લઘુમતીઓની ઓળખ મામલે સુપ્રીમ કોર્ટની રાજ્યોને ફટકાર, જવાબ રજુ કરવા માટે આપી છેલ્લી તક


  • Published By :
  • Published Date : 2024-01-12 21:25:11

લઘુમતીઓની ઓળખ જિલ્લા સ્તરે જ કરવા સંબંધિત અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યોને આ મામલે જવાબ દાખલ કરવાની છેલ્લી તક આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલાક રાજ્યોએ હજુ સુધી આ મામલે પોતાનો જવાબ દાખલ કર્યો નથી. કોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને રાજ્યોને છેલ્લી તક આપી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારને લઘુમતી શબ્દની વ્યાખ્યા કરવાનો નિર્દેશ આપવામાં આવે અને જિલ્લા સ્તરે લઘુમતીઓને ઓળખવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવે. શુક્રવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેંચ સમક્ષ આ કેસની સુનાવણી થઈ હતી. આ દરમિયાન જસ્ટિસ ખન્નાએ કહ્યું કે રાજ્યોને ડેટા રજૂ કરવાની છેલ્લી તક આપવામાં આવે છે, જો આમ નહીં કરવામાં આવે તો અમે દંડ ફટકારીશું.


કેન્દ્ર સરકારે આપ્યો આ જવાબ


સુપ્રીમ કોર્ટે રાજ્ય સ્તરે હિંદુઓ અને અન્ય લઘુમતીઓની ઓળખ સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મહિનામાં અલગ-અલગ સ્ટેન્ડ લેવા અંગે છેલ્લી સુનાવણી દરમિયાન નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ કહ્યું હતું કે જ્યાં હિંદુ, જૈન અને અન્ય સમુદાયોની સંખ્યા ઓછી છે તેવા રાજ્યોને લઘુમતીનો દરજ્જો આપવો કે નહીં તે નક્કી કરવાનું રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું છે. પરંતુ બાદમાં કેન્દ્ર સરકારે તેના નવા સોગંદનામામાં કહ્યું હતું કે કેન્દ્રને લઘુમતીઓને સુચીબધ્ધ આપવાનો અધિકાર છે.


શું છે દેવકીનંદન ઠાકુરની અરજી?


રાષ્ટ્રીય લઘુમતી આયોગ (NCM) કાયદાની જોગવાઈને પડકારતી નવી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પિટિશનમાં કેન્દ્ર સરકારને લઘુમતીઓની વ્યાખ્યા કરવા માટે જિલ્લા સ્તરે લઘુમતીઓને ઓળખવા માટે સૂચના જારી કરવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. મથુરાના રહેવાસી દેવકીનંદન ઠાકુરે દાખલ કરેલી અરજીમાં લઘુમતી સમુદાયને લઈને સરકાર દ્વારા 23 ઓક્ટોબર, 1993ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનને મનસ્વી અને અતાર્કિક ગણાવવામાં આવ્યું છે અને તે બંધારણની કલમ 14, 15, 21, 29 અને 31ની વિરુદ્ધ છે.


એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની અગાઉની અરજી શું છે?


સુપ્રીમ કોર્ટના જાણીતા એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દેશભરના 9 રાજ્યોમાં હિંદુઓ લઘુમતી છે પરંતુ તેઓ લઘુમતી યોજનાઓનો લાભ લઈ શકતા નથી. અરજદાર અશ્વિની ઉપાધ્યાયે 1992ના લઘુમતી આયોગ અધિનિયમ અને 2004ના લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ અધિનિયમની બંધારણીય માન્યતાને પડકારી છે. અરજદારનું કહેવું છે કે બંધારણની કલમ 14 દરેકને સમાન અધિકાર આપે છે અને કલમ 15 ભેદભાવને પ્રતિબંધિત કરે છે. પિટિશનમાં એવી પણ વિનંતી કરવામાં આવી છે કે જો કાયદાને યથાવત રાખવામાં આવે તો જે નવ રાજ્યોમાં હિંદુઓ લઘુમતીમાં છે તેમને રાજ્ય સ્તરે લઘુમતીનો દરજ્જો આપવામાં આવે જેથી તેમને લઘુમતીનો લાભ મળે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.