સુપ્રીમ કોર્ટે ગુજરાતની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની આપી મંજુરી, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-21 15:35:25

સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા ગુજરાતની 28 સપ્તાહની ગર્ભવતી દુષ્કર્મ પિડીતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. મહિલાએ અગાઉ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જો કે કોર્ટે કોઈ કારણ આપ્યા વગર 17 ઓગસ્ટના રોજ તેની અરજી ફગાવી દીધી હતી. 28  સપ્તાહના ગર્ભના એબોર્શન કરાવવા પીડિતાએ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં ગર્ભપાતની મંજૂરી આપી છે. આજે અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈને ગર્ભપાત કરાવી શકે છે. 


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આજે દિવસ દરમિયાન અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈ શકે છે. આ સ્ટેજમાં પણ સુરક્ષિત રીતે પ્રેગનન્સી ટર્મિનેટની વાત મેડિકલ રિપોર્ટમાં કરાઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભ્રૂણ જીવીત રહે તો હોસ્પિટલ સુનિશ્ચિત કરે કે બાળકને ઈન્ક્યુબેશનમાં રાખી જીવીત રાખી શકાય. બાળક જીવિત રહે તો કાયદા મુજબ બાળકને દત્તક દેવાની જવાબદારી રાજ્ય સરકારની છે. સર્વોચ્ચ અદાલતનું અવલોકન છે કે, ભારતીય સમાજમાં, લગ્નની સંસ્થામાં, ગર્ભધારણએ યુગલ અને સમાજ માટે આનંદનો સ્ત્રોત છે. જો કે, લગ્નની બહાર, જ્યારે તે અનિચ્છનીય હોય ત્યારે તે સ્ત્રીના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.


સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટ પર ઉઠાવ્યો સવાલ 


સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટ પર સવાલ ઉઠાવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના વલણથી  સુપ્રીમ કોર્ટના જસ્ટીસ નાગરત્ના ઘણા નારાજ થયા હતા. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ બાદ કોઈ આદેશના જવાબમાં હાઈકોર્ટથી કોઈ ઓર્ડર આવ્યો છે, તેને અમે નથી માનતા. તેમણે સવાલ કર્યો હતો કે ગુજરાત હાઈકોર્ટમાં આ શું થઈ રહ્યું છે? દેશમાં ક્યાંય એવું નથી બનતું કે અદાલત ઉચ્ચ અદાલત સામે આદેશ આપે. અમારે ઓર્ડરને યોગ્ય ઠેરવવાની જરૂર નથી. મને એ કહેતા દુ:ખ થાય છે કે હાઈકોર્ટમાં લેવાયેલ અભિગમ બંધારણીય ફિલસૂફીની વિરુદ્ધ છે. તમે કેવી રીતે અન્યાયી પરિસ્થિતિને કાયમી બનાવી શકો અને દુષ્કર્મ પીડિતાને ગર્ભ ધારણ કરવા દબાણ કરી શકો? પીડિતાને આજે અથવા મંગળવારે સવારે 9 વાગ્યે હોસ્પિટલમાં લઈ જાઓ.


જાણો શું છે સમગ્ર મામલો?


પીડિત મહિલા પર જાન્યુઆરી 2023માં બળાત્કાર થયો હતો, જે બાદ તે ગર્ભવતી બની હતી. મહિલા ગર્ભપાત કરાવવા માંગતી હતી. પરંતુ સમય પસાર થયો હતો અને તેણીની ગર્ભાવસ્થા 28 અઠવાડિયાની થઈ ગઈ હતી. મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) એક્ટ હેઠળ, 24 અઠવાડિયાથી વધુની પ્રેગ્નન્સીનો ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી જરૂરી છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.