ED ડિરેક્ટરનો કાર્યકાળ લંબાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ફરી ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-27 21:28:55

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને 15 સપ્ટેમ્બર સુધી લંબાવવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કાર્યકાળમાં હવે વધુ વધારો કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે મિશ્રાના કાર્યકાળને 15 ઓક્ટોબર સુધી વધારવાની વિનંતી કરી હતી. આ અંગે જસ્ટિસ ગવઈએ પૂછ્યું કે, શું તમારો આખો વિભાગ બિનકાર્યક્ષમ છે? શું તમે આ વ્યક્તિ વિના કામ કરી શકતા નથી. આ અંગે ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે સંજોગો થોડા અસામાન્ય છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ને મુદ્દે પહેલેથી જ સંકેત આપવામાં આવ્યો હતો. FATF ટીમ 3 નવેમ્બરે ભારત આવશે. સંજય મિશ્રાના કાર્યકાળના વિસ્તરણને ગેરકાયદેસર જાહેર કર્યા બાદ કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જઈને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલમાં કહેવામાં આવ્યું છે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની સમીક્ષા ચાલી રહી હોવાથી સંજય મિશ્રાને 15 ઓક્ટોબર સુધી પદ પર ચાલુ રહેવાની મંજૂરી આપવામાં આવે. 


કેન્દ્રએ તેની અપીલમાં શું કહ્યું? 

 

કેન્દ્રએ તેની અપીલમાં કહ્યું હતું કે FATF સમીક્ષા દરમિયાન મિશ્રાની ગેરહાજરી ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રતિકૂળ અસર કરશે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે કેન્દ્રને ફટકાર લગાવી છે. ગુરુવારે જ્યારે સુનાવણી થઈ, ત્યારે સુપ્રીમ કોર્ટે 17 સપ્ટેમ્બર સુધી કાર્યકાળ વધારવાની મંજૂરી તો આપી પણ કેન્દ્ર સરકારને ઘણા અઘરા પ્રશ્નો પણ પૂછ્યા હતા. જસ્ટિસ બી. આર. ગવઈ, જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંજય કરોલની ખંડપીઠે જણાવ્યું હતું કે તે વ્યાપક જાહેર હિત અને રાષ્ટ્રીય હિતમાં કાર્યકાળ વધારવાની મંજૂરી આપી રહી છે પરંતુ મિશ્રા 15 સપ્ટેમ્બરની મધ્યરાત્રિ પછી EDના પ્રત્યક્ષ રહેશે નહીં.


સંજય મિશ્રાનો કાર્યકાળ બે વખત લંબાવાયો


સંજય કુમાર મિશ્રાની પ્રથમ વખત 2 વર્ષ માટે 19 નવેમ્બર 2018ના રોજ EDના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પાછળથી, 13 નવેમ્બર, 2020 ના રોજના આદેશ દ્વારા, કેન્દ્ર સરકારે પૂર્વદર્શી અસરથી નિમણૂક પત્રમાં ફેરફાર કર્યો અને તેમનો બે વર્ષનો કાર્યકાળ બદલીને ત્રણ વર્ષ કરવામાં આવ્યો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.