સુપ્રીમ કોર્ટે નોટબંધી પર મોદી સરકાર અને RBIને નોટિસ પાઠવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 22:44:21

સુપ્રીમ કોર્ટે નોટબંધી પર કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને નોટીસ પાઠવી છે. 5 ન્યાયમૂર્તિની બંધારણીય પીઠે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને 9 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. 9 સપ્ટેમ્બર સુધી  કેન્દ્ર બેંક અને કેન્દ્ર સરકારને જવાબ આપવાનો છે કે 1000 અને 500 રૂપિયાની નોટ કેમ બંધ કરી. સુપ્રીમ કોર્ટે એફિડેવિટ આપીને જવાબ આપવા માટે કેન્દ્રીય બેંક અને કેન્દ્રીય સરકારને સૂચના આપી છે. 


નોટબંધી સામેની અરજી તો 2016માં કરી દેવાઈ હતી  

આ અરજી તો 16 ડિસેમ્બર 2016ના રોજ સુપ્રીમ કોર્ટમાં કરી દેવામાં આવી હતી. ત્યારે ન્યાયમૂર્તિઓની બંધારણીય પીઠ બની શકી ના હતી જેથી સુનાવણી નહોતી થઈ શકી. વિવેક શર્મા નામના વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં નોટબંધી સામે અરજી કરી હતી. ત્યાર બાદ 50થી વધુ અરજીઓ અલગ અલગ લોકો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. અત્યાર સુધી માત્ર 3 અરજી પર સુનાવણી થઈ હતી પરંતુ હવે આ તમામ અરજી પર એક સાથે સુનાવણી થશે. તમામ સુનાવણી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીરની અધ્યક્ષતામાં થશે. 


હજારો કરોડોની જૂની નોટનો RBI પાસે હિસાબ નથી

કેન્દ્રની મોદી સરકારે એ અનુમાન સાથે 500 અને 1 હજાર રૂપિયાની નોટ બંધ કરી હતી કે 3-4 લાખ કરોડ રૂપિયાનું કાળુનાણું બહાર આવશે. પરંતુ 2016ની નોટબંધીમાં 1.3 લાખ કરોડનું કાળુનાણું બહાર આવી શક્યું હતું. તમને એ વાતની ખબર હોવી જોઈ એ કે 500 અને 1000ની નોટ બંધ કાળુ નાણું પાછું આવ્યું કે નહીં પરંતુ 9.21 લાખ કરોડ રૂપિયા ગાયબ જરૂર થઈ ગયા હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.