પંજાબના ગવર્નરને સુપ્રીમ કોર્ટેની ફટકાર, " રાજ્યપાલ ગૃહના ખરડાને શા માટે રોકે છે, તે ચૂંટાયેલા પ્રતિનિધિ નથી"


  • Published By :
  • Published Date : 2023-11-07 15:23:05

દેશના કેટલાક રાજ્યો અને રાજ્ય સરકારો વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે, રાજ્ય સરકારે વિધાન સભામાં પસાર કરેલા બિલ પર રાજ્યપાલ હસ્તાક્ષર ન કરતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આજે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર કાર્યવાહી ન કરવા બદલ પંજાબ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગવર્નર બનવારીલાલ પુરોહિત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા CJI DY ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે રાજ્યપાલોએ સમજવું જોઈએ કે તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી. ગવર્નર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે પુરોહિતે બિલ પર 'યોગ્ય નિર્ણય' લીધો છે. તેના પર CJIએ સવાલ કર્યો હતો કે આવા મામલા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા પછી જ રાજ્યપાલ કેમ પગલાં લઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આવું ન થવું જોઈએ. કોર્ટે વિધાનસભા સત્રને કામચલાઉ મુલતવી રાખવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટની બેન્ચે બિલ પર રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અંગે અપડેટ રિપોર્ટ માંગ્યો હતો અને કહ્યું હતું કે તે શુક્રવારે કેરળ અને તમિલનાડુ સરકારો દ્વારા દાખલ કરવામાં આવેલી સમાન અરજીઓ સાથે આગળની સુનાવણી કરશે.


રાજ્યપાલો આત્મમંથન કરે


રાજ્ય સરકારોએ ગૃહમાં પસાર કરેલા ખરડા રાજ્યપાલ શા માટે અટકાવે છે? રાજ્યપાલોએ એ યાદ રાખવું જોઈએ અને આત્મચિંતન કરવું જોઈએ કે તેમને પ્રજાએ નથી ચૂંટ્યા. રાજ્યપાલોએ કૅબિનેટની સલાહ પ્રમાણે જ કામ કરવાનું હોય છે તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે સાત વિધેયકને મંજૂરીમાં વિલંબ અંગે રાજ્ય સરકારે અરજી કરી હતી. આ અંગે સોમવારે ચીફ જસ્ટિસ ચન્દ્રચૂડની બેન્ચે કહ્યું હતું કે રાજ્ય સરકારો કોર્ટનાં દ્વાર ખખડાવે પછી જ રાજ્યપાલો કાર્યવાહી કરે છે.


શું છે સમગ્ર મામલો?


પંજાબના  રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે વર્તમાન આમ આદમી પાર્ટી (AAP)ની આગેવાની હેઠળની સરકારના કાર્યકાળ દરમિયાન પંજાબ એસેમ્બલી દ્વારા પસાર કરાયેલા 27 બિલમાંથી 22ને તેમની સંમતિ આપી દીધી છે. પુરોહિત અને મુખ્ય પ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળની સરકાર વચ્ચેનો તાજેતરનો વિવાદ ત્રણ મની બિલને લગતો છે જે રાજ્યને 20 ઓક્ટોબરે ચોથા બજેટ સત્રના વિશેષ સત્ર દરમિયાન રજૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.


1 નવેમ્બરના રોજ, પુરોહિતે ત્રણમાંથી બે મની બિલને તેમની સંમતિ આપી, માન દ્વારા એક પત્ર લખ્યાના દિવસો પછી કે તેઓ વિધાનસભામાં રજૂ કરવાની મંજૂરી આપતા પહેલા તમામ સૂચિત કાયદાઓને યોગ્યતાઓ પર તપાસશે. ગૃહમાં મની બિલ રજૂ કરવા માટે રાજ્યપાલની મંજૂરી જરૂરી છે.


જો કે, 19 ઓક્ટોબરના રોજ પંજાબના મુખ્ય પ્રધાનને લખેલા તેમના પ્રથમ પત્રમાં રાજ્યપાલે ત્રણ નાણાં બિલને તેમની સંમતિ અટકાવી દીધી હતી. પુરોહિતે પંજાબ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2023, પંજાબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2023 અને ઈન્ડિયન સ્ટેમ્પ (પંજાબ એમેન્ડમેન્ટ) બિલ, 2023ને તેમની સંમતિ અટકાવી દીધી છે, જેને પંજાબ એસેમ્બલીમાં 20-21 ઓક્ટોબર દરમિયાન રજૂ કરવાનું  હતું.



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.