મણિપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટની લાલઆંખ, બે મહિનાથી ચાલી રહેલી હિંસક અથડામણ પર સ્ટેટસ રિપોર્ટ માગ્યો


  • Published By :
  • Published Date : 2023-07-04 18:48:11

સુપ્રીમ કોર્ટે મણિપુર સરકારને છેલ્લા બે મહિનાથી રાજ્યમાં ચાલી રહેલી જાતિ હિંસાના પગલે 'ગ્રાઉન્ડ સિચ્યુએશન' અંગે 'વિગતવાર સ્ટેટસ રિપોર્ટ' દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે તે આ કેસની આગામી સુનાવણી 10 જુલાઈએ કરશે. અદાલત બે અરજીઓની સુનાવણી કરી રહી છે, એક મણિપુર ટ્રાઈબલ ફોરમ દિલ્હી અને બીજી મણિપુર વિધાનસભાના હિલ એરિયા કમિટીના અધ્યક્ષ દ્વારા દાખલ કરવામાં આવી છે.


CJIએ વિસ્તૃત રિપોર્ટ માંગ્યો


પહેલી અરજીમાં કુકી સમુદાય માટે સુરક્ષાની માગ કરવામાં આવી છે, જ્યારે બીજી અરજીમાં મેઈતેઈ સમુદાયને અનુસુચિત જાતિની શ્રેણી હેઠળ સામેલ કરવા પર વિચાર કરવા અંગે મણિપુર હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો છે. મુખ્ય ન્યાયાધિશે મૌખિક રીતે કહ્યું કે સોલિસિટર જનરલથી એક અપડેટેડ સ્થિતી રિપોર્ટ જોઈએ છે. અમે તેને લાંબા સમય સુધી ટાળી શકીએ નહીં. તેથી જ અમે જાણવા માંગીએ છીએ કે રાજ્યમાં વાસ્તવિક સ્થિતી શું છે, તથા હિંસા રોકવા માટે શું પગલા ભરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે અમારે એક વિસ્તૃત રિપોર્ટ જોઈએ છે.


કેન્દ્ર સરકારે શું કાર્યવાહી કરી?


કેન્દ્ર સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા સોલિસીટર જનરલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે રાજ્યમાં સીઆરપીએફની 114 કંપનીઓ, સેનાની 184 ટુકડીઓ તથા મણિપુર રાઈફલ્સના કમાન્ડોના અનેક જવાનો શાંતિ જાળવી રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.  તેમણે કહ્યું કે રાજ્યમાં હાલ 355 રાહત શિબિરો ચાલી રહ્યા છે. તે ઉપરાંત રાજ્યમાં કર્ફ્યુંના સમયમાં પણ પ્રતિ દિવસ ઘટાડો કરવામાં આવ્યો છે. હવે કર્ફ્યુંનો સમય પ્રતિ દિવસ ઘટાડીને 5 કલાકનો કરી દેવામાં આવ્યો છે, અને સ્થિતીમાં સુધારો થઈ રહ્યો છે.  


રાજ્યમાં અત્યાર સુધીમાં 140 લોકોના મોત


અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં 3મેથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 140 લોકોના મોત થઈ ચુક્યા છે. રાજ્યમાં કુકી અને મેઈતેઈ સમુદાય વચ્ચે ભડકેલી આ જાતીય હિંસા લોહિયાળ બની છે. મણિપુરમાં મેઈતેઈ જનજાતિને અનુસુચિત જાતિ (એસટી)નો દરજ્જો આપવાની માંગના વિરોધમાં ગત 3 મેથી પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકતા માર્ચના આયોજન બાદ હિંસક અથડામણો થઈ હતી, જે હજુ પણ ચાલુ જ છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.