેશન ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ નાણાં મંત્રાલય દ્વારા બહાર પડાયું છે. ફેબ્રુઆરી ૧૫ સુધી એટલે કે જ્યાં સુધી સુપ્રીમે કોર્ટનો આદેશ નહોતો આવ્યો ત્યાં સુધી તેને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જ issue એટલે કે આપી શક્તિ હતી. આ બોન્ડ ૧૦૦૦ના ગુણાંકમાં જ છાપી શકાય છે , તેની પર કોઈ પણ પ્રકારના મહત્તમ મૂલ્યની મર્યાદા નથી . આ બોન્ડ તમે દરેક નાણાકીય એટલકે financial quarterના પેહલા મહિનાના ૧૦ દિવસ માટેજ ખરીદી શકો છો. 


એક જ રાજકીય પક્ષને આપી શકાય છે!

જેમ કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબર. પરંતુ લોકસભાની ચૂંટણીઓના વર્ષમાં આ બોન્ડ બીજા ૩૦ દિવસ માટે પણ SBI દ્વારા વહેંચી શકાય છે . આ બોન્ડ તમે કાંતો ૧ વ્યક્તિ અથવા ભાગીદારીમાં પણ ખરીદી શકતા હતા. અહીં એક વાતની ચોક્કસ નોંધ લેવી રહી કે, આ બોન્ડ એ જ રાજકીય પક્ષોને તમે આપી શકો છે જે , Representation ઓફ પિપલ એક્ટ , ૧૯૫૧ અંતર્ગત રજીસ્ટર હોય અને આ પાર્ટીઓને છેલ્લી લોકસભા અને વિધાન સભામાં ૧ ટકા કરતા વધુ મત મળેલા હોવા જોઈએ . હવે વાત કરીએ કે જ્યારે સરકાર આ યોજના લઈને આવી ત્યારે તેમણે એવો તર્ક આપ્યો હતો કે , આ યોજના રાજકીય ભંડોળમાં પારદર્શિતા લાવવા માટે છે , ઉપરાંત આનાથી કાલા નાણાંનું કદ ઘટશે , અને દાન કરનારને right to Privacy એટલેકે ગોપ્નીયતાનો અધિકાર આપે  છે . 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.