લઘુમતીઓની ઓળખ મામલે સુપ્રીમ કોર્ટની રાજ્યોને ફટકાર, જવાબ રજુ કરવા માટે આપી છેલ્લી તક


  • Published By :
  • Published Date : 2024-01-12 21:25:11

લઘુમતીઓની ઓળખ જિલ્લા સ્તરે જ કરવા સંબંધિત અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યોને આ મામલે જવાબ દાખલ કરવાની છેલ્લી તક આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલાક રાજ્યોએ હજુ સુધી આ મામલે પોતાનો જવાબ દાખલ કર્યો નથી. કોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને રાજ્યોને છેલ્લી તક આપી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારને લઘુમતી શબ્દની વ્યાખ્યા કરવાનો નિર્દેશ આપવામાં આવે અને જિલ્લા સ્તરે લઘુમતીઓને ઓળખવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવે. શુક્રવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેંચ સમક્ષ આ કેસની સુનાવણી થઈ હતી. આ દરમિયાન જસ્ટિસ ખન્નાએ કહ્યું કે રાજ્યોને ડેટા રજૂ કરવાની છેલ્લી તક આપવામાં આવે છે, જો આમ નહીં કરવામાં આવે તો અમે દંડ ફટકારીશું.


કેન્દ્ર સરકારે આપ્યો આ જવાબ


સુપ્રીમ કોર્ટે રાજ્ય સ્તરે હિંદુઓ અને અન્ય લઘુમતીઓની ઓળખ સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મહિનામાં અલગ-અલગ સ્ટેન્ડ લેવા અંગે છેલ્લી સુનાવણી દરમિયાન નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ કહ્યું હતું કે જ્યાં હિંદુ, જૈન અને અન્ય સમુદાયોની સંખ્યા ઓછી છે તેવા રાજ્યોને લઘુમતીનો દરજ્જો આપવો કે નહીં તે નક્કી કરવાનું રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું છે. પરંતુ બાદમાં કેન્દ્ર સરકારે તેના નવા સોગંદનામામાં કહ્યું હતું કે કેન્દ્રને લઘુમતીઓને સુચીબધ્ધ આપવાનો અધિકાર છે.


શું છે દેવકીનંદન ઠાકુરની અરજી?


રાષ્ટ્રીય લઘુમતી આયોગ (NCM) કાયદાની જોગવાઈને પડકારતી નવી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પિટિશનમાં કેન્દ્ર સરકારને લઘુમતીઓની વ્યાખ્યા કરવા માટે જિલ્લા સ્તરે લઘુમતીઓને ઓળખવા માટે સૂચના જારી કરવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. મથુરાના રહેવાસી દેવકીનંદન ઠાકુરે દાખલ કરેલી અરજીમાં લઘુમતી સમુદાયને લઈને સરકાર દ્વારા 23 ઓક્ટોબર, 1993ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનને મનસ્વી અને અતાર્કિક ગણાવવામાં આવ્યું છે અને તે બંધારણની કલમ 14, 15, 21, 29 અને 31ની વિરુદ્ધ છે.


એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની અગાઉની અરજી શું છે?


સુપ્રીમ કોર્ટના જાણીતા એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દેશભરના 9 રાજ્યોમાં હિંદુઓ લઘુમતી છે પરંતુ તેઓ લઘુમતી યોજનાઓનો લાભ લઈ શકતા નથી. અરજદાર અશ્વિની ઉપાધ્યાયે 1992ના લઘુમતી આયોગ અધિનિયમ અને 2004ના લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ અધિનિયમની બંધારણીય માન્યતાને પડકારી છે. અરજદારનું કહેવું છે કે બંધારણની કલમ 14 દરેકને સમાન અધિકાર આપે છે અને કલમ 15 ભેદભાવને પ્રતિબંધિત કરે છે. પિટિશનમાં એવી પણ વિનંતી કરવામાં આવી છે કે જો કાયદાને યથાવત રાખવામાં આવે તો જે નવ રાજ્યોમાં હિંદુઓ લઘુમતીમાં છે તેમને રાજ્ય સ્તરે લઘુમતીનો દરજ્જો આપવામાં આવે જેથી તેમને લઘુમતીનો લાભ મળે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.