સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, લગ્નના ભંગાણની સ્થિતિમાં, છુટાછેડા માટે 6 મહિના રાહ જોવાની જરૂર નથી


  • Published By :
  • Published Date : 2023-05-01 15:15:21

સુપ્રીમ કોર્ટે પતિ-પત્નીના સંબંધોને લઈને મહત્વની ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે જો સંબંધોમાં આવેલી તીરાડ વધી રહી હોય તો આવી સ્થિતીમાં સાથે રહેવાનો કોઈ  મતલબ નથી. એટલા માટે જીવનસાથીઓ વચ્ચે પડેલી તિરાડ ન ભરાય તો લગ્નને 6 મહિના પહેલા પણ ફોક કરી શકાય છે. લગ્નના ભંગાણની સ્થિતિમાં, સુપ્રીમ કોર્ટ તેના વતી સીધા છૂટાછેડાનો આદેશ આપી શકે છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે 6 મહિનાની રાહ જોવાની કાનૂની જવાબદારી પણ આવી સ્થિતિમાં જરૂરી રહેશે નહીં. 


કલમ 142  હેઠળ મળ્યા છે વિશેષાધિકાર


સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ એસ કે કૌલની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બેન્ચે સોમવારે કહ્યું કે સર્વોચ્ચ અદાલતને બંધારણની કલમ 142 હેઠળ સંપુર્ણ ન્યાય કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે તે કલમ 142  હેઠળ આપવામાં આવેલી વિશેષાધિકારનો ઉપયોગ કરીને પતિ-પત્નીની પરસ્પર સહમતીથી લગ્ન ફોક કરી શકે છે. બેન્ચે કહ્યું કે દંપતિના લગ્નને સમાપ્ત કરવા માટે હવે 6 મહિનાની રાહ જોવી પડશે નહીં. કલમ 142માં એવી જોગવાઈ છે કે ન્યાયના હિતમાં સુપ્રીમ કોર્ટ કાનૂની ઔપચારિકતાને બાયપાસ કરીને કોઈ પણ આદેશ પસાર કરી શકે છે.


કોર્ટમાં છૂટાછેડાના કેસનો થઈ રહ્યો છે ભરાવો


હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 13-બીમાં જોગવાઈ છે કે જો પતિ-પત્ની પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી શકે છે. પરંતુ ફેમિલી કોર્ટમાં કેસોની સંખ્યા વધુ હોવાને કારણે અરજી જજ સમક્ષ સુનાવણી માટે આવવામાં સમય લાગે છે. આ પછી છૂટાછેડાનો પહેલો પ્રસ્તાવ જારી કરવામાં આવે છે, પરંતુ બીજી દરખાસ્ત એટલે કે છૂટાછેડાનો ઔપચારિક હુકમ મેળવવા માટે 6 મહિના સુધી રાહ જોવી પડે છે.


પાંચ જજોની બેન્ચે આપ્યો ચુકાદો


વર્ષ 2016માં છુટાછેડાનો આ કેસ 5 જજોની બંધારણીય બેંચને મોકલવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2022માં જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, એએસ ઓકા, વિક્રમ નાથ અને જેકે મહેશ્વરીએ આ મામલાની સુનાવણી કરી અને હવે બેન્ચનો નિર્ણય આવી ગયો છે. ન્યાયાધીશોએ સ્વીકાર્યું છે કે બંધારણમાં કલમ 142ની જોગવાઈ કરવામાં આવી છે જેથી સુપ્રીમ કોર્ટ લોકોના અધિકારોની સુરક્ષા માટે આદેશ આપી શકે.


6 મહિનાની બાધ્યતા ખતમ


જસ્ટિસ સંજીવ ખન્નાએ બેંચનો ચુકાદો વાંચતા કહ્યું કે જ્યારે લગ્ન ચાલુ રાખવું અશક્ય છે તો સુપ્રીમ કોર્ટ પણ સીધા છૂટાછેડાનો આદેશ આપી શકે છે. પરસ્પર સંમતિથી છૂટાછેડાના કિસ્સામાં 6 મહિનાની રાહ જોવાની કાયદાકીય જોગવાઈ પણ આવા કિસ્સાઓમાં લાગુ થશે નહીં. સુપ્રીમ કોર્ટે તેના વિગતવાર નિર્ણયમાં તે પરિસ્થિતિઓનો પણ ઉલ્લેખ કર્યો છે જ્યારે તે છૂટાછેડાના કેસમાં દખલ કરી શકે છે. આ સાથે જ ભરણપોષણ અને બાળકોના ઉછેર અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.