NEETની પરીક્ષાને લઈ Supreme Courtમાં સુનાવણી, NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટે કર્યો ઇનકાર...


  • Published By :
  • Published Date : 2024-06-11 13:33:09

વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય છે ત્યારે તેમના અનેક સપનાઓ હોય છે.. મોટા થઈને એન્જિનિયર બનીશું, મોટા થઈ ડોક્ટર બનીશું વગેરે વગેરે.. પરંતુ જ્યારે પેપર લીક થાય છે, પરીક્ષામાં ગેરરીતિ થાય છે ત્યારે તે સપનાઓ પર પાણી ફરી જતું હોય છે.. છેલ્લા થોડા સમયથી નીટ ચર્ચામાં થાય છે. નીટ-યુજી 2024ના રિઝલ્ટથી વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. નીટના પ્રવેશમાં ગડબડી થવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી એટલે કે NTAને  નોટિસ આપી છે અને જવાબ માંગ્યો છે. 

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો આ મામલો 

નીટની પરીક્ષા છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે.. પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં પરિણામને લઈ નારાજગી જોવા મળી રહી છે.. નીટની પરીક્ષાને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી અને આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી.. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એનટીએ પાસેથી જવાબ માગ્યો છે આ મામલે.. એનટીએને નોટિસ પાઠવવામાં આવી છે. નીટની પરીક્ષાને રદ્દ કરવામાં આવે તેમજ કાઉન્સિલિંગ પર રોક લગાવવામાં આવે તેવી દલીલ સુપ્રીમ કોર્ટમાં કરવામા આવી હતી જેને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ દલીલ તો સુપ્રીમ કોર્ટે ફગાવી પરંતુ એનટીએને નોટિસ જારી કરી જવાબ માગ્યો છે. આ મામલે હવે આગામી સુનાવણી 8 જુલાઈએ હાથ ધરવામાં આવશે.


પ્રિયંકા ગાંધીએ આ મામલે આપી પ્રતિક્રિયા

મહત્વનું છે કે નીટની પરીક્ષાને લઈ રાજકારણ ગરમાયું છે. આ મામલે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.. જયરામ રમેશ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરી છે. પ્રિયંકા ગાંધીએ પરીક્ષાર્થીનો વીડિયો મૂક્યો છે. ઉપર લખ્યું છે 

NEET जैसी परीक्षाओं में लाखों बच्चे मेहनत से तैयारी करते हैं और अपनी जिंदगी के सबसे कीमती पल इस तैयारी में लगाते हैं। पूरा परिवार इस प्रयास में अपनी श्रद्धा और शक्ति डालता है। लेकिन साल दर साल इन परीक्षाओं में पेपर लीक, रिजल्ट से जुड़ी गड़बड़ियाँ सामने आई हैं।


क्या परीक्षा कराने वाली एजेंसियों की जवाबदेही तय नहीं होनी चाहिए? क्या सरकार को लापरवाही वाला रवैया छोड़ परीक्षा प्रणाली पर गंभीरता से विचार नहीं करना चाहिए?


हम अपने युवा साथियों के सपनों को यूँ बिखरते हुए नहीं देख सकते। उनकी मेहनत के साथ सिस्टम द्वारा किया जा रहा ये अन्याय रुकना चाहिए।


सरकार को गंभीरता से इन गड़बड़ियों को सुधारने के लिए कदम उठाने होंगे।



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .