લ્યો બોલો, સુપ્રીમ કોર્ટે કુતરા કરડવાથી કેટલા લોકોના મોત થયા તે અંગે માંગ્યો રિપોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:35:46

દેશમાં કૂતરા કરડવાથી થતા મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચિંતા વ્યક્ત કરી હતી. સર્વોચ્ચ અદાલતે એનિમલ વેલ્ફેર બોર્ડને છેલ્લા 7 વર્ષમાં કૂતરા કરડવાથી થયેલા મૃત્યુનો ડેટા રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટે તેને રોકવા માટે લીધેલા પગલાનો હિસાબ પણ માંગ્યો છે. આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે અમે જાણવા માંગીએ છીએ કે કેટલા રાજ્યોમાં કૂતરા કરડવાથી લોકોના મોત થયા છે અને કેટલા લોકો ઘાયલ થયા છે. કોર્ટે એ પણ પૂછ્યું કે શું આ માટે ગાઈડલાઈન્સ ઘડવાની જરૂર છે.


કોર્ટે કેરળમાં કૂતરાના કરડવાથી થયેલા મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી


સુપ્રીમ કોર્ટે આ વર્ષે કેરળમાં કૂતરાના કરડવાથી થયેલા મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે કેરળમાં આ વર્ષે આવા કેસમાં વધારો થયો છે. આપણે બધા કૂતરાઓને પ્રેમ કરીએ છીએ પરંતુ જો રખડતા કૂતરાના કરડવાથી સમસ્યા સર્જાય તો આપણે તેનો ઉકેલ શોધવાની જરૂર છે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે જેઓ રખડતા કૂતરાઓને ખવડાવતા હોય છે, તે લોકો પર રસીકરણ અને સારવારનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કૂતરા કરડવાની સમસ્યા હવે સમગ્ર દેશ માટે સમસ્યા બની ગઈ છે. આપણે આ સમસ્યાનો રાજ્યવાર ઉકેલ શોધવો પડશે. આ મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ ગવઈએ અવલોકન કર્યું કે તે પ્રદેશ સંબંધિત સમસ્યા હોઈ શકે છે પરંતુ મુંબઈ અને હિમાચલ પ્રદેશની સ્થિતિ કેરળથી સંપૂર્ણપણે અલગ છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે