મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચૂકાદો,જાણો કોણ કરશે CECની પસંદગી


  • Published By :
  • Published Date : 2023-03-02 15:21:11

સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂંક માટે કોલેજિયમ જેવી સિસ્ટમ બનાવી જોઈએ તેવી માગ કરતી એક અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. પાંચ જજોની બેન્ચે ચૂકાદો આપતા જણાવ્યું કે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અથવા સૌથી મોટા વિપક્ષી નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર તેમજ ચૂંટણી કમિશનરોની નિમણૂંક કરવામાં આવશે. આ કમિટી રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરશે અને અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવશે. આ પહેલા માત્ર સરકાર જ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂંક કરતી હતી.

  


સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી 

મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કેન્દ્ર સરકારે અરુણ ગોયલની પસંદગી કરી હતી. અરૂણ ગોયલે 18 નવેમ્બરના રોજ ઉદ્યોગ સચિવ પદ પરથી વીઆરએસ લીધું હતું. પોતાના પદ ઉપરથી તેઓ 21 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થવાના હતા. પરંતુ તેમણે વીઆરએસ લઈ લીધું. અને 19 નવેમ્બરના રોજ તેમની નિયુક્તિ ચૂંટણી કમિશનર તરીકે કરવામાં આવી હતી. આ નિયુક્તિ પર પ્રશ્ન ઉઠાવતા એડવોકેટ પ્રશાંત ભૂષણે એક અરજી દાખલ કરી હતી જેમાં આ અંગે સવાલો ઉઠાવ્યા હતા. મંગળવારે આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. ગુરૂવારે સુનાવણીનો ત્રીજો દિવસ છે. ઉપરાંત એક અરજી એવી પણ કરવામાં આવી હતી જેમાં માગ કરવામાં આવી હતી કે ચૂંટણી આયોગના સભ્યોની નિયુક્તિ કોલેજિયમ સિસ્ટમ દ્વારા કરવામાં આવે. આ અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે મહત્વના અવલોકન કર્યા હતા. 


રાષ્ટ્રપતિ લગાવશે નામ પર અંતિમ મોહર  

સુપ્રીમ કોર્ટે આ અંગે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે આ મામલે કેન્દ્ર પાસેથી ચૂંટણીની અપોઈન્ટમેન્ટની ફાઈલ માગી હતી. જેને બાદ કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલની એપોઈન્મેન્ટની ઓરિજિનલ ફાઈલ સુપ્રીમ કોર્ટને સોંપી છે. આ અંગે ચૂકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સીજેઆઈ તેમની નિમણૂંક કરશે. આ અગાઉ કેન્દ્ર સરકાર જ તેમની પસંદગી કરતી હતી. આ કમિટી રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરશે અને આ અંગે રાષ્ટ્રપતિ અંતિમ નિર્ણય લેશે. વધુમાં કોર્ટે જણાવ્યું કે જ્યાં સુધી સંસદ ચૂંટણી કમિશનરોની નિમણૂંક અંગે કાયદો ઘડે નહીં ત્યાં સુધી આ પ્રકિયા અમલમાં રહેશે.    




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.