ગુજરાત સરકારને સુપ્રીમે આપ્યો મોટો ઝટકો, બિલકિસ બાનો કેસના દોષિતો સામે સુનાવણી શરૂ કરશે


  • Published By :
  • Published Date : 2023-03-22 18:35:11

સુપ્રીમ કોર્ટથી 2020ના ગોધરા રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો સાથે થયેલા બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યા કરનારા 11 દોષિતોને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોની સમયથી પહેલા મુક્તિને પડકારનારી અરજીઓ પર સુનાવણી માટે રાજી થઈ ગઈ છે. તે માટે એક બેંચની રચના કરવા માટે પણ સંમત થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે 15 ઓગસ્ટે દોષિતોને સમયથી પહેલા જેલમાંથી મુક્તી આપવામાં આવી હતી.


દોષિતો સામે અનેક અરજીઓ


પીડિતા બિલકિસ બાનો વતી સુપ્રીમ કોર્ટમાં તમામ ગુનેગારોની મુક્તિ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં તમામ દોષિતોને પાછા જેલમાં મોકલવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક અરજીમાં પણ સુપ્રીમ કોર્ટને તેના જૂના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને દોષિતોની મુક્તિ અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. બિલકિસ બાનો તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે સમગ્ર કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર તેના પર કેવી રીતે નિર્ણય લઈ શકે?


શું છે સમગ્ર મામલો?


ગુજરાતમાં  ગોધરાકાંડ પછી 3 માર્ચ 2002ના રોજ રમખાણો ફાટી નીકળ્યા હતા. આ દરમિયાન દાહોદના લીમખેડા જિલ્લાના રંધિકપુર ખાતે બિલ્કીસ બાનોના ઘરમાં ટોળું ઘુસી ગયું હતું. તોફાનીઓથી બચવા માટે બિલ્કીસ ખેતરમાં છુપાઈ ગઈ હતી. તોફાનીઓએ બિલ્કીસ બાનો અને તેની માતા સહિત અન્ય ત્રણ મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો. તે સમયે બિલકિસ બાનો 21 વર્ષની હતી. જ્યારે તેની સાથે આ ઘટના બની ત્યારે તે 5 મહિનાની ગર્ભવતી પણ હતી. એટલું જ નહીં, તોફાનીઓએ બિલકિસ બાનોના પરિવારના 7 લોકોની પણ હત્યા કરી હતી. આ હુમલામાં 6 લોકો પણ ગુમ થયા હતા, જેમનો કોઈ અતોપતો મળ્યો નથી.


11 લોકોને સજા કરવામાં આવી હતી


CBIએ આ કેસમાં 11 લોકોની ધરપકડ કરી હતી. જેમને CBIની સ્પેશિયલ કોર્ટે 2008માં દોષિત ઠેરવ્યા હતા. તમામ દોષિતોને શરૂઆતમાં મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા, જો કે બાદમાં તેમને ગોધરાની જેલમાં ખસેડવામાં આવ્યા હતા. ગયા વર્ષે તમામ દોષિતોને તેમની સજા પૂરી થાય તે પહેલા જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, ગુનેગારોને મુક્ત કર્યા બાદ તેમનું પુષ્પહાર કરીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.