મણિપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટની લાલઆંખ, બે મહિનાથી ચાલી રહેલી હિંસક અથડામણ પર સ્ટેટસ રિપોર્ટ માગ્યો


  • Published By :
  • Published Date : 2023-07-04 18:48:11

સુપ્રીમ કોર્ટે મણિપુર સરકારને છેલ્લા બે મહિનાથી રાજ્યમાં ચાલી રહેલી જાતિ હિંસાના પગલે 'ગ્રાઉન્ડ સિચ્યુએશન' અંગે 'વિગતવાર સ્ટેટસ રિપોર્ટ' દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે તે આ કેસની આગામી સુનાવણી 10 જુલાઈએ કરશે. અદાલત બે અરજીઓની સુનાવણી કરી રહી છે, એક મણિપુર ટ્રાઈબલ ફોરમ દિલ્હી અને બીજી મણિપુર વિધાનસભાના હિલ એરિયા કમિટીના અધ્યક્ષ દ્વારા દાખલ કરવામાં આવી છે.


CJIએ વિસ્તૃત રિપોર્ટ માંગ્યો


પહેલી અરજીમાં કુકી સમુદાય માટે સુરક્ષાની માગ કરવામાં આવી છે, જ્યારે બીજી અરજીમાં મેઈતેઈ સમુદાયને અનુસુચિત જાતિની શ્રેણી હેઠળ સામેલ કરવા પર વિચાર કરવા અંગે મણિપુર હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો છે. મુખ્ય ન્યાયાધિશે મૌખિક રીતે કહ્યું કે સોલિસિટર જનરલથી એક અપડેટેડ સ્થિતી રિપોર્ટ જોઈએ છે. અમે તેને લાંબા સમય સુધી ટાળી શકીએ નહીં. તેથી જ અમે જાણવા માંગીએ છીએ કે રાજ્યમાં વાસ્તવિક સ્થિતી શું છે, તથા હિંસા રોકવા માટે શું પગલા ભરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે અમારે એક વિસ્તૃત રિપોર્ટ જોઈએ છે.


કેન્દ્ર સરકારે શું કાર્યવાહી કરી?


કેન્દ્ર સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા સોલિસીટર જનરલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે રાજ્યમાં સીઆરપીએફની 114 કંપનીઓ, સેનાની 184 ટુકડીઓ તથા મણિપુર રાઈફલ્સના કમાન્ડોના અનેક જવાનો શાંતિ જાળવી રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.  તેમણે કહ્યું કે રાજ્યમાં હાલ 355 રાહત શિબિરો ચાલી રહ્યા છે. તે ઉપરાંત રાજ્યમાં કર્ફ્યુંના સમયમાં પણ પ્રતિ દિવસ ઘટાડો કરવામાં આવ્યો છે. હવે કર્ફ્યુંનો સમય પ્રતિ દિવસ ઘટાડીને 5 કલાકનો કરી દેવામાં આવ્યો છે, અને સ્થિતીમાં સુધારો થઈ રહ્યો છે.  


રાજ્યમાં અત્યાર સુધીમાં 140 લોકોના મોત


અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં 3મેથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 140 લોકોના મોત થઈ ચુક્યા છે. રાજ્યમાં કુકી અને મેઈતેઈ સમુદાય વચ્ચે ભડકેલી આ જાતીય હિંસા લોહિયાળ બની છે. મણિપુરમાં મેઈતેઈ જનજાતિને અનુસુચિત જાતિ (એસટી)નો દરજ્જો આપવાની માંગના વિરોધમાં ગત 3 મેથી પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકતા માર્ચના આયોજન બાદ હિંસક અથડામણો થઈ હતી, જે હજુ પણ ચાલુ જ છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.