મણિપુર મામલે સુપ્રીમ કોર્ટની લાલઆંખ, CJIએ કહ્યું "જો સરકાર પગલા નહીં લે તો અમે કાર્યવાહી કરીશું"


  • Published By :
  • Published Date : 2023-07-20 15:52:40

મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓ સાથે જાહેર નિર્વસ્ત્ર પરેડ કરાવવાની ઘટનાને લઈને દેશભરમાં ગુસ્સો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્વત: સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે મણિપુરમાં કુકી જનજાતિની મહિલાઓની નગ્ન પરેડને લઈને ચિતિંત છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડે કહ્યું કે, કોર્ટ આ વીડિયોથી ખૂબ જ વ્યથિત છે અને જો સરકાર કોઈ એક્શન નહીં લે તો તે કાર્યવાહી કરશે. "જે થયું તે અસ્વીકાર્ય છે. સાંપ્રદાયિક ઝઘડાના ક્ષેત્રમાં મહિલાઓનો એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેનાથી અમે ખૂબ જ વ્યથિત છીએ. મુખ્ય ન્યાયાધીશે તે પણ કહ્યું કે આ બંધારણીય અધિકારોનું હનન છે, જો સરકાર આ મામલે પગલા નહીં લે તો અમે કાર્યવાહી કરીશું."

 

ગુનેગારો સામે સત્વરે પગલા ભરો


દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને મનોજ મિશ્રાની પણ બેંચે ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારએ ગુનેગારોને પકડવા માટે લીધેલા પગલાં અંગે જવાબ માંગ્યો હતો."અમારું માનવું છે કે અદાલતને સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે જાણ કરવી જોઈએ જેથી કરીને આવી હિંસા માટે ગુનેગારો સામે કેસ કરવામાં આવે. મીડિયા અને વિઝ્યુઅલ્સમાં જે દર્શાવવામાં આવ્યું છે તે ગંભીર બંધારણીય ઉલ્લંઘન અને મહિલાઓને દુષ્કૃત્ય હિંસાના સાધન તરીકે ઉપયોગ કરીને માનવ જીવનનું ઉલ્લંઘન દર્શાવે છે. તે બંધારણીય લોકશાહીની વિરુદ્ધ છે. આ અંગે જે પગલાં લેવામાં આવ્યા છે, તે અંગે અમને જાણ કરવામાં આવે."


4 મેના રોજ બની હતી ઘટના


મણિપુરમાં હાલ જાતિય હિંસા ભડકેલી છે, પરંતું એક વીડિઓને લઈને મણિપુરના પહાડી વિસ્તારોમાં તંગદીલી ફેલાઈ ગઈ છે. જેમાં બે મહિલાઓને નગ્ન કરીને તેમની પરેડ કરાવવામાં આવી હતી. રિપોર્ટ મુજબ આ વીડિયો 4 મેનો છે, અને બંને મહિલાઓ કુકી સમુદાયની છે. જે લોકો મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવી રહ્યા છે તે તમામ મૈતઈ સમુદાયના છે. આદિવાસી સંગઠન ઈંડિજિનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે દોષિતો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.