મણિપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટની લાલઆંખ, બે મહિનાથી ચાલી રહેલી હિંસક અથડામણ પર સ્ટેટસ રિપોર્ટ માગ્યો


  • Published By :
  • Published Date : 2023-07-04 18:48:11

સુપ્રીમ કોર્ટે મણિપુર સરકારને છેલ્લા બે મહિનાથી રાજ્યમાં ચાલી રહેલી જાતિ હિંસાના પગલે 'ગ્રાઉન્ડ સિચ્યુએશન' અંગે 'વિગતવાર સ્ટેટસ રિપોર્ટ' દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે તે આ કેસની આગામી સુનાવણી 10 જુલાઈએ કરશે. અદાલત બે અરજીઓની સુનાવણી કરી રહી છે, એક મણિપુર ટ્રાઈબલ ફોરમ દિલ્હી અને બીજી મણિપુર વિધાનસભાના હિલ એરિયા કમિટીના અધ્યક્ષ દ્વારા દાખલ કરવામાં આવી છે.


CJIએ વિસ્તૃત રિપોર્ટ માંગ્યો


પહેલી અરજીમાં કુકી સમુદાય માટે સુરક્ષાની માગ કરવામાં આવી છે, જ્યારે બીજી અરજીમાં મેઈતેઈ સમુદાયને અનુસુચિત જાતિની શ્રેણી હેઠળ સામેલ કરવા પર વિચાર કરવા અંગે મણિપુર હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો છે. મુખ્ય ન્યાયાધિશે મૌખિક રીતે કહ્યું કે સોલિસિટર જનરલથી એક અપડેટેડ સ્થિતી રિપોર્ટ જોઈએ છે. અમે તેને લાંબા સમય સુધી ટાળી શકીએ નહીં. તેથી જ અમે જાણવા માંગીએ છીએ કે રાજ્યમાં વાસ્તવિક સ્થિતી શું છે, તથા હિંસા રોકવા માટે શું પગલા ભરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે અમારે એક વિસ્તૃત રિપોર્ટ જોઈએ છે.


કેન્દ્ર સરકારે શું કાર્યવાહી કરી?


કેન્દ્ર સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા સોલિસીટર જનરલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે રાજ્યમાં સીઆરપીએફની 114 કંપનીઓ, સેનાની 184 ટુકડીઓ તથા મણિપુર રાઈફલ્સના કમાન્ડોના અનેક જવાનો શાંતિ જાળવી રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.  તેમણે કહ્યું કે રાજ્યમાં હાલ 355 રાહત શિબિરો ચાલી રહ્યા છે. તે ઉપરાંત રાજ્યમાં કર્ફ્યુંના સમયમાં પણ પ્રતિ દિવસ ઘટાડો કરવામાં આવ્યો છે. હવે કર્ફ્યુંનો સમય પ્રતિ દિવસ ઘટાડીને 5 કલાકનો કરી દેવામાં આવ્યો છે, અને સ્થિતીમાં સુધારો થઈ રહ્યો છે.  


રાજ્યમાં અત્યાર સુધીમાં 140 લોકોના મોત


અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં 3મેથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 140 લોકોના મોત થઈ ચુક્યા છે. રાજ્યમાં કુકી અને મેઈતેઈ સમુદાય વચ્ચે ભડકેલી આ જાતીય હિંસા લોહિયાળ બની છે. મણિપુરમાં મેઈતેઈ જનજાતિને અનુસુચિત જાતિ (એસટી)નો દરજ્જો આપવાની માંગના વિરોધમાં ગત 3 મેથી પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકતા માર્ચના આયોજન બાદ હિંસક અથડામણો થઈ હતી, જે હજુ પણ ચાલુ જ છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.