મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચૂકાદો,જાણો કોણ કરશે CECની પસંદગી


  • Published By :
  • Published Date : 2023-03-02 15:21:11

સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂંક માટે કોલેજિયમ જેવી સિસ્ટમ બનાવી જોઈએ તેવી માગ કરતી એક અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. પાંચ જજોની બેન્ચે ચૂકાદો આપતા જણાવ્યું કે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અથવા સૌથી મોટા વિપક્ષી નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર તેમજ ચૂંટણી કમિશનરોની નિમણૂંક કરવામાં આવશે. આ કમિટી રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરશે અને અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવશે. આ પહેલા માત્ર સરકાર જ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂંક કરતી હતી.

  


સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી 

મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કેન્દ્ર સરકારે અરુણ ગોયલની પસંદગી કરી હતી. અરૂણ ગોયલે 18 નવેમ્બરના રોજ ઉદ્યોગ સચિવ પદ પરથી વીઆરએસ લીધું હતું. પોતાના પદ ઉપરથી તેઓ 21 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થવાના હતા. પરંતુ તેમણે વીઆરએસ લઈ લીધું. અને 19 નવેમ્બરના રોજ તેમની નિયુક્તિ ચૂંટણી કમિશનર તરીકે કરવામાં આવી હતી. આ નિયુક્તિ પર પ્રશ્ન ઉઠાવતા એડવોકેટ પ્રશાંત ભૂષણે એક અરજી દાખલ કરી હતી જેમાં આ અંગે સવાલો ઉઠાવ્યા હતા. મંગળવારે આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. ગુરૂવારે સુનાવણીનો ત્રીજો દિવસ છે. ઉપરાંત એક અરજી એવી પણ કરવામાં આવી હતી જેમાં માગ કરવામાં આવી હતી કે ચૂંટણી આયોગના સભ્યોની નિયુક્તિ કોલેજિયમ સિસ્ટમ દ્વારા કરવામાં આવે. આ અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે મહત્વના અવલોકન કર્યા હતા. 


રાષ્ટ્રપતિ લગાવશે નામ પર અંતિમ મોહર  

સુપ્રીમ કોર્ટે આ અંગે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે આ મામલે કેન્દ્ર પાસેથી ચૂંટણીની અપોઈન્ટમેન્ટની ફાઈલ માગી હતી. જેને બાદ કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલની એપોઈન્મેન્ટની ઓરિજિનલ ફાઈલ સુપ્રીમ કોર્ટને સોંપી છે. આ અંગે ચૂકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સીજેઆઈ તેમની નિમણૂંક કરશે. આ અગાઉ કેન્દ્ર સરકાર જ તેમની પસંદગી કરતી હતી. આ કમિટી રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરશે અને આ અંગે રાષ્ટ્રપતિ અંતિમ નિર્ણય લેશે. વધુમાં કોર્ટે જણાવ્યું કે જ્યાં સુધી સંસદ ચૂંટણી કમિશનરોની નિમણૂંક અંગે કાયદો ઘડે નહીં ત્યાં સુધી આ પ્રકિયા અમલમાં રહેશે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.