Supreme Courtએ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આપી મોટી રાહત, 17 મહિના બાદ જેલમાંથી બહાર આવશે સિસોદિયા


  • Published By :
  • Published Date : 2024-08-09 13:04:16

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાને મોટી રાહત મળી છે.. કથિત દારુ કૌભાંડમાં તેમને જામીન મળી ગયા છે.. 17 મહિના પછી તેઓ જેલની બહાર આવશે... રાહત તો મળી છે પણ અમુક શરતો પર તેમને જામીન મળ્યા છે...

17 મહિનાથી જેલમાં બંધ હતા મનીશ સિસોદિયા

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયા છેલ્લા દોઢ વર્ષથી જેલમાં બંધ હતા.. સીબીઆઈ-ઈડી જેવી કેન્દ્રીય એજન્સીઓ તેમની સામે તપાસ કરી રહી છે.. સિસોદીયાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.... કોર્ટે દારૂ કૌભાંડ મામલે જામીન આપ્યા છે.... 17 મહિનાથી તિહાર જેલમાં બંધ હતા.... આજે જેલમાંથી બહાર આવ્યા છે... 



શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

સુપ્રીમ કોર્ટે કહ્યું આ કેસમાં અત્યાર સુધીમાં 400થી વધુ સાક્ષીઓ અને હજારો દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા.. આગામી દિવસોમાં પણ આ કેસનો કોઈ અંત આવે તેવી શક્યતા નથી... આવી સ્થિતિમાં સિસોદીયાને કસ્ટડીમાં રાખવા તેમના સ્વતંત્રતાના મૂળભુત અધિકારોનું ઉલ્લંઘન હશે... કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટ જામીનના મામલે સુરક્ષિત રમી રહી છે. સજા તરીકે જામીન નકારી શકાય નહીં. હવે સમય આવી ગયો છે કે અદાલતો સમજે કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે.... સુપ્રીમ કોર્ટે સિસોદિયાને ત્રણ શરતો પર જામીન આપ્યા છે... તેમને 10 લાખ રુપિયાના બોન્ડ ભરવાના રહેશે... આ સિવાય તેમણે બે જામીન રજૂ કરવાના રહેશે... જ્યારે કોર્ટે ત્રીજી શરત એ રાખી છે કે, તેમને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવાનો રહેશે... 



9 માર્ચે કરવામાં આવી હતી સિસોદિયાની ધરપકડ

CBIએ ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પછી EDએ મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચે તેની ફરી ધરપકડ કરી. સીબીઆઈ અને ઈડી બંને કેસમાં સિસોદિયાને જામીન મળ્યા છે.જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથની બેંચે સિસોદિયાના જામીન પર ચુકાદો આપ્યો છે. બેન્ચે ત્રણ દિવસ પહેલા એટલે કે 6 ઓગસ્ટે જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. 



મનીષ સિસોદિયાએ કેસને લઈ કહ્યું હતું...

આ પહેલા 11 જુલાઈએ સિસોદિયાની જામીન રિવ્યુ પિટિશન પર સુનાવણી પહેલા જસ્ટિસ સંજય કુમારે પોતાને બેંચમાંથી અલગ કરી લીધા હતા, ત્યાર બાદ સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી. સિસોદિયાએ જામીન અરજી નામંજૂર કરવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સિસોદિયાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે ઓક્ટોબર 2023થી તેમની સામેના કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી. આ મામલે ગોપાલ ઈટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. 



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.