ED ડિરેક્ટરનો કાર્યકાળ લંબાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ફરી ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-27 21:28:55

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને 15 સપ્ટેમ્બર સુધી લંબાવવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કાર્યકાળમાં હવે વધુ વધારો કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે મિશ્રાના કાર્યકાળને 15 ઓક્ટોબર સુધી વધારવાની વિનંતી કરી હતી. આ અંગે જસ્ટિસ ગવઈએ પૂછ્યું કે, શું તમારો આખો વિભાગ બિનકાર્યક્ષમ છે? શું તમે આ વ્યક્તિ વિના કામ કરી શકતા નથી. આ અંગે ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે સંજોગો થોડા અસામાન્ય છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ને મુદ્દે પહેલેથી જ સંકેત આપવામાં આવ્યો હતો. FATF ટીમ 3 નવેમ્બરે ભારત આવશે. સંજય મિશ્રાના કાર્યકાળના વિસ્તરણને ગેરકાયદેસર જાહેર કર્યા બાદ કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જઈને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલમાં કહેવામાં આવ્યું છે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની સમીક્ષા ચાલી રહી હોવાથી સંજય મિશ્રાને 15 ઓક્ટોબર સુધી પદ પર ચાલુ રહેવાની મંજૂરી આપવામાં આવે. 


કેન્દ્રએ તેની અપીલમાં શું કહ્યું? 

 

કેન્દ્રએ તેની અપીલમાં કહ્યું હતું કે FATF સમીક્ષા દરમિયાન મિશ્રાની ગેરહાજરી ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રતિકૂળ અસર કરશે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે કેન્દ્રને ફટકાર લગાવી છે. ગુરુવારે જ્યારે સુનાવણી થઈ, ત્યારે સુપ્રીમ કોર્ટે 17 સપ્ટેમ્બર સુધી કાર્યકાળ વધારવાની મંજૂરી તો આપી પણ કેન્દ્ર સરકારને ઘણા અઘરા પ્રશ્નો પણ પૂછ્યા હતા. જસ્ટિસ બી. આર. ગવઈ, જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંજય કરોલની ખંડપીઠે જણાવ્યું હતું કે તે વ્યાપક જાહેર હિત અને રાષ્ટ્રીય હિતમાં કાર્યકાળ વધારવાની મંજૂરી આપી રહી છે પરંતુ મિશ્રા 15 સપ્ટેમ્બરની મધ્યરાત્રિ પછી EDના પ્રત્યક્ષ રહેશે નહીં.


સંજય મિશ્રાનો કાર્યકાળ બે વખત લંબાવાયો


સંજય કુમાર મિશ્રાની પ્રથમ વખત 2 વર્ષ માટે 19 નવેમ્બર 2018ના રોજ EDના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પાછળથી, 13 નવેમ્બર, 2020 ના રોજના આદેશ દ્વારા, કેન્દ્ર સરકારે પૂર્વદર્શી અસરથી નિમણૂક પત્રમાં ફેરફાર કર્યો અને તેમનો બે વર્ષનો કાર્યકાળ બદલીને ત્રણ વર્ષ કરવામાં આવ્યો.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.