Electoral Bond મામલે Supreme Court કડક! કોણ છે તે 15 લોકો જેમણે 100 કરોડ રૂપિયાથી વધારેના બોન્ડ ખરીદ્યા? અનેકના નામ વાંચી ચોંકી જશો!


  • Published By :
  • Published Date : 2024-03-19 16:59:29

થોડા સમય બાદ લોકસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણી યોજાય તે પહેલા ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો હતો, ચૂંટણી બોન્ડને રદ્દ કરવામાં આવ્યું ઉપરાંત એસબીઆઈ પાસેથી ચૂંટણી બોન્ડને લઈ ડેટા પણ મંગાવવામાં આવ્યા. ચૂંટણી બોન્ડની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એસબીઆઈની અનેક વખત ઝાટકણી કાઢી. કઈ કંપનીએ કેટલાના બોન્ડ ખરીદ્યા તે અંગેની જાણકારી આપવામાં આવી, કઈ પાર્ટીને કેટલા કરોડનું દાન મળ્યું તેની માહિતી આપવામાં આવી. પરંતુ બોન્ડ નંબર જાહેર કરવામાં ન આવ્યો હતો જેને લઈ સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. મોટી મોટી કંપનીઓએ કરોડોના બોન્ડ ખરીદ્યા છે પરંતુ એવી અનેક નાની કંપનીઓ છે જેનું ટોટલ કરીએ તો 100 કરોડ ઉપર થઈ જાય.

એસબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી પરંતુ...  

ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ચૂંટણી બોન્ડને કારણે પાર્ટીને ગુપ્ત દાન મળે છે. પૈસા મળી જાય પરંતુ કોણે આપ્યા તેની ખબર ના પડે.! ત્યારે ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી બોન્ડને રદ્દ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા એસબીઆઈને આદેશ આપવામાં આવ્યો હતો કે સંપૂર્ણ માહિતી આપવામાં આવે. ડેટા આપવા માટે સમય આપવામાં આવે તે માટે અરજી કરવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તે અરજીને ફગાવી દીધી અને સમય મર્યાદાની અંદર ડેટા સબ્મીટ કરવામાં આદેશ આપ્યો હતો. તે બાદ જે ડેટા સામે આવ્યો તે આપણે જાણીએ છીએ. 


કરોડોના બોન્ડ ખરીદ્યા છે અનેક કંપનીઓએ

આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે મોટી રકમ દાનમાં આપવાવાળા કંપની વિશે વાત કરતા હોઈએ છીએ પરંતુ અનેક વખત નાની રકમ દાન આપનારી કંપની વિશે નથી વાત કરતા. અનેક એવી કંપનીઓ છે જેણે 5 કરોડ કે તેથી વધારેનો બોન્ડ ખરીદ્યો છે. જોવામાં આ રકમ નાની લાગે પરંતુ જ્યારે આવી અનેક રકમ ભેગી થાય ત્યારે તે આંકડો 100 કરોડને પાર પહોંચી જાય. એવી 15 કંપની વિશે વાત કરીએ જેમણે મળીને 100 કરોડથી વધારેનો ચૂંટણી બોન્ડ ખરીદ્યો છે. 


કોણે કેટલાના ખરીદ્યા બોન્ડ? 

મીડિયા રિપોર્ટ અનુસાર લક્ષ્મી નિવાસ મિત્તલ દ્વારા 35 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા છે. લક્ષ્મીદાસ વલ્લભદાસ મર્ચેટે 25 કરોડના બોન્ડ ખરીદ્યા છે. તો રાહુલ ભાટિયાએ 20 કરોડના બોન્ડ ખરીદ્યા છે. ઈંદર ઠાકુરદાસ જયસિંઘાનીએ 14 કરોડના, જ્યારે રાજેશ મન્નાલાલ અગ્રવાલે 13 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે. હરમેશ રાહુલ જોશી તેમજ રાહુલ જગન્નાથ જોશીએ કુલ મળીને 10-10 કરોડના બોન્ડ ખરીદ્યા છે. તે ઉપરાંત 6 કરોડના બોન્ડ કિરણ મજૂમદાર શો દ્વારા ખરીદવામાં આવ્યા છે. તે ઉપરાંત ઈંદ્રાણી પટનાયકે 5 કરોડના, સુધાકર કંચારલાએ 5 કરોડના જ્યારે અભ્રજીત મિત્રાએ 4.25 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે. સરોજીત કુમારે 3.4 કરોડના, જ્યારે દિલીપ રમનલાલ ઠાકરએ 3 કરોડના બોન્ડ ખરીદ્યા છે. પ્રકાશ મેંગને 3 કરોડના જ્યારે નિર્મલ કુમાર બથવાલે 2 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે. 




ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.