સુપ્રીમ કોર્ટે તીસ્તા સેતલવાડના વચગાળાના જામીન મંજૂર કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 16:28:44

સુપ્રીમ કોર્ટે તીસ્તા તેસલવાડના વચગાળાના જામીન મંજૂરી આપી દીધી છે. 2002ના ગોધરા કાંડ બાદની ઘટનાના દસ્તાવેજો સાથે છેડછાડ કરવા બદલ તીસ્તા સેતલવાડ સહિત IPS કક્ષાના પોલીસ અધિકારીઓ પર ગુજરાત પોલીસે ફરિયાદ નોંધી હતી. ગોધરા કાંડના દસ્તાવેજો સાથે છેડછાડ કરી રજૂ કરવાનો આક્ષેપ તીસ્તા સેતલવાડ અને આઈપીએસ અધિકારી પર લગાવ્યો હતો. જે મામલે તીસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારની ધરપકડ કરાઈ હતી.


સુપ્રીમ કોર્ટે શું સ્પષ્ટતા કરી?

તીસ્તા સેતલવાડની નિયમિત જામીન માગણીની અરજી હજુ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તેમણે આ મામલે માત્ર વચગાળાના જામીન મામલે નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે ઉમેર્યું હતું કે ગુજરાત હાઈકોર્ટને અમારા નિર્ણયને ધ્યાનમાં ન લઈ સમગ્ર મામલે મામલે સ્વતંત્રતાથી નિર્ણય લેવા માટે છૂટ છે. ગુજરાત હાઈકોર્ટમાં તીસ્તા સેતલવાડના જામીન મામલે 19 સપ્ટેમ્બરના રોજ સુનાવણી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ઉમેર્યું હતું કે તપાસ એજન્સીની તપાસ પૂર્ણ થઈ ગઈ છે જેથી તીસ્તાને જામીન મળવા જોઈએ. 


તીસ્તા સેતલવાડ મામલે સુપ્રીમ કોર્ટે શું સ્પષ્ટતા કરવી પડી?

તીસ્તા સેતલવાડે ગુજરાત હાઈકોર્ટમાં જામીન આપવા માટે અરજી કરી છે પરંતુ મામલે 19 સપ્ટેમ્બરના રોજ સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ તીસ્તા સેતલવાડે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આજે સુપ્રીમ કોર્ટેના મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીત, રવિન્દ્ર ભટ્ટ અને સુધાંશુ ધુલિયાની ન્યાય પીઠે તીસ્તા સેતલવાડ મામલે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તીસ્તા સેતલવાડને વચગાળાના જામીન આપવાનો નિર્ણય લીધો હતો. 


કોણ છે તીસ્તા સેતલવાડ?

60 વર્ષીય તીસ્તા સેતલવાડ મુંબઈથી સંબંધ ધરાવે છે. તીસ્તા સામાજિક કાર્યકર અને પત્રકાર પણ છે. 2002 બાદના દંગામાં જાકિયા જાફરીના સાંસદ પતિનું નિધન થયું હતું. જે મામલે તીસ્તા સેતલવાડે ઉઠાવ્યો હતો. પોલીસ સાથે મળી દસ્તાવેજોમાં છેડછાડ કરવા માટે અમદાવાદ પોલીસ મથકમાં તીસ્તા સેતલવાડ સામે ગુનો નોંધાયો હતો અને ગુજરાત પોલીસે તીસ્તા સેતલવાડની ધરપકડ કરી હતી. 






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.