સુપ્રીમ કોર્ટે નોટબંધી પર મોદી સરકાર અને RBIને નોટિસ પાઠવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 22:44:21

સુપ્રીમ કોર્ટે નોટબંધી પર કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને નોટીસ પાઠવી છે. 5 ન્યાયમૂર્તિની બંધારણીય પીઠે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને 9 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. 9 સપ્ટેમ્બર સુધી  કેન્દ્ર બેંક અને કેન્દ્ર સરકારને જવાબ આપવાનો છે કે 1000 અને 500 રૂપિયાની નોટ કેમ બંધ કરી. સુપ્રીમ કોર્ટે એફિડેવિટ આપીને જવાબ આપવા માટે કેન્દ્રીય બેંક અને કેન્દ્રીય સરકારને સૂચના આપી છે. 


નોટબંધી સામેની અરજી તો 2016માં કરી દેવાઈ હતી  

આ અરજી તો 16 ડિસેમ્બર 2016ના રોજ સુપ્રીમ કોર્ટમાં કરી દેવામાં આવી હતી. ત્યારે ન્યાયમૂર્તિઓની બંધારણીય પીઠ બની શકી ના હતી જેથી સુનાવણી નહોતી થઈ શકી. વિવેક શર્મા નામના વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં નોટબંધી સામે અરજી કરી હતી. ત્યાર બાદ 50થી વધુ અરજીઓ અલગ અલગ લોકો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. અત્યાર સુધી માત્ર 3 અરજી પર સુનાવણી થઈ હતી પરંતુ હવે આ તમામ અરજી પર એક સાથે સુનાવણી થશે. તમામ સુનાવણી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીરની અધ્યક્ષતામાં થશે. 


હજારો કરોડોની જૂની નોટનો RBI પાસે હિસાબ નથી

કેન્દ્રની મોદી સરકારે એ અનુમાન સાથે 500 અને 1 હજાર રૂપિયાની નોટ બંધ કરી હતી કે 3-4 લાખ કરોડ રૂપિયાનું કાળુનાણું બહાર આવશે. પરંતુ 2016ની નોટબંધીમાં 1.3 લાખ કરોડનું કાળુનાણું બહાર આવી શક્યું હતું. તમને એ વાતની ખબર હોવી જોઈ એ કે 500 અને 1000ની નોટ બંધ કાળુ નાણું પાછું આવ્યું કે નહીં પરંતુ 9.21 લાખ કરોડ રૂપિયા ગાયબ જરૂર થઈ ગયા હતા. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે