મણિપુર મામલે સુપ્રીમ કોર્ટની લાલઆંખ, CJIએ કહ્યું "જો સરકાર પગલા નહીં લે તો અમે કાર્યવાહી કરીશું"


  • Published By :
  • Published Date : 2023-07-20 15:52:40

મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓ સાથે જાહેર નિર્વસ્ત્ર પરેડ કરાવવાની ઘટનાને લઈને દેશભરમાં ગુસ્સો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્વત: સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે મણિપુરમાં કુકી જનજાતિની મહિલાઓની નગ્ન પરેડને લઈને ચિતિંત છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડે કહ્યું કે, કોર્ટ આ વીડિયોથી ખૂબ જ વ્યથિત છે અને જો સરકાર કોઈ એક્શન નહીં લે તો તે કાર્યવાહી કરશે. "જે થયું તે અસ્વીકાર્ય છે. સાંપ્રદાયિક ઝઘડાના ક્ષેત્રમાં મહિલાઓનો એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેનાથી અમે ખૂબ જ વ્યથિત છીએ. મુખ્ય ન્યાયાધીશે તે પણ કહ્યું કે આ બંધારણીય અધિકારોનું હનન છે, જો સરકાર આ મામલે પગલા નહીં લે તો અમે કાર્યવાહી કરીશું."

 

ગુનેગારો સામે સત્વરે પગલા ભરો


દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને મનોજ મિશ્રાની પણ બેંચે ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારએ ગુનેગારોને પકડવા માટે લીધેલા પગલાં અંગે જવાબ માંગ્યો હતો."અમારું માનવું છે કે અદાલતને સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે જાણ કરવી જોઈએ જેથી કરીને આવી હિંસા માટે ગુનેગારો સામે કેસ કરવામાં આવે. મીડિયા અને વિઝ્યુઅલ્સમાં જે દર્શાવવામાં આવ્યું છે તે ગંભીર બંધારણીય ઉલ્લંઘન અને મહિલાઓને દુષ્કૃત્ય હિંસાના સાધન તરીકે ઉપયોગ કરીને માનવ જીવનનું ઉલ્લંઘન દર્શાવે છે. તે બંધારણીય લોકશાહીની વિરુદ્ધ છે. આ અંગે જે પગલાં લેવામાં આવ્યા છે, તે અંગે અમને જાણ કરવામાં આવે."


4 મેના રોજ બની હતી ઘટના


મણિપુરમાં હાલ જાતિય હિંસા ભડકેલી છે, પરંતું એક વીડિઓને લઈને મણિપુરના પહાડી વિસ્તારોમાં તંગદીલી ફેલાઈ ગઈ છે. જેમાં બે મહિલાઓને નગ્ન કરીને તેમની પરેડ કરાવવામાં આવી હતી. રિપોર્ટ મુજબ આ વીડિયો 4 મેનો છે, અને બંને મહિલાઓ કુકી સમુદાયની છે. જે લોકો મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવી રહ્યા છે તે તમામ મૈતઈ સમુદાયના છે. આદિવાસી સંગઠન ઈંડિજિનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે દોષિતો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.