મણિપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટે બનાવી કમિટી, 3 મહિલા જજ કરશે તપાસ


  • Published By :
  • Published Date : 2023-08-07 17:44:34

મણિપુર હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટ એક્શનમાં આવી છે, સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસાની સ્વતંત્ર તપાસ માટે 3 પૂર્વ મહિલા જજની કમીટી બનાવવાની સુચનો આદેશ આપ્યો છે. આ કમીટી સીબીઆઈ અને પોલીસ તપાસની અલગથી કેસ પર નજર રાખશે. તે ઉપરાંત કોર્ટે કહ્યું કે હિંસાની તપાસ માટે કેસ સીબીઆઈને સુપ્રત કરવામાં આવ્યો છે. કાયદાના શાસનને સુનિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછા ડેપ્યુટી એસપી રેન્કના પાંચ અધિકારીઓ હશે, જેને વિવિધ રાજ્યોમાંથી સીબીઆઈમાં લાવવમાં આવશે.


3 મહિલા જજ કરશે તપાસ


મણિપુર હિંસા કેસ મામલે આજે મહત્વનો નિર્ણય લેતા સીબીઆઈ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ માટે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સીબીઆઈના આ અધિકારીઓ સીબીઆઈના પાયાના વહીવટી માળખાની ચારે બાજુથી તપાસ કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આઈપીએસ એધિકારી સીબીઆઈ તપાસનું નિરિક્ષણ કરે. ત્રણ જજની સમિતીની અધ્યક્ષતા ન્યાયમૂર્તિ ગીતા મિત્તલ કરશે અને તેમાં ન્યાયમૂર્તિ શાલિની જોશી, ન્યાયમૂર્તિ આશા મેનનનો પણ સમાવેશ થાય છે.  


ઈન્દિરા જયસિંહે કરી ધારદાર દલીલ


આ મામલે ઈન્દિરા જયસિંહે કહ્યું કે- આપણે બે ભાગમાં કાર્યવાહીને વહેંચી લેવી જોઈએ. જે ગુના થયા છે તેના પર યોગ્ય તપાસ અને ભવિષ્યમાં આવું બીજી વાર ન થાય તે માટે સુરક્ષાના ઉપાય કરવામાં આવે. તપાસ માટે કોર્ટ રિટાયર્ડ જજની આગેવાનીમાં પંચ બનાવે કે પછી પોતાની નજર હેઠળ તપાસ કરાવે.તમામ સંભવિત સંશાધનો અને સ્ત્રોતોનો ઉપયોગ કરે. સ્થાનિક લોકો, સક્ષમ નાગરિક સંગઠન, સામાજિક કાર્યકર્તા એટલે કે એક્ટિવિસ્ટ, પીડિત લોકોમાંથી કેટલાંકને તેમાં સામેલ કરવામાં આવી શકે છે. તપાસ માટે આ જરુરી છે. મણિપુર સરકાર દ્વારા એટોર્ની જનરલે કહ્યું કે- ગુનાની તપાસ માટે 6 જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સામેલ કરતા 6 SITનું ગઠન કરાયું છે. હિંસા, અશાંતિ અને નફરત દરમિયાન મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ માટે મહિલા પોલીસ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી રહી છે. અરજકર્તાઓના વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે IPCની કલમ 166-એ અંતર્ગત પણ એક પણ FIR કરવામાં નથી આવી, જે કાર્યવાહી ન કરવા માટે અધિકારીઓને જવાબદાર ગણે છે.આ દરમિયાન ઈન્દિરા જયસિંહે કહ્યું કે- નિર્ભયા કાંડ દરમિયાન ખ્યાલ આવ્યો હતો કે પોલીસ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહી. તેથી 2012માં સંશોધન દ્વારા IPCમાં 166-એ લાવ્યા. 166-એ મુજબ જે પોલીસ અધિકારી પોતાના કર્તવ્યોનું પાલન નથી કરતા તેમણે સજાપાત્ર ગણવામાં આવે. અમે આ ધારાને લાગુ કરવાની માગ કરીએ છીએ.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .