મણિપુરમાં જે બન્યું તે અન્યત્ર પણ થાય છે એમ કહીને ઘટનાને ન્યાયી ઠેરવી શકાય નહીં: CJI ચંદ્રચુડ


  • Published By :
  • Published Date : 2023-07-31 17:03:49

મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા સવાલ કર્યો હતો કે મહિલા સંબંધીત અત્યાચાર સામે FIR નોંધવામાં વિલંબ કેમ થયો? સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમ પણ કહ્યું હતું કે અન્ય રાજ્યોમાં પણ આવું જ થાય છે તેમ કહીંને મણિપુરની ઘટનાને ન્યાયીક ઠરાવી શકાય નહીં. અમે અહીં રાજ્યમાં મહિલા સાથે થયેલા જઘન્ય અપરાધની સુનાવણી કરી રહ્યા છીએ. આ પ્રકારના ગુના બંગાળમાં પણ થાય છે તેવું કહીં શકાય નહીં. આ કેસ તદ્દન અલગ છે. તમે અમને કહો કે મણિપુર કેસમાં તમારા સુચનો શું છે?


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


મણિપુરમાં જાતિય હિંસાનો શિકાર બે મહિલાઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સિનિયર વકીલ કપિલ સિપ્પલ તેમના તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. અરજીકર્તાઓએ આ કેસની ટ્રાયલ આસામમાં ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે મણિપુર કેસની સુનાવણી દરમિયાન એટર્ની જનરલને સવાલ કર્યો કે તમે કહો છો કે 6000 FIR ફાઈલ થઈ છે. ડિડેલ શું છે? મહિલાઓ સામે કેટલા ગુના નોંધાયા? પબ્લિક પ્રોપર્ટીને કેટલું નુકસાન થયું? CJIએ આ વાયરલ વીડિયો મામલે ઝીરો FIR નોંધાઈ તે અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. CJI ડીવાય ચંદ્રચૂડે કહ્યું  કે આ ત્રણ મહિલાઓનો વીડિયો વાયરલ થયો તે એક માત્ર ઘટના નથી, રાજ્યમાં આવી અન્ય ઘટના પણ બની છે, જો કે અમે તે નક્કી કરીશું કે આ ત્રણ મહિલાઓ સાથે ન્યાય થાય.


1 ઓગસ્ટએ થશે ફરી સુનાવણી


સુપ્રીમ કોર્ટે પણ આ મામલે અકરૂ વલણ અપનાવ્યું હતું. આ કેસની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી  સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડે સરકારને આકરા સવાલો કર્યા હતા. CJI DY ચંદ્રચુડે સરકાર પ્રત્યે આકરૂ વલણ અપનાવતા વેધક સવાલ કર્યો હતો કે, 4 મેની ઘટના પર પોલીસે છેક 18 મેના રોજ એફઆઈઆર નોંધી. તો 14 દિવસ સુધી કેમ કંઈ થયું નહીં? સુપ્રીમ કોર્ટે પોલીસને સવાલ કરતા કહ્યું હતું કે, આ ઘટના એ વીડિયો વાયરલ થયા બાદ પ્રકાશમાં આવી હતી કે, મહિલાઓને નગ્ન પરેડ કરવામાં આવી હતી કમ સે કમ બે પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ શું કરી રહી હતી?આ દરમિયાન સરકાર વતી હાજર રહેલા એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું હતું કે, તેઓ મંગળવારે (1 ઓગસ્ટ) દરેક કેસમાં તથ્યો સાથે માહિતી આપશે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.