NEETની પરીક્ષાને લઈ Supreme Courtમાં સુનાવણી, NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટે કર્યો ઇનકાર...


  • Published By :
  • Published Date : 2024-06-11 13:33:09

વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય છે ત્યારે તેમના અનેક સપનાઓ હોય છે.. મોટા થઈને એન્જિનિયર બનીશું, મોટા થઈ ડોક્ટર બનીશું વગેરે વગેરે.. પરંતુ જ્યારે પેપર લીક થાય છે, પરીક્ષામાં ગેરરીતિ થાય છે ત્યારે તે સપનાઓ પર પાણી ફરી જતું હોય છે.. છેલ્લા થોડા સમયથી નીટ ચર્ચામાં થાય છે. નીટ-યુજી 2024ના રિઝલ્ટથી વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. નીટના પ્રવેશમાં ગડબડી થવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી એટલે કે NTAને  નોટિસ આપી છે અને જવાબ માંગ્યો છે. 

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો આ મામલો 

નીટની પરીક્ષા છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે.. પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં પરિણામને લઈ નારાજગી જોવા મળી રહી છે.. નીટની પરીક્ષાને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી અને આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી.. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એનટીએ પાસેથી જવાબ માગ્યો છે આ મામલે.. એનટીએને નોટિસ પાઠવવામાં આવી છે. નીટની પરીક્ષાને રદ્દ કરવામાં આવે તેમજ કાઉન્સિલિંગ પર રોક લગાવવામાં આવે તેવી દલીલ સુપ્રીમ કોર્ટમાં કરવામા આવી હતી જેને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ દલીલ તો સુપ્રીમ કોર્ટે ફગાવી પરંતુ એનટીએને નોટિસ જારી કરી જવાબ માગ્યો છે. આ મામલે હવે આગામી સુનાવણી 8 જુલાઈએ હાથ ધરવામાં આવશે.


પ્રિયંકા ગાંધીએ આ મામલે આપી પ્રતિક્રિયા

મહત્વનું છે કે નીટની પરીક્ષાને લઈ રાજકારણ ગરમાયું છે. આ મામલે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.. જયરામ રમેશ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરી છે. પ્રિયંકા ગાંધીએ પરીક્ષાર્થીનો વીડિયો મૂક્યો છે. ઉપર લખ્યું છે 

NEET जैसी परीक्षाओं में लाखों बच्चे मेहनत से तैयारी करते हैं और अपनी जिंदगी के सबसे कीमती पल इस तैयारी में लगाते हैं। पूरा परिवार इस प्रयास में अपनी श्रद्धा और शक्ति डालता है। लेकिन साल दर साल इन परीक्षाओं में पेपर लीक, रिजल्ट से जुड़ी गड़बड़ियाँ सामने आई हैं।


क्या परीक्षा कराने वाली एजेंसियों की जवाबदेही तय नहीं होनी चाहिए? क्या सरकार को लापरवाही वाला रवैया छोड़ परीक्षा प्रणाली पर गंभीरता से विचार नहीं करना चाहिए?


हम अपने युवा साथियों के सपनों को यूँ बिखरते हुए नहीं देख सकते। उनकी मेहनत के साथ सिस्टम द्वारा किया जा रहा ये अन्याय रुकना चाहिए।


सरकार को गंभीरता से इन गड़बड़ियों को सुधारने के लिए कदम उठाने होंगे।



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.