Supreme Courtએ વોટના બદલામાં નોટ કેસમાં આપ્યો મોટો ચૂકદો, કોર્ટના નિર્ણય બાદ સાંસદ-ધારાસભ્યને નહીં મળે રક્ષણ...


  • Published By :
  • Published Date : 2024-03-04 12:23:39

સુપ્રીમ કોર્ટ દ્વારા એવા ચૂકાદા આપવામાં આવી રહ્યા છે જેને ઐતિહાસિક ગણવામાં આવે છે. થોડા સમય પહેલા ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો ત્યારે આજે ફરી એક વખત સુપ્રીમ કોર્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. વોટની બદલીમાં નોટ મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે. પોતે લીધા નિર્ણયને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. કોર્ટે કહ્યું કે પહેલા ના નિર્ણયથી અમે સહેમત નથી. પોતાના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદસભ્યો કે ધારાસભ્યો ગૃહમાં મતદાન માટે લાંચ લઈને કાર્યવાહીથી બચી શકે નહીં. કોર્ટે કહ્યું કે લાંચ પર કોઈ છૂટ આપી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે પોતાના આગળના ચૂકાદાને ફગાવી દીધો!

જો પૈસા લઈને સાંસદ અથવા ધારાસભ્ય ભાષણ આપે છે અથવા તો મત આપે છે તો સાંસદ અથવા તો ધારાસભ્ય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આજે આપવામાં આવ્યો છે. જો ધારાસભ્ય અથવા તો સાંસદ લાંચની બદલીમાં ,પૈસાની બદલીમાં વિધાનસભામાં મત મેળવે છે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાશે, તેમને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં નહીં આવે તેવો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સી.જે.આઈ સહિત સાત જજોની બેન્ચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કેસની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે તેના 1998 ના નરસિમ્હા રાવના ચુકાદાને ફગાવી દીધો છે. સાંસદો અને ધારાસભ્યોને કાનૂની રક્ષણ આપવાનો ઇનકાર સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કર્યો છે. ચુકાદો સંભળાવતા કોર્ટે કહ્યું કે લાંચ પર કોઈ છૂટ આપી શકાય નહીં. 


ચૂકાદો આપતા શું કહ્યું સી.જે.આઈએ? 

દેશની સર્વોચ્ચ અદાલતે વર્ષ 1998માં લીધેલા પોતાના નિર્ણયને બદલી દીધો છે. 1998માં પાંચ જજોની બેન્ચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધારાસભ્ય અથવા સાંસદ પર કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે પહેલા લીધેલા નિર્ણયને ફગાવી દીધો છે અને નવો નિર્ણય સંભળાવ્યો છે. નવા નિર્ણય અંતર્ગત હવે પૈસા લઈને ભાષણ અથવા તો મત આપશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સીજેઆઈએ કહ્યું કે વિધાનસભાના સભ્ય દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર અથવા લાંચ જાહેર જીવનમાં પ્રામાણિક્તા નષ્ટ કરે છે. ધારાસભ્યો દ્વારા ભ્રષ્ટાચાર અને લાંચ ભારતીય સંસદીય લોકશાહીની કામગીરીને નષ્ટ કરે છે.    

  



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .