સુપ્રીમ કોર્ટે ગુજરાતની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની આપી મંજુરી, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-21 15:35:25

સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા ગુજરાતની 28 સપ્તાહની ગર્ભવતી દુષ્કર્મ પિડીતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. મહિલાએ અગાઉ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જો કે કોર્ટે કોઈ કારણ આપ્યા વગર 17 ઓગસ્ટના રોજ તેની અરજી ફગાવી દીધી હતી. 28  સપ્તાહના ગર્ભના એબોર્શન કરાવવા પીડિતાએ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં ગર્ભપાતની મંજૂરી આપી છે. આજે અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈને ગર્ભપાત કરાવી શકે છે. 


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આજે દિવસ દરમિયાન અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈ શકે છે. આ સ્ટેજમાં પણ સુરક્ષિત રીતે પ્રેગનન્સી ટર્મિનેટની વાત મેડિકલ રિપોર્ટમાં કરાઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભ્રૂણ જીવીત રહે તો હોસ્પિટલ સુનિશ્ચિત કરે કે બાળકને ઈન્ક્યુબેશનમાં રાખી જીવીત રાખી શકાય. બાળક જીવિત રહે તો કાયદા મુજબ બાળકને દત્તક દેવાની જવાબદારી રાજ્ય સરકારની છે. સર્વોચ્ચ અદાલતનું અવલોકન છે કે, ભારતીય સમાજમાં, લગ્નની સંસ્થામાં, ગર્ભધારણએ યુગલ અને સમાજ માટે આનંદનો સ્ત્રોત છે. જો કે, લગ્નની બહાર, જ્યારે તે અનિચ્છનીય હોય ત્યારે તે સ્ત્રીના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.


સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટ પર ઉઠાવ્યો સવાલ 


સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટ પર સવાલ ઉઠાવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના વલણથી  સુપ્રીમ કોર્ટના જસ્ટીસ નાગરત્ના ઘણા નારાજ થયા હતા. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ બાદ કોઈ આદેશના જવાબમાં હાઈકોર્ટથી કોઈ ઓર્ડર આવ્યો છે, તેને અમે નથી માનતા. તેમણે સવાલ કર્યો હતો કે ગુજરાત હાઈકોર્ટમાં આ શું થઈ રહ્યું છે? દેશમાં ક્યાંય એવું નથી બનતું કે અદાલત ઉચ્ચ અદાલત સામે આદેશ આપે. અમારે ઓર્ડરને યોગ્ય ઠેરવવાની જરૂર નથી. મને એ કહેતા દુ:ખ થાય છે કે હાઈકોર્ટમાં લેવાયેલ અભિગમ બંધારણીય ફિલસૂફીની વિરુદ્ધ છે. તમે કેવી રીતે અન્યાયી પરિસ્થિતિને કાયમી બનાવી શકો અને દુષ્કર્મ પીડિતાને ગર્ભ ધારણ કરવા દબાણ કરી શકો? પીડિતાને આજે અથવા મંગળવારે સવારે 9 વાગ્યે હોસ્પિટલમાં લઈ જાઓ.


જાણો શું છે સમગ્ર મામલો?


પીડિત મહિલા પર જાન્યુઆરી 2023માં બળાત્કાર થયો હતો, જે બાદ તે ગર્ભવતી બની હતી. મહિલા ગર્ભપાત કરાવવા માંગતી હતી. પરંતુ સમય પસાર થયો હતો અને તેણીની ગર્ભાવસ્થા 28 અઠવાડિયાની થઈ ગઈ હતી. મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) એક્ટ હેઠળ, 24 અઠવાડિયાથી વધુની પ્રેગ્નન્સીનો ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી જરૂરી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .