મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચૂકાદો,જાણો કોણ કરશે CECની પસંદગી


  • Published By :
  • Published Date : 2023-03-02 15:21:11

સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂંક માટે કોલેજિયમ જેવી સિસ્ટમ બનાવી જોઈએ તેવી માગ કરતી એક અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. પાંચ જજોની બેન્ચે ચૂકાદો આપતા જણાવ્યું કે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અથવા સૌથી મોટા વિપક્ષી નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર તેમજ ચૂંટણી કમિશનરોની નિમણૂંક કરવામાં આવશે. આ કમિટી રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરશે અને અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવશે. આ પહેલા માત્ર સરકાર જ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂંક કરતી હતી.

  


સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી 

મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કેન્દ્ર સરકારે અરુણ ગોયલની પસંદગી કરી હતી. અરૂણ ગોયલે 18 નવેમ્બરના રોજ ઉદ્યોગ સચિવ પદ પરથી વીઆરએસ લીધું હતું. પોતાના પદ ઉપરથી તેઓ 21 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થવાના હતા. પરંતુ તેમણે વીઆરએસ લઈ લીધું. અને 19 નવેમ્બરના રોજ તેમની નિયુક્તિ ચૂંટણી કમિશનર તરીકે કરવામાં આવી હતી. આ નિયુક્તિ પર પ્રશ્ન ઉઠાવતા એડવોકેટ પ્રશાંત ભૂષણે એક અરજી દાખલ કરી હતી જેમાં આ અંગે સવાલો ઉઠાવ્યા હતા. મંગળવારે આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. ગુરૂવારે સુનાવણીનો ત્રીજો દિવસ છે. ઉપરાંત એક અરજી એવી પણ કરવામાં આવી હતી જેમાં માગ કરવામાં આવી હતી કે ચૂંટણી આયોગના સભ્યોની નિયુક્તિ કોલેજિયમ સિસ્ટમ દ્વારા કરવામાં આવે. આ અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે મહત્વના અવલોકન કર્યા હતા. 


રાષ્ટ્રપતિ લગાવશે નામ પર અંતિમ મોહર  

સુપ્રીમ કોર્ટે આ અંગે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે આ મામલે કેન્દ્ર પાસેથી ચૂંટણીની અપોઈન્ટમેન્ટની ફાઈલ માગી હતી. જેને બાદ કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલની એપોઈન્મેન્ટની ઓરિજિનલ ફાઈલ સુપ્રીમ કોર્ટને સોંપી છે. આ અંગે ચૂકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સીજેઆઈ તેમની નિમણૂંક કરશે. આ અગાઉ કેન્દ્ર સરકાર જ તેમની પસંદગી કરતી હતી. આ કમિટી રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરશે અને આ અંગે રાષ્ટ્રપતિ અંતિમ નિર્ણય લેશે. વધુમાં કોર્ટે જણાવ્યું કે જ્યાં સુધી સંસદ ચૂંટણી કમિશનરોની નિમણૂંક અંગે કાયદો ઘડે નહીં ત્યાં સુધી આ પ્રકિયા અમલમાં રહેશે.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.