મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચૂકાદો,જાણો કોણ કરશે CECની પસંદગી


  • Published By :
  • Published Date : 2023-03-02 15:21:11

સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂંક માટે કોલેજિયમ જેવી સિસ્ટમ બનાવી જોઈએ તેવી માગ કરતી એક અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. પાંચ જજોની બેન્ચે ચૂકાદો આપતા જણાવ્યું કે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અથવા સૌથી મોટા વિપક્ષી નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર તેમજ ચૂંટણી કમિશનરોની નિમણૂંક કરવામાં આવશે. આ કમિટી રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરશે અને અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવશે. આ પહેલા માત્ર સરકાર જ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂંક કરતી હતી.

  


સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી 

મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કેન્દ્ર સરકારે અરુણ ગોયલની પસંદગી કરી હતી. અરૂણ ગોયલે 18 નવેમ્બરના રોજ ઉદ્યોગ સચિવ પદ પરથી વીઆરએસ લીધું હતું. પોતાના પદ ઉપરથી તેઓ 21 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થવાના હતા. પરંતુ તેમણે વીઆરએસ લઈ લીધું. અને 19 નવેમ્બરના રોજ તેમની નિયુક્તિ ચૂંટણી કમિશનર તરીકે કરવામાં આવી હતી. આ નિયુક્તિ પર પ્રશ્ન ઉઠાવતા એડવોકેટ પ્રશાંત ભૂષણે એક અરજી દાખલ કરી હતી જેમાં આ અંગે સવાલો ઉઠાવ્યા હતા. મંગળવારે આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. ગુરૂવારે સુનાવણીનો ત્રીજો દિવસ છે. ઉપરાંત એક અરજી એવી પણ કરવામાં આવી હતી જેમાં માગ કરવામાં આવી હતી કે ચૂંટણી આયોગના સભ્યોની નિયુક્તિ કોલેજિયમ સિસ્ટમ દ્વારા કરવામાં આવે. આ અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે મહત્વના અવલોકન કર્યા હતા. 


રાષ્ટ્રપતિ લગાવશે નામ પર અંતિમ મોહર  

સુપ્રીમ કોર્ટે આ અંગે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે આ મામલે કેન્દ્ર પાસેથી ચૂંટણીની અપોઈન્ટમેન્ટની ફાઈલ માગી હતી. જેને બાદ કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલની એપોઈન્મેન્ટની ઓરિજિનલ ફાઈલ સુપ્રીમ કોર્ટને સોંપી છે. આ અંગે ચૂકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સીજેઆઈ તેમની નિમણૂંક કરશે. આ અગાઉ કેન્દ્ર સરકાર જ તેમની પસંદગી કરતી હતી. આ કમિટી રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરશે અને આ અંગે રાષ્ટ્રપતિ અંતિમ નિર્ણય લેશે. વધુમાં કોર્ટે જણાવ્યું કે જ્યાં સુધી સંસદ ચૂંટણી કમિશનરોની નિમણૂંક અંગે કાયદો ઘડે નહીં ત્યાં સુધી આ પ્રકિયા અમલમાં રહેશે.    




Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.