ED ડિરેક્ટરનો કાર્યકાળ લંબાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ફરી ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-27 21:28:55

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને 15 સપ્ટેમ્બર સુધી લંબાવવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કાર્યકાળમાં હવે વધુ વધારો કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે મિશ્રાના કાર્યકાળને 15 ઓક્ટોબર સુધી વધારવાની વિનંતી કરી હતી. આ અંગે જસ્ટિસ ગવઈએ પૂછ્યું કે, શું તમારો આખો વિભાગ બિનકાર્યક્ષમ છે? શું તમે આ વ્યક્તિ વિના કામ કરી શકતા નથી. આ અંગે ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે સંજોગો થોડા અસામાન્ય છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ને મુદ્દે પહેલેથી જ સંકેત આપવામાં આવ્યો હતો. FATF ટીમ 3 નવેમ્બરે ભારત આવશે. સંજય મિશ્રાના કાર્યકાળના વિસ્તરણને ગેરકાયદેસર જાહેર કર્યા બાદ કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જઈને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલમાં કહેવામાં આવ્યું છે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની સમીક્ષા ચાલી રહી હોવાથી સંજય મિશ્રાને 15 ઓક્ટોબર સુધી પદ પર ચાલુ રહેવાની મંજૂરી આપવામાં આવે. 


કેન્દ્રએ તેની અપીલમાં શું કહ્યું? 

 

કેન્દ્રએ તેની અપીલમાં કહ્યું હતું કે FATF સમીક્ષા દરમિયાન મિશ્રાની ગેરહાજરી ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રતિકૂળ અસર કરશે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે કેન્દ્રને ફટકાર લગાવી છે. ગુરુવારે જ્યારે સુનાવણી થઈ, ત્યારે સુપ્રીમ કોર્ટે 17 સપ્ટેમ્બર સુધી કાર્યકાળ વધારવાની મંજૂરી તો આપી પણ કેન્દ્ર સરકારને ઘણા અઘરા પ્રશ્નો પણ પૂછ્યા હતા. જસ્ટિસ બી. આર. ગવઈ, જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંજય કરોલની ખંડપીઠે જણાવ્યું હતું કે તે વ્યાપક જાહેર હિત અને રાષ્ટ્રીય હિતમાં કાર્યકાળ વધારવાની મંજૂરી આપી રહી છે પરંતુ મિશ્રા 15 સપ્ટેમ્બરની મધ્યરાત્રિ પછી EDના પ્રત્યક્ષ રહેશે નહીં.


સંજય મિશ્રાનો કાર્યકાળ બે વખત લંબાવાયો


સંજય કુમાર મિશ્રાની પ્રથમ વખત 2 વર્ષ માટે 19 નવેમ્બર 2018ના રોજ EDના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પાછળથી, 13 નવેમ્બર, 2020 ના રોજના આદેશ દ્વારા, કેન્દ્ર સરકારે પૂર્વદર્શી અસરથી નિમણૂક પત્રમાં ફેરફાર કર્યો અને તેમનો બે વર્ષનો કાર્યકાળ બદલીને ત્રણ વર્ષ કરવામાં આવ્યો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.