પંજાબના ગવર્નરને સુપ્રીમ કોર્ટેની ફટકાર, " રાજ્યપાલ ગૃહના ખરડાને શા માટે રોકે છે, તે ચૂંટાયેલા પ્રતિનિધિ નથી"


  • Published By :
  • Published Date : 2023-11-07 15:23:05

દેશના કેટલાક રાજ્યો અને રાજ્ય સરકારો વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે, રાજ્ય સરકારે વિધાન સભામાં પસાર કરેલા બિલ પર રાજ્યપાલ હસ્તાક્ષર ન કરતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આજે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર કાર્યવાહી ન કરવા બદલ પંજાબ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગવર્નર બનવારીલાલ પુરોહિત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા CJI DY ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે રાજ્યપાલોએ સમજવું જોઈએ કે તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી. ગવર્નર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે પુરોહિતે બિલ પર 'યોગ્ય નિર્ણય' લીધો છે. તેના પર CJIએ સવાલ કર્યો હતો કે આવા મામલા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા પછી જ રાજ્યપાલ કેમ પગલાં લઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આવું ન થવું જોઈએ. કોર્ટે વિધાનસભા સત્રને કામચલાઉ મુલતવી રાખવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટની બેન્ચે બિલ પર રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અંગે અપડેટ રિપોર્ટ માંગ્યો હતો અને કહ્યું હતું કે તે શુક્રવારે કેરળ અને તમિલનાડુ સરકારો દ્વારા દાખલ કરવામાં આવેલી સમાન અરજીઓ સાથે આગળની સુનાવણી કરશે.


રાજ્યપાલો આત્મમંથન કરે


રાજ્ય સરકારોએ ગૃહમાં પસાર કરેલા ખરડા રાજ્યપાલ શા માટે અટકાવે છે? રાજ્યપાલોએ એ યાદ રાખવું જોઈએ અને આત્મચિંતન કરવું જોઈએ કે તેમને પ્રજાએ નથી ચૂંટ્યા. રાજ્યપાલોએ કૅબિનેટની સલાહ પ્રમાણે જ કામ કરવાનું હોય છે તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે સાત વિધેયકને મંજૂરીમાં વિલંબ અંગે રાજ્ય સરકારે અરજી કરી હતી. આ અંગે સોમવારે ચીફ જસ્ટિસ ચન્દ્રચૂડની બેન્ચે કહ્યું હતું કે રાજ્ય સરકારો કોર્ટનાં દ્વાર ખખડાવે પછી જ રાજ્યપાલો કાર્યવાહી કરે છે.


શું છે સમગ્ર મામલો?


પંજાબના  રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે વર્તમાન આમ આદમી પાર્ટી (AAP)ની આગેવાની હેઠળની સરકારના કાર્યકાળ દરમિયાન પંજાબ એસેમ્બલી દ્વારા પસાર કરાયેલા 27 બિલમાંથી 22ને તેમની સંમતિ આપી દીધી છે. પુરોહિત અને મુખ્ય પ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળની સરકાર વચ્ચેનો તાજેતરનો વિવાદ ત્રણ મની બિલને લગતો છે જે રાજ્યને 20 ઓક્ટોબરે ચોથા બજેટ સત્રના વિશેષ સત્ર દરમિયાન રજૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.


1 નવેમ્બરના રોજ, પુરોહિતે ત્રણમાંથી બે મની બિલને તેમની સંમતિ આપી, માન દ્વારા એક પત્ર લખ્યાના દિવસો પછી કે તેઓ વિધાનસભામાં રજૂ કરવાની મંજૂરી આપતા પહેલા તમામ સૂચિત કાયદાઓને યોગ્યતાઓ પર તપાસશે. ગૃહમાં મની બિલ રજૂ કરવા માટે રાજ્યપાલની મંજૂરી જરૂરી છે.


જો કે, 19 ઓક્ટોબરના રોજ પંજાબના મુખ્ય પ્રધાનને લખેલા તેમના પ્રથમ પત્રમાં રાજ્યપાલે ત્રણ નાણાં બિલને તેમની સંમતિ અટકાવી દીધી હતી. પુરોહિતે પંજાબ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2023, પંજાબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2023 અને ઈન્ડિયન સ્ટેમ્પ (પંજાબ એમેન્ડમેન્ટ) બિલ, 2023ને તેમની સંમતિ અટકાવી દીધી છે, જેને પંજાબ એસેમ્બલીમાં 20-21 ઓક્ટોબર દરમિયાન રજૂ કરવાનું  હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે