મણિપુરમાં જે બન્યું તે અન્યત્ર પણ થાય છે એમ કહીને ઘટનાને ન્યાયી ઠેરવી શકાય નહીં: CJI ચંદ્રચુડ


  • Published By :
  • Published Date : 2023-07-31 17:03:49

મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા સવાલ કર્યો હતો કે મહિલા સંબંધીત અત્યાચાર સામે FIR નોંધવામાં વિલંબ કેમ થયો? સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમ પણ કહ્યું હતું કે અન્ય રાજ્યોમાં પણ આવું જ થાય છે તેમ કહીંને મણિપુરની ઘટનાને ન્યાયીક ઠરાવી શકાય નહીં. અમે અહીં રાજ્યમાં મહિલા સાથે થયેલા જઘન્ય અપરાધની સુનાવણી કરી રહ્યા છીએ. આ પ્રકારના ગુના બંગાળમાં પણ થાય છે તેવું કહીં શકાય નહીં. આ કેસ તદ્દન અલગ છે. તમે અમને કહો કે મણિપુર કેસમાં તમારા સુચનો શું છે?


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


મણિપુરમાં જાતિય હિંસાનો શિકાર બે મહિલાઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સિનિયર વકીલ કપિલ સિપ્પલ તેમના તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. અરજીકર્તાઓએ આ કેસની ટ્રાયલ આસામમાં ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે મણિપુર કેસની સુનાવણી દરમિયાન એટર્ની જનરલને સવાલ કર્યો કે તમે કહો છો કે 6000 FIR ફાઈલ થઈ છે. ડિડેલ શું છે? મહિલાઓ સામે કેટલા ગુના નોંધાયા? પબ્લિક પ્રોપર્ટીને કેટલું નુકસાન થયું? CJIએ આ વાયરલ વીડિયો મામલે ઝીરો FIR નોંધાઈ તે અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. CJI ડીવાય ચંદ્રચૂડે કહ્યું  કે આ ત્રણ મહિલાઓનો વીડિયો વાયરલ થયો તે એક માત્ર ઘટના નથી, રાજ્યમાં આવી અન્ય ઘટના પણ બની છે, જો કે અમે તે નક્કી કરીશું કે આ ત્રણ મહિલાઓ સાથે ન્યાય થાય.


1 ઓગસ્ટએ થશે ફરી સુનાવણી


સુપ્રીમ કોર્ટે પણ આ મામલે અકરૂ વલણ અપનાવ્યું હતું. આ કેસની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી  સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડે સરકારને આકરા સવાલો કર્યા હતા. CJI DY ચંદ્રચુડે સરકાર પ્રત્યે આકરૂ વલણ અપનાવતા વેધક સવાલ કર્યો હતો કે, 4 મેની ઘટના પર પોલીસે છેક 18 મેના રોજ એફઆઈઆર નોંધી. તો 14 દિવસ સુધી કેમ કંઈ થયું નહીં? સુપ્રીમ કોર્ટે પોલીસને સવાલ કરતા કહ્યું હતું કે, આ ઘટના એ વીડિયો વાયરલ થયા બાદ પ્રકાશમાં આવી હતી કે, મહિલાઓને નગ્ન પરેડ કરવામાં આવી હતી કમ સે કમ બે પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ શું કરી રહી હતી?આ દરમિયાન સરકાર વતી હાજર રહેલા એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું હતું કે, તેઓ મંગળવારે (1 ઓગસ્ટ) દરેક કેસમાં તથ્યો સાથે માહિતી આપશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.