મણિપુરમાં જે બન્યું તે અન્યત્ર પણ થાય છે એમ કહીને ઘટનાને ન્યાયી ઠેરવી શકાય નહીં: CJI ચંદ્રચુડ


  • Published By :
  • Published Date : 2023-07-31 17:03:49

મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા સવાલ કર્યો હતો કે મહિલા સંબંધીત અત્યાચાર સામે FIR નોંધવામાં વિલંબ કેમ થયો? સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમ પણ કહ્યું હતું કે અન્ય રાજ્યોમાં પણ આવું જ થાય છે તેમ કહીંને મણિપુરની ઘટનાને ન્યાયીક ઠરાવી શકાય નહીં. અમે અહીં રાજ્યમાં મહિલા સાથે થયેલા જઘન્ય અપરાધની સુનાવણી કરી રહ્યા છીએ. આ પ્રકારના ગુના બંગાળમાં પણ થાય છે તેવું કહીં શકાય નહીં. આ કેસ તદ્દન અલગ છે. તમે અમને કહો કે મણિપુર કેસમાં તમારા સુચનો શું છે?


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


મણિપુરમાં જાતિય હિંસાનો શિકાર બે મહિલાઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સિનિયર વકીલ કપિલ સિપ્પલ તેમના તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. અરજીકર્તાઓએ આ કેસની ટ્રાયલ આસામમાં ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે મણિપુર કેસની સુનાવણી દરમિયાન એટર્ની જનરલને સવાલ કર્યો કે તમે કહો છો કે 6000 FIR ફાઈલ થઈ છે. ડિડેલ શું છે? મહિલાઓ સામે કેટલા ગુના નોંધાયા? પબ્લિક પ્રોપર્ટીને કેટલું નુકસાન થયું? CJIએ આ વાયરલ વીડિયો મામલે ઝીરો FIR નોંધાઈ તે અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. CJI ડીવાય ચંદ્રચૂડે કહ્યું  કે આ ત્રણ મહિલાઓનો વીડિયો વાયરલ થયો તે એક માત્ર ઘટના નથી, રાજ્યમાં આવી અન્ય ઘટના પણ બની છે, જો કે અમે તે નક્કી કરીશું કે આ ત્રણ મહિલાઓ સાથે ન્યાય થાય.


1 ઓગસ્ટએ થશે ફરી સુનાવણી


સુપ્રીમ કોર્ટે પણ આ મામલે અકરૂ વલણ અપનાવ્યું હતું. આ કેસની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી  સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડે સરકારને આકરા સવાલો કર્યા હતા. CJI DY ચંદ્રચુડે સરકાર પ્રત્યે આકરૂ વલણ અપનાવતા વેધક સવાલ કર્યો હતો કે, 4 મેની ઘટના પર પોલીસે છેક 18 મેના રોજ એફઆઈઆર નોંધી. તો 14 દિવસ સુધી કેમ કંઈ થયું નહીં? સુપ્રીમ કોર્ટે પોલીસને સવાલ કરતા કહ્યું હતું કે, આ ઘટના એ વીડિયો વાયરલ થયા બાદ પ્રકાશમાં આવી હતી કે, મહિલાઓને નગ્ન પરેડ કરવામાં આવી હતી કમ સે કમ બે પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ શું કરી રહી હતી?આ દરમિયાન સરકાર વતી હાજર રહેલા એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું હતું કે, તેઓ મંગળવારે (1 ઓગસ્ટ) દરેક કેસમાં તથ્યો સાથે માહિતી આપશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .