Supreme Courtએ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આપી મોટી રાહત, 17 મહિના બાદ જેલમાંથી બહાર આવશે સિસોદિયા


  • Published By :
  • Published Date : 2024-08-09 13:04:16

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાને મોટી રાહત મળી છે.. કથિત દારુ કૌભાંડમાં તેમને જામીન મળી ગયા છે.. 17 મહિના પછી તેઓ જેલની બહાર આવશે... રાહત તો મળી છે પણ અમુક શરતો પર તેમને જામીન મળ્યા છે...

17 મહિનાથી જેલમાં બંધ હતા મનીશ સિસોદિયા

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયા છેલ્લા દોઢ વર્ષથી જેલમાં બંધ હતા.. સીબીઆઈ-ઈડી જેવી કેન્દ્રીય એજન્સીઓ તેમની સામે તપાસ કરી રહી છે.. સિસોદીયાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.... કોર્ટે દારૂ કૌભાંડ મામલે જામીન આપ્યા છે.... 17 મહિનાથી તિહાર જેલમાં બંધ હતા.... આજે જેલમાંથી બહાર આવ્યા છે... 



શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

સુપ્રીમ કોર્ટે કહ્યું આ કેસમાં અત્યાર સુધીમાં 400થી વધુ સાક્ષીઓ અને હજારો દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા.. આગામી દિવસોમાં પણ આ કેસનો કોઈ અંત આવે તેવી શક્યતા નથી... આવી સ્થિતિમાં સિસોદીયાને કસ્ટડીમાં રાખવા તેમના સ્વતંત્રતાના મૂળભુત અધિકારોનું ઉલ્લંઘન હશે... કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટ જામીનના મામલે સુરક્ષિત રમી રહી છે. સજા તરીકે જામીન નકારી શકાય નહીં. હવે સમય આવી ગયો છે કે અદાલતો સમજે કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે.... સુપ્રીમ કોર્ટે સિસોદિયાને ત્રણ શરતો પર જામીન આપ્યા છે... તેમને 10 લાખ રુપિયાના બોન્ડ ભરવાના રહેશે... આ સિવાય તેમણે બે જામીન રજૂ કરવાના રહેશે... જ્યારે કોર્ટે ત્રીજી શરત એ રાખી છે કે, તેમને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવાનો રહેશે... 



9 માર્ચે કરવામાં આવી હતી સિસોદિયાની ધરપકડ

CBIએ ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પછી EDએ મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચે તેની ફરી ધરપકડ કરી. સીબીઆઈ અને ઈડી બંને કેસમાં સિસોદિયાને જામીન મળ્યા છે.જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથની બેંચે સિસોદિયાના જામીન પર ચુકાદો આપ્યો છે. બેન્ચે ત્રણ દિવસ પહેલા એટલે કે 6 ઓગસ્ટે જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. 



મનીષ સિસોદિયાએ કેસને લઈ કહ્યું હતું...

આ પહેલા 11 જુલાઈએ સિસોદિયાની જામીન રિવ્યુ પિટિશન પર સુનાવણી પહેલા જસ્ટિસ સંજય કુમારે પોતાને બેંચમાંથી અલગ કરી લીધા હતા, ત્યાર બાદ સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી. સિસોદિયાએ જામીન અરજી નામંજૂર કરવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સિસોદિયાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે ઓક્ટોબર 2023થી તેમની સામેના કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી. આ મામલે ગોપાલ ઈટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. 



હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.