ગુજરાત સરકારને સુપ્રીમે આપ્યો મોટો ઝટકો, બિલકિસ બાનો કેસના દોષિતો સામે સુનાવણી શરૂ કરશે


  • Published By :
  • Published Date : 2023-03-22 18:35:11

સુપ્રીમ કોર્ટથી 2020ના ગોધરા રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો સાથે થયેલા બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યા કરનારા 11 દોષિતોને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોની સમયથી પહેલા મુક્તિને પડકારનારી અરજીઓ પર સુનાવણી માટે રાજી થઈ ગઈ છે. તે માટે એક બેંચની રચના કરવા માટે પણ સંમત થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે 15 ઓગસ્ટે દોષિતોને સમયથી પહેલા જેલમાંથી મુક્તી આપવામાં આવી હતી.


દોષિતો સામે અનેક અરજીઓ


પીડિતા બિલકિસ બાનો વતી સુપ્રીમ કોર્ટમાં તમામ ગુનેગારોની મુક્તિ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં તમામ દોષિતોને પાછા જેલમાં મોકલવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક અરજીમાં પણ સુપ્રીમ કોર્ટને તેના જૂના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને દોષિતોની મુક્તિ અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. બિલકિસ બાનો તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે સમગ્ર કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર તેના પર કેવી રીતે નિર્ણય લઈ શકે?


શું છે સમગ્ર મામલો?


ગુજરાતમાં  ગોધરાકાંડ પછી 3 માર્ચ 2002ના રોજ રમખાણો ફાટી નીકળ્યા હતા. આ દરમિયાન દાહોદના લીમખેડા જિલ્લાના રંધિકપુર ખાતે બિલ્કીસ બાનોના ઘરમાં ટોળું ઘુસી ગયું હતું. તોફાનીઓથી બચવા માટે બિલ્કીસ ખેતરમાં છુપાઈ ગઈ હતી. તોફાનીઓએ બિલ્કીસ બાનો અને તેની માતા સહિત અન્ય ત્રણ મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો. તે સમયે બિલકિસ બાનો 21 વર્ષની હતી. જ્યારે તેની સાથે આ ઘટના બની ત્યારે તે 5 મહિનાની ગર્ભવતી પણ હતી. એટલું જ નહીં, તોફાનીઓએ બિલકિસ બાનોના પરિવારના 7 લોકોની પણ હત્યા કરી હતી. આ હુમલામાં 6 લોકો પણ ગુમ થયા હતા, જેમનો કોઈ અતોપતો મળ્યો નથી.


11 લોકોને સજા કરવામાં આવી હતી


CBIએ આ કેસમાં 11 લોકોની ધરપકડ કરી હતી. જેમને CBIની સ્પેશિયલ કોર્ટે 2008માં દોષિત ઠેરવ્યા હતા. તમામ દોષિતોને શરૂઆતમાં મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા, જો કે બાદમાં તેમને ગોધરાની જેલમાં ખસેડવામાં આવ્યા હતા. ગયા વર્ષે તમામ દોષિતોને તેમની સજા પૂરી થાય તે પહેલા જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, ગુનેગારોને મુક્ત કર્યા બાદ તેમનું પુષ્પહાર કરીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.