સુપ્રીમ કોર્ટે ગુજરાતની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની આપી મંજુરી, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-21 15:35:25

સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા ગુજરાતની 28 સપ્તાહની ગર્ભવતી દુષ્કર્મ પિડીતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. મહિલાએ અગાઉ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જો કે કોર્ટે કોઈ કારણ આપ્યા વગર 17 ઓગસ્ટના રોજ તેની અરજી ફગાવી દીધી હતી. 28  સપ્તાહના ગર્ભના એબોર્શન કરાવવા પીડિતાએ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં ગર્ભપાતની મંજૂરી આપી છે. આજે અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈને ગર્ભપાત કરાવી શકે છે. 


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આજે દિવસ દરમિયાન અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈ શકે છે. આ સ્ટેજમાં પણ સુરક્ષિત રીતે પ્રેગનન્સી ટર્મિનેટની વાત મેડિકલ રિપોર્ટમાં કરાઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભ્રૂણ જીવીત રહે તો હોસ્પિટલ સુનિશ્ચિત કરે કે બાળકને ઈન્ક્યુબેશનમાં રાખી જીવીત રાખી શકાય. બાળક જીવિત રહે તો કાયદા મુજબ બાળકને દત્તક દેવાની જવાબદારી રાજ્ય સરકારની છે. સર્વોચ્ચ અદાલતનું અવલોકન છે કે, ભારતીય સમાજમાં, લગ્નની સંસ્થામાં, ગર્ભધારણએ યુગલ અને સમાજ માટે આનંદનો સ્ત્રોત છે. જો કે, લગ્નની બહાર, જ્યારે તે અનિચ્છનીય હોય ત્યારે તે સ્ત્રીના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.


સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટ પર ઉઠાવ્યો સવાલ 


સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટ પર સવાલ ઉઠાવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના વલણથી  સુપ્રીમ કોર્ટના જસ્ટીસ નાગરત્ના ઘણા નારાજ થયા હતા. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ બાદ કોઈ આદેશના જવાબમાં હાઈકોર્ટથી કોઈ ઓર્ડર આવ્યો છે, તેને અમે નથી માનતા. તેમણે સવાલ કર્યો હતો કે ગુજરાત હાઈકોર્ટમાં આ શું થઈ રહ્યું છે? દેશમાં ક્યાંય એવું નથી બનતું કે અદાલત ઉચ્ચ અદાલત સામે આદેશ આપે. અમારે ઓર્ડરને યોગ્ય ઠેરવવાની જરૂર નથી. મને એ કહેતા દુ:ખ થાય છે કે હાઈકોર્ટમાં લેવાયેલ અભિગમ બંધારણીય ફિલસૂફીની વિરુદ્ધ છે. તમે કેવી રીતે અન્યાયી પરિસ્થિતિને કાયમી બનાવી શકો અને દુષ્કર્મ પીડિતાને ગર્ભ ધારણ કરવા દબાણ કરી શકો? પીડિતાને આજે અથવા મંગળવારે સવારે 9 વાગ્યે હોસ્પિટલમાં લઈ જાઓ.


જાણો શું છે સમગ્ર મામલો?


પીડિત મહિલા પર જાન્યુઆરી 2023માં બળાત્કાર થયો હતો, જે બાદ તે ગર્ભવતી બની હતી. મહિલા ગર્ભપાત કરાવવા માંગતી હતી. પરંતુ સમય પસાર થયો હતો અને તેણીની ગર્ભાવસ્થા 28 અઠવાડિયાની થઈ ગઈ હતી. મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) એક્ટ હેઠળ, 24 અઠવાડિયાથી વધુની પ્રેગ્નન્સીનો ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી જરૂરી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.