NEETની પરીક્ષાને લઈ Supreme Courtમાં સુનાવણી, NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટે કર્યો ઇનકાર...


  • Published By :
  • Published Date : 2024-06-11 13:33:09

વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય છે ત્યારે તેમના અનેક સપનાઓ હોય છે.. મોટા થઈને એન્જિનિયર બનીશું, મોટા થઈ ડોક્ટર બનીશું વગેરે વગેરે.. પરંતુ જ્યારે પેપર લીક થાય છે, પરીક્ષામાં ગેરરીતિ થાય છે ત્યારે તે સપનાઓ પર પાણી ફરી જતું હોય છે.. છેલ્લા થોડા સમયથી નીટ ચર્ચામાં થાય છે. નીટ-યુજી 2024ના રિઝલ્ટથી વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. નીટના પ્રવેશમાં ગડબડી થવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી એટલે કે NTAને  નોટિસ આપી છે અને જવાબ માંગ્યો છે. 

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો આ મામલો 

નીટની પરીક્ષા છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે.. પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં પરિણામને લઈ નારાજગી જોવા મળી રહી છે.. નીટની પરીક્ષાને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી અને આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી.. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એનટીએ પાસેથી જવાબ માગ્યો છે આ મામલે.. એનટીએને નોટિસ પાઠવવામાં આવી છે. નીટની પરીક્ષાને રદ્દ કરવામાં આવે તેમજ કાઉન્સિલિંગ પર રોક લગાવવામાં આવે તેવી દલીલ સુપ્રીમ કોર્ટમાં કરવામા આવી હતી જેને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ દલીલ તો સુપ્રીમ કોર્ટે ફગાવી પરંતુ એનટીએને નોટિસ જારી કરી જવાબ માગ્યો છે. આ મામલે હવે આગામી સુનાવણી 8 જુલાઈએ હાથ ધરવામાં આવશે.


પ્રિયંકા ગાંધીએ આ મામલે આપી પ્રતિક્રિયા

મહત્વનું છે કે નીટની પરીક્ષાને લઈ રાજકારણ ગરમાયું છે. આ મામલે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.. જયરામ રમેશ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરી છે. પ્રિયંકા ગાંધીએ પરીક્ષાર્થીનો વીડિયો મૂક્યો છે. ઉપર લખ્યું છે 

NEET जैसी परीक्षाओं में लाखों बच्चे मेहनत से तैयारी करते हैं और अपनी जिंदगी के सबसे कीमती पल इस तैयारी में लगाते हैं। पूरा परिवार इस प्रयास में अपनी श्रद्धा और शक्ति डालता है। लेकिन साल दर साल इन परीक्षाओं में पेपर लीक, रिजल्ट से जुड़ी गड़बड़ियाँ सामने आई हैं।


क्या परीक्षा कराने वाली एजेंसियों की जवाबदेही तय नहीं होनी चाहिए? क्या सरकार को लापरवाही वाला रवैया छोड़ परीक्षा प्रणाली पर गंभीरता से विचार नहीं करना चाहिए?


हम अपने युवा साथियों के सपनों को यूँ बिखरते हुए नहीं देख सकते। उनकी मेहनत के साथ सिस्टम द्वारा किया जा रहा ये अन्याय रुकना चाहिए।


सरकार को गंभीरता से इन गड़बड़ियों को सुधारने के लिए कदम उठाने होंगे।



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.