Supreme Courtએ વોટના બદલામાં નોટ કેસમાં આપ્યો મોટો ચૂકદો, કોર્ટના નિર્ણય બાદ સાંસદ-ધારાસભ્યને નહીં મળે રક્ષણ...


  • Published By :
  • Published Date : 2024-03-04 12:23:39

સુપ્રીમ કોર્ટ દ્વારા એવા ચૂકાદા આપવામાં આવી રહ્યા છે જેને ઐતિહાસિક ગણવામાં આવે છે. થોડા સમય પહેલા ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો ત્યારે આજે ફરી એક વખત સુપ્રીમ કોર્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. વોટની બદલીમાં નોટ મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે. પોતે લીધા નિર્ણયને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. કોર્ટે કહ્યું કે પહેલા ના નિર્ણયથી અમે સહેમત નથી. પોતાના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદસભ્યો કે ધારાસભ્યો ગૃહમાં મતદાન માટે લાંચ લઈને કાર્યવાહીથી બચી શકે નહીં. કોર્ટે કહ્યું કે લાંચ પર કોઈ છૂટ આપી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે પોતાના આગળના ચૂકાદાને ફગાવી દીધો!

જો પૈસા લઈને સાંસદ અથવા ધારાસભ્ય ભાષણ આપે છે અથવા તો મત આપે છે તો સાંસદ અથવા તો ધારાસભ્ય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આજે આપવામાં આવ્યો છે. જો ધારાસભ્ય અથવા તો સાંસદ લાંચની બદલીમાં ,પૈસાની બદલીમાં વિધાનસભામાં મત મેળવે છે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાશે, તેમને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં નહીં આવે તેવો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સી.જે.આઈ સહિત સાત જજોની બેન્ચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કેસની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે તેના 1998 ના નરસિમ્હા રાવના ચુકાદાને ફગાવી દીધો છે. સાંસદો અને ધારાસભ્યોને કાનૂની રક્ષણ આપવાનો ઇનકાર સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કર્યો છે. ચુકાદો સંભળાવતા કોર્ટે કહ્યું કે લાંચ પર કોઈ છૂટ આપી શકાય નહીં. 


ચૂકાદો આપતા શું કહ્યું સી.જે.આઈએ? 

દેશની સર્વોચ્ચ અદાલતે વર્ષ 1998માં લીધેલા પોતાના નિર્ણયને બદલી દીધો છે. 1998માં પાંચ જજોની બેન્ચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધારાસભ્ય અથવા સાંસદ પર કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે પહેલા લીધેલા નિર્ણયને ફગાવી દીધો છે અને નવો નિર્ણય સંભળાવ્યો છે. નવા નિર્ણય અંતર્ગત હવે પૈસા લઈને ભાષણ અથવા તો મત આપશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સીજેઆઈએ કહ્યું કે વિધાનસભાના સભ્ય દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર અથવા લાંચ જાહેર જીવનમાં પ્રામાણિક્તા નષ્ટ કરે છે. ધારાસભ્યો દ્વારા ભ્રષ્ટાચાર અને લાંચ ભારતીય સંસદીય લોકશાહીની કામગીરીને નષ્ટ કરે છે.    

  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.