Electoral Bond મામલે Supreme Court કડક! કોણ છે તે 15 લોકો જેમણે 100 કરોડ રૂપિયાથી વધારેના બોન્ડ ખરીદ્યા? અનેકના નામ વાંચી ચોંકી જશો!


  • Published By :
  • Published Date : 2024-03-19 16:59:29

થોડા સમય બાદ લોકસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણી યોજાય તે પહેલા ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો હતો, ચૂંટણી બોન્ડને રદ્દ કરવામાં આવ્યું ઉપરાંત એસબીઆઈ પાસેથી ચૂંટણી બોન્ડને લઈ ડેટા પણ મંગાવવામાં આવ્યા. ચૂંટણી બોન્ડની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એસબીઆઈની અનેક વખત ઝાટકણી કાઢી. કઈ કંપનીએ કેટલાના બોન્ડ ખરીદ્યા તે અંગેની જાણકારી આપવામાં આવી, કઈ પાર્ટીને કેટલા કરોડનું દાન મળ્યું તેની માહિતી આપવામાં આવી. પરંતુ બોન્ડ નંબર જાહેર કરવામાં ન આવ્યો હતો જેને લઈ સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. મોટી મોટી કંપનીઓએ કરોડોના બોન્ડ ખરીદ્યા છે પરંતુ એવી અનેક નાની કંપનીઓ છે જેનું ટોટલ કરીએ તો 100 કરોડ ઉપર થઈ જાય.

એસબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી પરંતુ...  

ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ચૂંટણી બોન્ડને કારણે પાર્ટીને ગુપ્ત દાન મળે છે. પૈસા મળી જાય પરંતુ કોણે આપ્યા તેની ખબર ના પડે.! ત્યારે ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી બોન્ડને રદ્દ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા એસબીઆઈને આદેશ આપવામાં આવ્યો હતો કે સંપૂર્ણ માહિતી આપવામાં આવે. ડેટા આપવા માટે સમય આપવામાં આવે તે માટે અરજી કરવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તે અરજીને ફગાવી દીધી અને સમય મર્યાદાની અંદર ડેટા સબ્મીટ કરવામાં આદેશ આપ્યો હતો. તે બાદ જે ડેટા સામે આવ્યો તે આપણે જાણીએ છીએ. 


કરોડોના બોન્ડ ખરીદ્યા છે અનેક કંપનીઓએ

આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે મોટી રકમ દાનમાં આપવાવાળા કંપની વિશે વાત કરતા હોઈએ છીએ પરંતુ અનેક વખત નાની રકમ દાન આપનારી કંપની વિશે નથી વાત કરતા. અનેક એવી કંપનીઓ છે જેણે 5 કરોડ કે તેથી વધારેનો બોન્ડ ખરીદ્યો છે. જોવામાં આ રકમ નાની લાગે પરંતુ જ્યારે આવી અનેક રકમ ભેગી થાય ત્યારે તે આંકડો 100 કરોડને પાર પહોંચી જાય. એવી 15 કંપની વિશે વાત કરીએ જેમણે મળીને 100 કરોડથી વધારેનો ચૂંટણી બોન્ડ ખરીદ્યો છે. 


કોણે કેટલાના ખરીદ્યા બોન્ડ? 

મીડિયા રિપોર્ટ અનુસાર લક્ષ્મી નિવાસ મિત્તલ દ્વારા 35 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા છે. લક્ષ્મીદાસ વલ્લભદાસ મર્ચેટે 25 કરોડના બોન્ડ ખરીદ્યા છે. તો રાહુલ ભાટિયાએ 20 કરોડના બોન્ડ ખરીદ્યા છે. ઈંદર ઠાકુરદાસ જયસિંઘાનીએ 14 કરોડના, જ્યારે રાજેશ મન્નાલાલ અગ્રવાલે 13 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે. હરમેશ રાહુલ જોશી તેમજ રાહુલ જગન્નાથ જોશીએ કુલ મળીને 10-10 કરોડના બોન્ડ ખરીદ્યા છે. તે ઉપરાંત 6 કરોડના બોન્ડ કિરણ મજૂમદાર શો દ્વારા ખરીદવામાં આવ્યા છે. તે ઉપરાંત ઈંદ્રાણી પટનાયકે 5 કરોડના, સુધાકર કંચારલાએ 5 કરોડના જ્યારે અભ્રજીત મિત્રાએ 4.25 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે. સરોજીત કુમારે 3.4 કરોડના, જ્યારે દિલીપ રમનલાલ ઠાકરએ 3 કરોડના બોન્ડ ખરીદ્યા છે. પ્રકાશ મેંગને 3 કરોડના જ્યારે નિર્મલ કુમાર બથવાલે 2 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે. 




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.