મણિપુર મામલે સુપ્રીમ કોર્ટની લાલઆંખ, CJIએ કહ્યું "જો સરકાર પગલા નહીં લે તો અમે કાર્યવાહી કરીશું"


  • Published By :
  • Published Date : 2023-07-20 15:52:40

મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓ સાથે જાહેર નિર્વસ્ત્ર પરેડ કરાવવાની ઘટનાને લઈને દેશભરમાં ગુસ્સો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્વત: સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે મણિપુરમાં કુકી જનજાતિની મહિલાઓની નગ્ન પરેડને લઈને ચિતિંત છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડે કહ્યું કે, કોર્ટ આ વીડિયોથી ખૂબ જ વ્યથિત છે અને જો સરકાર કોઈ એક્શન નહીં લે તો તે કાર્યવાહી કરશે. "જે થયું તે અસ્વીકાર્ય છે. સાંપ્રદાયિક ઝઘડાના ક્ષેત્રમાં મહિલાઓનો એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેનાથી અમે ખૂબ જ વ્યથિત છીએ. મુખ્ય ન્યાયાધીશે તે પણ કહ્યું કે આ બંધારણીય અધિકારોનું હનન છે, જો સરકાર આ મામલે પગલા નહીં લે તો અમે કાર્યવાહી કરીશું."

 

ગુનેગારો સામે સત્વરે પગલા ભરો


દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને મનોજ મિશ્રાની પણ બેંચે ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારએ ગુનેગારોને પકડવા માટે લીધેલા પગલાં અંગે જવાબ માંગ્યો હતો."અમારું માનવું છે કે અદાલતને સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે જાણ કરવી જોઈએ જેથી કરીને આવી હિંસા માટે ગુનેગારો સામે કેસ કરવામાં આવે. મીડિયા અને વિઝ્યુઅલ્સમાં જે દર્શાવવામાં આવ્યું છે તે ગંભીર બંધારણીય ઉલ્લંઘન અને મહિલાઓને દુષ્કૃત્ય હિંસાના સાધન તરીકે ઉપયોગ કરીને માનવ જીવનનું ઉલ્લંઘન દર્શાવે છે. તે બંધારણીય લોકશાહીની વિરુદ્ધ છે. આ અંગે જે પગલાં લેવામાં આવ્યા છે, તે અંગે અમને જાણ કરવામાં આવે."


4 મેના રોજ બની હતી ઘટના


મણિપુરમાં હાલ જાતિય હિંસા ભડકેલી છે, પરંતું એક વીડિઓને લઈને મણિપુરના પહાડી વિસ્તારોમાં તંગદીલી ફેલાઈ ગઈ છે. જેમાં બે મહિલાઓને નગ્ન કરીને તેમની પરેડ કરાવવામાં આવી હતી. રિપોર્ટ મુજબ આ વીડિયો 4 મેનો છે, અને બંને મહિલાઓ કુકી સમુદાયની છે. જે લોકો મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવી રહ્યા છે તે તમામ મૈતઈ સમુદાયના છે. આદિવાસી સંગઠન ઈંડિજિનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે દોષિતો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .