Supreme Courtએ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આપી મોટી રાહત, 17 મહિના બાદ જેલમાંથી બહાર આવશે સિસોદિયા


  • Published By :
  • Published Date : 2024-08-09 13:04:16

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાને મોટી રાહત મળી છે.. કથિત દારુ કૌભાંડમાં તેમને જામીન મળી ગયા છે.. 17 મહિના પછી તેઓ જેલની બહાર આવશે... રાહત તો મળી છે પણ અમુક શરતો પર તેમને જામીન મળ્યા છે...

17 મહિનાથી જેલમાં બંધ હતા મનીશ સિસોદિયા

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયા છેલ્લા દોઢ વર્ષથી જેલમાં બંધ હતા.. સીબીઆઈ-ઈડી જેવી કેન્દ્રીય એજન્સીઓ તેમની સામે તપાસ કરી રહી છે.. સિસોદીયાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.... કોર્ટે દારૂ કૌભાંડ મામલે જામીન આપ્યા છે.... 17 મહિનાથી તિહાર જેલમાં બંધ હતા.... આજે જેલમાંથી બહાર આવ્યા છે... 



શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

સુપ્રીમ કોર્ટે કહ્યું આ કેસમાં અત્યાર સુધીમાં 400થી વધુ સાક્ષીઓ અને હજારો દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા.. આગામી દિવસોમાં પણ આ કેસનો કોઈ અંત આવે તેવી શક્યતા નથી... આવી સ્થિતિમાં સિસોદીયાને કસ્ટડીમાં રાખવા તેમના સ્વતંત્રતાના મૂળભુત અધિકારોનું ઉલ્લંઘન હશે... કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટ જામીનના મામલે સુરક્ષિત રમી રહી છે. સજા તરીકે જામીન નકારી શકાય નહીં. હવે સમય આવી ગયો છે કે અદાલતો સમજે કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે.... સુપ્રીમ કોર્ટે સિસોદિયાને ત્રણ શરતો પર જામીન આપ્યા છે... તેમને 10 લાખ રુપિયાના બોન્ડ ભરવાના રહેશે... આ સિવાય તેમણે બે જામીન રજૂ કરવાના રહેશે... જ્યારે કોર્ટે ત્રીજી શરત એ રાખી છે કે, તેમને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવાનો રહેશે... 



9 માર્ચે કરવામાં આવી હતી સિસોદિયાની ધરપકડ

CBIએ ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પછી EDએ મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચે તેની ફરી ધરપકડ કરી. સીબીઆઈ અને ઈડી બંને કેસમાં સિસોદિયાને જામીન મળ્યા છે.જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથની બેંચે સિસોદિયાના જામીન પર ચુકાદો આપ્યો છે. બેન્ચે ત્રણ દિવસ પહેલા એટલે કે 6 ઓગસ્ટે જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. 



મનીષ સિસોદિયાએ કેસને લઈ કહ્યું હતું...

આ પહેલા 11 જુલાઈએ સિસોદિયાની જામીન રિવ્યુ પિટિશન પર સુનાવણી પહેલા જસ્ટિસ સંજય કુમારે પોતાને બેંચમાંથી અલગ કરી લીધા હતા, ત્યાર બાદ સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી. સિસોદિયાએ જામીન અરજી નામંજૂર કરવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સિસોદિયાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે ઓક્ટોબર 2023થી તેમની સામેના કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી. આ મામલે ગોપાલ ઈટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.