સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, ભાજપ શાસિત રાજ્યો સામે કડક કાર્યવાહી કેમ નથી કરતા?


  • Published By :
  • Published Date : 2023-07-25 18:35:42

સુપ્રીમ કોર્ટે આજે એક કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે ભાજપ શાસિત રાજ્યો સામે કડક વલણ અપનાવવામાં નિષ્ફળ રહેવા બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે કડક ટિપ્પણી કરી હતી. નાગાલેન્ડમાં મહિલા અનામત સંબંધિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે રાજ્યમાં મહિલાઓ માટે અનામત કેમ લાગુ કરવામાં આવી નથી? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે, તમે તમારા જ પક્ષની રાજ્ય સરકારો સામે પગલાં કેમ નથી લેતા? 


સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કર્યા આકરા સવાલ


સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું- તમે અન્ય રાજ્ય સરકારો સામે કડક વલણ અપનાવો છો જે તમારા માટે જવાબદેહ નથી, પરંતુ જ્યાં તમારી પાર્ટી સત્તામાં છે ત્યાં તમે કંઈ કરતા નથી. સુપ્રીમ કોર્ટે નાગાલેન્ડની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મહિલાઓ માટે 33% અનામતનો અમલ ન કરવા બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું હતું કે 'નાગાલેન્ડની વિશેષ સ્થિતિના બહાને કેન્દ્રીય જોગવાઈના અમલને ટાળી શકાય નહીં'.


નાગાલેન્ડે નાગરિક ચૂંટણીઓ રદ કરી હતી


નાગાલેન્ડ વિધાનસભાએ આદિવાસી અને સામાજિક સંગઠનોના દબાણ પછી મ્યુનિસિપલ એક્ટને રદ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ન કરાવવાનો ઠરાવ કર્યો હતો. સ્થાનિક નાગા આદિવાસી જૂથોનું કહેવું છે કે મહિલાઓ માટે 33% અનામત બંધારણની કલમ 371(A)નું ઉલ્લંઘન છે, જે નાગાલેન્ડને વિશેષ દરજ્જો આપે છે અને તેની આદિવાસી સંસ્કૃતિ સાથે ચેડા કરી શકાય નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે, દેશના અન્ય તમામ રાજ્યોમાં, ભારતના બંધારણની કલમ 243 (T) હેઠળ, મહિલાઓને નાગરિક ચૂંટણીઓમાં 33 ટકા અનામત છે, પરંતુ નાગાલેન્ડમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો કાયદો હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .