NEETની પરીક્ષાને લઈ Supreme Courtમાં સુનાવણી, NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટે કર્યો ઇનકાર...


  • Published By :
  • Published Date : 2024-06-11 13:33:09

વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય છે ત્યારે તેમના અનેક સપનાઓ હોય છે.. મોટા થઈને એન્જિનિયર બનીશું, મોટા થઈ ડોક્ટર બનીશું વગેરે વગેરે.. પરંતુ જ્યારે પેપર લીક થાય છે, પરીક્ષામાં ગેરરીતિ થાય છે ત્યારે તે સપનાઓ પર પાણી ફરી જતું હોય છે.. છેલ્લા થોડા સમયથી નીટ ચર્ચામાં થાય છે. નીટ-યુજી 2024ના રિઝલ્ટથી વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. નીટના પ્રવેશમાં ગડબડી થવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી એટલે કે NTAને  નોટિસ આપી છે અને જવાબ માંગ્યો છે. 

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો આ મામલો 

નીટની પરીક્ષા છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે.. પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં પરિણામને લઈ નારાજગી જોવા મળી રહી છે.. નીટની પરીક્ષાને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી અને આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી.. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એનટીએ પાસેથી જવાબ માગ્યો છે આ મામલે.. એનટીએને નોટિસ પાઠવવામાં આવી છે. નીટની પરીક્ષાને રદ્દ કરવામાં આવે તેમજ કાઉન્સિલિંગ પર રોક લગાવવામાં આવે તેવી દલીલ સુપ્રીમ કોર્ટમાં કરવામા આવી હતી જેને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ દલીલ તો સુપ્રીમ કોર્ટે ફગાવી પરંતુ એનટીએને નોટિસ જારી કરી જવાબ માગ્યો છે. આ મામલે હવે આગામી સુનાવણી 8 જુલાઈએ હાથ ધરવામાં આવશે.


પ્રિયંકા ગાંધીએ આ મામલે આપી પ્રતિક્રિયા

મહત્વનું છે કે નીટની પરીક્ષાને લઈ રાજકારણ ગરમાયું છે. આ મામલે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.. જયરામ રમેશ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરી છે. પ્રિયંકા ગાંધીએ પરીક્ષાર્થીનો વીડિયો મૂક્યો છે. ઉપર લખ્યું છે 

NEET जैसी परीक्षाओं में लाखों बच्चे मेहनत से तैयारी करते हैं और अपनी जिंदगी के सबसे कीमती पल इस तैयारी में लगाते हैं। पूरा परिवार इस प्रयास में अपनी श्रद्धा और शक्ति डालता है। लेकिन साल दर साल इन परीक्षाओं में पेपर लीक, रिजल्ट से जुड़ी गड़बड़ियाँ सामने आई हैं।


क्या परीक्षा कराने वाली एजेंसियों की जवाबदेही तय नहीं होनी चाहिए? क्या सरकार को लापरवाही वाला रवैया छोड़ परीक्षा प्रणाली पर गंभीरता से विचार नहीं करना चाहिए?


हम अपने युवा साथियों के सपनों को यूँ बिखरते हुए नहीं देख सकते। उनकी मेहनत के साथ सिस्टम द्वारा किया जा रहा ये अन्याय रुकना चाहिए।


सरकार को गंभीरता से इन गड़बड़ियों को सुधारने के लिए कदम उठाने होंगे।



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.