પંજાબના ગવર્નરને સુપ્રીમ કોર્ટેની ફટકાર, " રાજ્યપાલ ગૃહના ખરડાને શા માટે રોકે છે, તે ચૂંટાયેલા પ્રતિનિધિ નથી"


  • Published By :
  • Published Date : 2023-11-07 15:23:05

દેશના કેટલાક રાજ્યો અને રાજ્ય સરકારો વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે, રાજ્ય સરકારે વિધાન સભામાં પસાર કરેલા બિલ પર રાજ્યપાલ હસ્તાક્ષર ન કરતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આજે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર કાર્યવાહી ન કરવા બદલ પંજાબ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગવર્નર બનવારીલાલ પુરોહિત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા CJI DY ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે રાજ્યપાલોએ સમજવું જોઈએ કે તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી. ગવર્નર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે પુરોહિતે બિલ પર 'યોગ્ય નિર્ણય' લીધો છે. તેના પર CJIએ સવાલ કર્યો હતો કે આવા મામલા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા પછી જ રાજ્યપાલ કેમ પગલાં લઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આવું ન થવું જોઈએ. કોર્ટે વિધાનસભા સત્રને કામચલાઉ મુલતવી રાખવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટની બેન્ચે બિલ પર રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અંગે અપડેટ રિપોર્ટ માંગ્યો હતો અને કહ્યું હતું કે તે શુક્રવારે કેરળ અને તમિલનાડુ સરકારો દ્વારા દાખલ કરવામાં આવેલી સમાન અરજીઓ સાથે આગળની સુનાવણી કરશે.


રાજ્યપાલો આત્મમંથન કરે


રાજ્ય સરકારોએ ગૃહમાં પસાર કરેલા ખરડા રાજ્યપાલ શા માટે અટકાવે છે? રાજ્યપાલોએ એ યાદ રાખવું જોઈએ અને આત્મચિંતન કરવું જોઈએ કે તેમને પ્રજાએ નથી ચૂંટ્યા. રાજ્યપાલોએ કૅબિનેટની સલાહ પ્રમાણે જ કામ કરવાનું હોય છે તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે સાત વિધેયકને મંજૂરીમાં વિલંબ અંગે રાજ્ય સરકારે અરજી કરી હતી. આ અંગે સોમવારે ચીફ જસ્ટિસ ચન્દ્રચૂડની બેન્ચે કહ્યું હતું કે રાજ્ય સરકારો કોર્ટનાં દ્વાર ખખડાવે પછી જ રાજ્યપાલો કાર્યવાહી કરે છે.


શું છે સમગ્ર મામલો?


પંજાબના  રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે વર્તમાન આમ આદમી પાર્ટી (AAP)ની આગેવાની હેઠળની સરકારના કાર્યકાળ દરમિયાન પંજાબ એસેમ્બલી દ્વારા પસાર કરાયેલા 27 બિલમાંથી 22ને તેમની સંમતિ આપી દીધી છે. પુરોહિત અને મુખ્ય પ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળની સરકાર વચ્ચેનો તાજેતરનો વિવાદ ત્રણ મની બિલને લગતો છે જે રાજ્યને 20 ઓક્ટોબરે ચોથા બજેટ સત્રના વિશેષ સત્ર દરમિયાન રજૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.


1 નવેમ્બરના રોજ, પુરોહિતે ત્રણમાંથી બે મની બિલને તેમની સંમતિ આપી, માન દ્વારા એક પત્ર લખ્યાના દિવસો પછી કે તેઓ વિધાનસભામાં રજૂ કરવાની મંજૂરી આપતા પહેલા તમામ સૂચિત કાયદાઓને યોગ્યતાઓ પર તપાસશે. ગૃહમાં મની બિલ રજૂ કરવા માટે રાજ્યપાલની મંજૂરી જરૂરી છે.


જો કે, 19 ઓક્ટોબરના રોજ પંજાબના મુખ્ય પ્રધાનને લખેલા તેમના પ્રથમ પત્રમાં રાજ્યપાલે ત્રણ નાણાં બિલને તેમની સંમતિ અટકાવી દીધી હતી. પુરોહિતે પંજાબ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2023, પંજાબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2023 અને ઈન્ડિયન સ્ટેમ્પ (પંજાબ એમેન્ડમેન્ટ) બિલ, 2023ને તેમની સંમતિ અટકાવી દીધી છે, જેને પંજાબ એસેમ્બલીમાં 20-21 ઓક્ટોબર દરમિયાન રજૂ કરવાનું  હતું.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.