પંજાબના ગવર્નરને સુપ્રીમ કોર્ટેની ફટકાર, " રાજ્યપાલ ગૃહના ખરડાને શા માટે રોકે છે, તે ચૂંટાયેલા પ્રતિનિધિ નથી"


  • Published By :
  • Published Date : 2023-11-07 15:23:05

દેશના કેટલાક રાજ્યો અને રાજ્ય સરકારો વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે, રાજ્ય સરકારે વિધાન સભામાં પસાર કરેલા બિલ પર રાજ્યપાલ હસ્તાક્ષર ન કરતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આજે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર કાર્યવાહી ન કરવા બદલ પંજાબ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગવર્નર બનવારીલાલ પુરોહિત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા CJI DY ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે રાજ્યપાલોએ સમજવું જોઈએ કે તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી. ગવર્નર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે પુરોહિતે બિલ પર 'યોગ્ય નિર્ણય' લીધો છે. તેના પર CJIએ સવાલ કર્યો હતો કે આવા મામલા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા પછી જ રાજ્યપાલ કેમ પગલાં લઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આવું ન થવું જોઈએ. કોર્ટે વિધાનસભા સત્રને કામચલાઉ મુલતવી રાખવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટની બેન્ચે બિલ પર રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અંગે અપડેટ રિપોર્ટ માંગ્યો હતો અને કહ્યું હતું કે તે શુક્રવારે કેરળ અને તમિલનાડુ સરકારો દ્વારા દાખલ કરવામાં આવેલી સમાન અરજીઓ સાથે આગળની સુનાવણી કરશે.


રાજ્યપાલો આત્મમંથન કરે


રાજ્ય સરકારોએ ગૃહમાં પસાર કરેલા ખરડા રાજ્યપાલ શા માટે અટકાવે છે? રાજ્યપાલોએ એ યાદ રાખવું જોઈએ અને આત્મચિંતન કરવું જોઈએ કે તેમને પ્રજાએ નથી ચૂંટ્યા. રાજ્યપાલોએ કૅબિનેટની સલાહ પ્રમાણે જ કામ કરવાનું હોય છે તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે સાત વિધેયકને મંજૂરીમાં વિલંબ અંગે રાજ્ય સરકારે અરજી કરી હતી. આ અંગે સોમવારે ચીફ જસ્ટિસ ચન્દ્રચૂડની બેન્ચે કહ્યું હતું કે રાજ્ય સરકારો કોર્ટનાં દ્વાર ખખડાવે પછી જ રાજ્યપાલો કાર્યવાહી કરે છે.


શું છે સમગ્ર મામલો?


પંજાબના  રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે વર્તમાન આમ આદમી પાર્ટી (AAP)ની આગેવાની હેઠળની સરકારના કાર્યકાળ દરમિયાન પંજાબ એસેમ્બલી દ્વારા પસાર કરાયેલા 27 બિલમાંથી 22ને તેમની સંમતિ આપી દીધી છે. પુરોહિત અને મુખ્ય પ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળની સરકાર વચ્ચેનો તાજેતરનો વિવાદ ત્રણ મની બિલને લગતો છે જે રાજ્યને 20 ઓક્ટોબરે ચોથા બજેટ સત્રના વિશેષ સત્ર દરમિયાન રજૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.


1 નવેમ્બરના રોજ, પુરોહિતે ત્રણમાંથી બે મની બિલને તેમની સંમતિ આપી, માન દ્વારા એક પત્ર લખ્યાના દિવસો પછી કે તેઓ વિધાનસભામાં રજૂ કરવાની મંજૂરી આપતા પહેલા તમામ સૂચિત કાયદાઓને યોગ્યતાઓ પર તપાસશે. ગૃહમાં મની બિલ રજૂ કરવા માટે રાજ્યપાલની મંજૂરી જરૂરી છે.


જો કે, 19 ઓક્ટોબરના રોજ પંજાબના મુખ્ય પ્રધાનને લખેલા તેમના પ્રથમ પત્રમાં રાજ્યપાલે ત્રણ નાણાં બિલને તેમની સંમતિ અટકાવી દીધી હતી. પુરોહિતે પંજાબ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2023, પંજાબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2023 અને ઈન્ડિયન સ્ટેમ્પ (પંજાબ એમેન્ડમેન્ટ) બિલ, 2023ને તેમની સંમતિ અટકાવી દીધી છે, જેને પંજાબ એસેમ્બલીમાં 20-21 ઓક્ટોબર દરમિયાન રજૂ કરવાનું  હતું.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.