લઘુમતીઓની ઓળખ મામલે સુપ્રીમ કોર્ટની રાજ્યોને ફટકાર, જવાબ રજુ કરવા માટે આપી છેલ્લી તક


  • Published By :
  • Published Date : 2024-01-12 21:25:11

લઘુમતીઓની ઓળખ જિલ્લા સ્તરે જ કરવા સંબંધિત અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યોને આ મામલે જવાબ દાખલ કરવાની છેલ્લી તક આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલાક રાજ્યોએ હજુ સુધી આ મામલે પોતાનો જવાબ દાખલ કર્યો નથી. કોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને રાજ્યોને છેલ્લી તક આપી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારને લઘુમતી શબ્દની વ્યાખ્યા કરવાનો નિર્દેશ આપવામાં આવે અને જિલ્લા સ્તરે લઘુમતીઓને ઓળખવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવે. શુક્રવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેંચ સમક્ષ આ કેસની સુનાવણી થઈ હતી. આ દરમિયાન જસ્ટિસ ખન્નાએ કહ્યું કે રાજ્યોને ડેટા રજૂ કરવાની છેલ્લી તક આપવામાં આવે છે, જો આમ નહીં કરવામાં આવે તો અમે દંડ ફટકારીશું.


કેન્દ્ર સરકારે આપ્યો આ જવાબ


સુપ્રીમ કોર્ટે રાજ્ય સ્તરે હિંદુઓ અને અન્ય લઘુમતીઓની ઓળખ સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મહિનામાં અલગ-અલગ સ્ટેન્ડ લેવા અંગે છેલ્લી સુનાવણી દરમિયાન નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ કહ્યું હતું કે જ્યાં હિંદુ, જૈન અને અન્ય સમુદાયોની સંખ્યા ઓછી છે તેવા રાજ્યોને લઘુમતીનો દરજ્જો આપવો કે નહીં તે નક્કી કરવાનું રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું છે. પરંતુ બાદમાં કેન્દ્ર સરકારે તેના નવા સોગંદનામામાં કહ્યું હતું કે કેન્દ્રને લઘુમતીઓને સુચીબધ્ધ આપવાનો અધિકાર છે.


શું છે દેવકીનંદન ઠાકુરની અરજી?


રાષ્ટ્રીય લઘુમતી આયોગ (NCM) કાયદાની જોગવાઈને પડકારતી નવી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પિટિશનમાં કેન્દ્ર સરકારને લઘુમતીઓની વ્યાખ્યા કરવા માટે જિલ્લા સ્તરે લઘુમતીઓને ઓળખવા માટે સૂચના જારી કરવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. મથુરાના રહેવાસી દેવકીનંદન ઠાકુરે દાખલ કરેલી અરજીમાં લઘુમતી સમુદાયને લઈને સરકાર દ્વારા 23 ઓક્ટોબર, 1993ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનને મનસ્વી અને અતાર્કિક ગણાવવામાં આવ્યું છે અને તે બંધારણની કલમ 14, 15, 21, 29 અને 31ની વિરુદ્ધ છે.


એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની અગાઉની અરજી શું છે?


સુપ્રીમ કોર્ટના જાણીતા એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દેશભરના 9 રાજ્યોમાં હિંદુઓ લઘુમતી છે પરંતુ તેઓ લઘુમતી યોજનાઓનો લાભ લઈ શકતા નથી. અરજદાર અશ્વિની ઉપાધ્યાયે 1992ના લઘુમતી આયોગ અધિનિયમ અને 2004ના લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ અધિનિયમની બંધારણીય માન્યતાને પડકારી છે. અરજદારનું કહેવું છે કે બંધારણની કલમ 14 દરેકને સમાન અધિકાર આપે છે અને કલમ 15 ભેદભાવને પ્રતિબંધિત કરે છે. પિટિશનમાં એવી પણ વિનંતી કરવામાં આવી છે કે જો કાયદાને યથાવત રાખવામાં આવે તો જે નવ રાજ્યોમાં હિંદુઓ લઘુમતીમાં છે તેમને રાજ્ય સ્તરે લઘુમતીનો દરજ્જો આપવામાં આવે જેથી તેમને લઘુમતીનો લાભ મળે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.