સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, ભાજપ શાસિત રાજ્યો સામે કડક કાર્યવાહી કેમ નથી કરતા?


  • Published By :
  • Published Date : 2023-07-25 18:35:42

સુપ્રીમ કોર્ટે આજે એક કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે ભાજપ શાસિત રાજ્યો સામે કડક વલણ અપનાવવામાં નિષ્ફળ રહેવા બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે કડક ટિપ્પણી કરી હતી. નાગાલેન્ડમાં મહિલા અનામત સંબંધિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે રાજ્યમાં મહિલાઓ માટે અનામત કેમ લાગુ કરવામાં આવી નથી? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે, તમે તમારા જ પક્ષની રાજ્ય સરકારો સામે પગલાં કેમ નથી લેતા? 


સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કર્યા આકરા સવાલ


સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું- તમે અન્ય રાજ્ય સરકારો સામે કડક વલણ અપનાવો છો જે તમારા માટે જવાબદેહ નથી, પરંતુ જ્યાં તમારી પાર્ટી સત્તામાં છે ત્યાં તમે કંઈ કરતા નથી. સુપ્રીમ કોર્ટે નાગાલેન્ડની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મહિલાઓ માટે 33% અનામતનો અમલ ન કરવા બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું હતું કે 'નાગાલેન્ડની વિશેષ સ્થિતિના બહાને કેન્દ્રીય જોગવાઈના અમલને ટાળી શકાય નહીં'.


નાગાલેન્ડે નાગરિક ચૂંટણીઓ રદ કરી હતી


નાગાલેન્ડ વિધાનસભાએ આદિવાસી અને સામાજિક સંગઠનોના દબાણ પછી મ્યુનિસિપલ એક્ટને રદ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ન કરાવવાનો ઠરાવ કર્યો હતો. સ્થાનિક નાગા આદિવાસી જૂથોનું કહેવું છે કે મહિલાઓ માટે 33% અનામત બંધારણની કલમ 371(A)નું ઉલ્લંઘન છે, જે નાગાલેન્ડને વિશેષ દરજ્જો આપે છે અને તેની આદિવાસી સંસ્કૃતિ સાથે ચેડા કરી શકાય નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે, દેશના અન્ય તમામ રાજ્યોમાં, ભારતના બંધારણની કલમ 243 (T) હેઠળ, મહિલાઓને નાગરિક ચૂંટણીઓમાં 33 ટકા અનામત છે, પરંતુ નાગાલેન્ડમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો કાયદો હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.