લ્યો બોલો, સુપ્રીમ કોર્ટે કુતરા કરડવાથી કેટલા લોકોના મોત થયા તે અંગે માંગ્યો રિપોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:35:46

દેશમાં કૂતરા કરડવાથી થતા મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચિંતા વ્યક્ત કરી હતી. સર્વોચ્ચ અદાલતે એનિમલ વેલ્ફેર બોર્ડને છેલ્લા 7 વર્ષમાં કૂતરા કરડવાથી થયેલા મૃત્યુનો ડેટા રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટે તેને રોકવા માટે લીધેલા પગલાનો હિસાબ પણ માંગ્યો છે. આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે અમે જાણવા માંગીએ છીએ કે કેટલા રાજ્યોમાં કૂતરા કરડવાથી લોકોના મોત થયા છે અને કેટલા લોકો ઘાયલ થયા છે. કોર્ટે એ પણ પૂછ્યું કે શું આ માટે ગાઈડલાઈન્સ ઘડવાની જરૂર છે.


કોર્ટે કેરળમાં કૂતરાના કરડવાથી થયેલા મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી


સુપ્રીમ કોર્ટે આ વર્ષે કેરળમાં કૂતરાના કરડવાથી થયેલા મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે કેરળમાં આ વર્ષે આવા કેસમાં વધારો થયો છે. આપણે બધા કૂતરાઓને પ્રેમ કરીએ છીએ પરંતુ જો રખડતા કૂતરાના કરડવાથી સમસ્યા સર્જાય તો આપણે તેનો ઉકેલ શોધવાની જરૂર છે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે જેઓ રખડતા કૂતરાઓને ખવડાવતા હોય છે, તે લોકો પર રસીકરણ અને સારવારનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કૂતરા કરડવાની સમસ્યા હવે સમગ્ર દેશ માટે સમસ્યા બની ગઈ છે. આપણે આ સમસ્યાનો રાજ્યવાર ઉકેલ શોધવો પડશે. આ મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ ગવઈએ અવલોકન કર્યું કે તે પ્રદેશ સંબંધિત સમસ્યા હોઈ શકે છે પરંતુ મુંબઈ અને હિમાચલ પ્રદેશની સ્થિતિ કેરળથી સંપૂર્ણપણે અલગ છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .