ED ડિરેક્ટરનો કાર્યકાળ લંબાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ફરી ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-27 21:28:55

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને 15 સપ્ટેમ્બર સુધી લંબાવવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કાર્યકાળમાં હવે વધુ વધારો કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે મિશ્રાના કાર્યકાળને 15 ઓક્ટોબર સુધી વધારવાની વિનંતી કરી હતી. આ અંગે જસ્ટિસ ગવઈએ પૂછ્યું કે, શું તમારો આખો વિભાગ બિનકાર્યક્ષમ છે? શું તમે આ વ્યક્તિ વિના કામ કરી શકતા નથી. આ અંગે ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે સંજોગો થોડા અસામાન્ય છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ને મુદ્દે પહેલેથી જ સંકેત આપવામાં આવ્યો હતો. FATF ટીમ 3 નવેમ્બરે ભારત આવશે. સંજય મિશ્રાના કાર્યકાળના વિસ્તરણને ગેરકાયદેસર જાહેર કર્યા બાદ કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જઈને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલમાં કહેવામાં આવ્યું છે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની સમીક્ષા ચાલી રહી હોવાથી સંજય મિશ્રાને 15 ઓક્ટોબર સુધી પદ પર ચાલુ રહેવાની મંજૂરી આપવામાં આવે. 


કેન્દ્રએ તેની અપીલમાં શું કહ્યું? 

 

કેન્દ્રએ તેની અપીલમાં કહ્યું હતું કે FATF સમીક્ષા દરમિયાન મિશ્રાની ગેરહાજરી ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રતિકૂળ અસર કરશે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે કેન્દ્રને ફટકાર લગાવી છે. ગુરુવારે જ્યારે સુનાવણી થઈ, ત્યારે સુપ્રીમ કોર્ટે 17 સપ્ટેમ્બર સુધી કાર્યકાળ વધારવાની મંજૂરી તો આપી પણ કેન્દ્ર સરકારને ઘણા અઘરા પ્રશ્નો પણ પૂછ્યા હતા. જસ્ટિસ બી. આર. ગવઈ, જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંજય કરોલની ખંડપીઠે જણાવ્યું હતું કે તે વ્યાપક જાહેર હિત અને રાષ્ટ્રીય હિતમાં કાર્યકાળ વધારવાની મંજૂરી આપી રહી છે પરંતુ મિશ્રા 15 સપ્ટેમ્બરની મધ્યરાત્રિ પછી EDના પ્રત્યક્ષ રહેશે નહીં.


સંજય મિશ્રાનો કાર્યકાળ બે વખત લંબાવાયો


સંજય કુમાર મિશ્રાની પ્રથમ વખત 2 વર્ષ માટે 19 નવેમ્બર 2018ના રોજ EDના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પાછળથી, 13 નવેમ્બર, 2020 ના રોજના આદેશ દ્વારા, કેન્દ્ર સરકારે પૂર્વદર્શી અસરથી નિમણૂક પત્રમાં ફેરફાર કર્યો અને તેમનો બે વર્ષનો કાર્યકાળ બદલીને ત્રણ વર્ષ કરવામાં આવ્યો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .