લ્યો બોલો, સુપ્રીમ કોર્ટે કુતરા કરડવાથી કેટલા લોકોના મોત થયા તે અંગે માંગ્યો રિપોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:35:46

દેશમાં કૂતરા કરડવાથી થતા મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચિંતા વ્યક્ત કરી હતી. સર્વોચ્ચ અદાલતે એનિમલ વેલ્ફેર બોર્ડને છેલ્લા 7 વર્ષમાં કૂતરા કરડવાથી થયેલા મૃત્યુનો ડેટા રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટે તેને રોકવા માટે લીધેલા પગલાનો હિસાબ પણ માંગ્યો છે. આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે અમે જાણવા માંગીએ છીએ કે કેટલા રાજ્યોમાં કૂતરા કરડવાથી લોકોના મોત થયા છે અને કેટલા લોકો ઘાયલ થયા છે. કોર્ટે એ પણ પૂછ્યું કે શું આ માટે ગાઈડલાઈન્સ ઘડવાની જરૂર છે.


કોર્ટે કેરળમાં કૂતરાના કરડવાથી થયેલા મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી


સુપ્રીમ કોર્ટે આ વર્ષે કેરળમાં કૂતરાના કરડવાથી થયેલા મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે કેરળમાં આ વર્ષે આવા કેસમાં વધારો થયો છે. આપણે બધા કૂતરાઓને પ્રેમ કરીએ છીએ પરંતુ જો રખડતા કૂતરાના કરડવાથી સમસ્યા સર્જાય તો આપણે તેનો ઉકેલ શોધવાની જરૂર છે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે જેઓ રખડતા કૂતરાઓને ખવડાવતા હોય છે, તે લોકો પર રસીકરણ અને સારવારનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કૂતરા કરડવાની સમસ્યા હવે સમગ્ર દેશ માટે સમસ્યા બની ગઈ છે. આપણે આ સમસ્યાનો રાજ્યવાર ઉકેલ શોધવો પડશે. આ મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ ગવઈએ અવલોકન કર્યું કે તે પ્રદેશ સંબંધિત સમસ્યા હોઈ શકે છે પરંતુ મુંબઈ અને હિમાચલ પ્રદેશની સ્થિતિ કેરળથી સંપૂર્ણપણે અલગ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.