મણિપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટે બનાવી કમિટી, 3 મહિલા જજ કરશે તપાસ


  • Published By :
  • Published Date : 2023-08-07 17:44:34

મણિપુર હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટ એક્શનમાં આવી છે, સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસાની સ્વતંત્ર તપાસ માટે 3 પૂર્વ મહિલા જજની કમીટી બનાવવાની સુચનો આદેશ આપ્યો છે. આ કમીટી સીબીઆઈ અને પોલીસ તપાસની અલગથી કેસ પર નજર રાખશે. તે ઉપરાંત કોર્ટે કહ્યું કે હિંસાની તપાસ માટે કેસ સીબીઆઈને સુપ્રત કરવામાં આવ્યો છે. કાયદાના શાસનને સુનિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછા ડેપ્યુટી એસપી રેન્કના પાંચ અધિકારીઓ હશે, જેને વિવિધ રાજ્યોમાંથી સીબીઆઈમાં લાવવમાં આવશે.


3 મહિલા જજ કરશે તપાસ


મણિપુર હિંસા કેસ મામલે આજે મહત્વનો નિર્ણય લેતા સીબીઆઈ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ માટે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સીબીઆઈના આ અધિકારીઓ સીબીઆઈના પાયાના વહીવટી માળખાની ચારે બાજુથી તપાસ કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આઈપીએસ એધિકારી સીબીઆઈ તપાસનું નિરિક્ષણ કરે. ત્રણ જજની સમિતીની અધ્યક્ષતા ન્યાયમૂર્તિ ગીતા મિત્તલ કરશે અને તેમાં ન્યાયમૂર્તિ શાલિની જોશી, ન્યાયમૂર્તિ આશા મેનનનો પણ સમાવેશ થાય છે.  


ઈન્દિરા જયસિંહે કરી ધારદાર દલીલ


આ મામલે ઈન્દિરા જયસિંહે કહ્યું કે- આપણે બે ભાગમાં કાર્યવાહીને વહેંચી લેવી જોઈએ. જે ગુના થયા છે તેના પર યોગ્ય તપાસ અને ભવિષ્યમાં આવું બીજી વાર ન થાય તે માટે સુરક્ષાના ઉપાય કરવામાં આવે. તપાસ માટે કોર્ટ રિટાયર્ડ જજની આગેવાનીમાં પંચ બનાવે કે પછી પોતાની નજર હેઠળ તપાસ કરાવે.તમામ સંભવિત સંશાધનો અને સ્ત્રોતોનો ઉપયોગ કરે. સ્થાનિક લોકો, સક્ષમ નાગરિક સંગઠન, સામાજિક કાર્યકર્તા એટલે કે એક્ટિવિસ્ટ, પીડિત લોકોમાંથી કેટલાંકને તેમાં સામેલ કરવામાં આવી શકે છે. તપાસ માટે આ જરુરી છે. મણિપુર સરકાર દ્વારા એટોર્ની જનરલે કહ્યું કે- ગુનાની તપાસ માટે 6 જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સામેલ કરતા 6 SITનું ગઠન કરાયું છે. હિંસા, અશાંતિ અને નફરત દરમિયાન મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ માટે મહિલા પોલીસ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી રહી છે. અરજકર્તાઓના વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે IPCની કલમ 166-એ અંતર્ગત પણ એક પણ FIR કરવામાં નથી આવી, જે કાર્યવાહી ન કરવા માટે અધિકારીઓને જવાબદાર ગણે છે.આ દરમિયાન ઈન્દિરા જયસિંહે કહ્યું કે- નિર્ભયા કાંડ દરમિયાન ખ્યાલ આવ્યો હતો કે પોલીસ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહી. તેથી 2012માં સંશોધન દ્વારા IPCમાં 166-એ લાવ્યા. 166-એ મુજબ જે પોલીસ અધિકારી પોતાના કર્તવ્યોનું પાલન નથી કરતા તેમણે સજાપાત્ર ગણવામાં આવે. અમે આ ધારાને લાગુ કરવાની માગ કરીએ છીએ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.