સુપ્રીમ કોર્ટે ગુજરાતની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની આપી મંજુરી, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-21 15:35:25

સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા ગુજરાતની 28 સપ્તાહની ગર્ભવતી દુષ્કર્મ પિડીતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. મહિલાએ અગાઉ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જો કે કોર્ટે કોઈ કારણ આપ્યા વગર 17 ઓગસ્ટના રોજ તેની અરજી ફગાવી દીધી હતી. 28  સપ્તાહના ગર્ભના એબોર્શન કરાવવા પીડિતાએ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં ગર્ભપાતની મંજૂરી આપી છે. આજે અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈને ગર્ભપાત કરાવી શકે છે. 


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આજે દિવસ દરમિયાન અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈ શકે છે. આ સ્ટેજમાં પણ સુરક્ષિત રીતે પ્રેગનન્સી ટર્મિનેટની વાત મેડિકલ રિપોર્ટમાં કરાઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભ્રૂણ જીવીત રહે તો હોસ્પિટલ સુનિશ્ચિત કરે કે બાળકને ઈન્ક્યુબેશનમાં રાખી જીવીત રાખી શકાય. બાળક જીવિત રહે તો કાયદા મુજબ બાળકને દત્તક દેવાની જવાબદારી રાજ્ય સરકારની છે. સર્વોચ્ચ અદાલતનું અવલોકન છે કે, ભારતીય સમાજમાં, લગ્નની સંસ્થામાં, ગર્ભધારણએ યુગલ અને સમાજ માટે આનંદનો સ્ત્રોત છે. જો કે, લગ્નની બહાર, જ્યારે તે અનિચ્છનીય હોય ત્યારે તે સ્ત્રીના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.


સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટ પર ઉઠાવ્યો સવાલ 


સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટ પર સવાલ ઉઠાવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના વલણથી  સુપ્રીમ કોર્ટના જસ્ટીસ નાગરત્ના ઘણા નારાજ થયા હતા. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ બાદ કોઈ આદેશના જવાબમાં હાઈકોર્ટથી કોઈ ઓર્ડર આવ્યો છે, તેને અમે નથી માનતા. તેમણે સવાલ કર્યો હતો કે ગુજરાત હાઈકોર્ટમાં આ શું થઈ રહ્યું છે? દેશમાં ક્યાંય એવું નથી બનતું કે અદાલત ઉચ્ચ અદાલત સામે આદેશ આપે. અમારે ઓર્ડરને યોગ્ય ઠેરવવાની જરૂર નથી. મને એ કહેતા દુ:ખ થાય છે કે હાઈકોર્ટમાં લેવાયેલ અભિગમ બંધારણીય ફિલસૂફીની વિરુદ્ધ છે. તમે કેવી રીતે અન્યાયી પરિસ્થિતિને કાયમી બનાવી શકો અને દુષ્કર્મ પીડિતાને ગર્ભ ધારણ કરવા દબાણ કરી શકો? પીડિતાને આજે અથવા મંગળવારે સવારે 9 વાગ્યે હોસ્પિટલમાં લઈ જાઓ.


જાણો શું છે સમગ્ર મામલો?


પીડિત મહિલા પર જાન્યુઆરી 2023માં બળાત્કાર થયો હતો, જે બાદ તે ગર્ભવતી બની હતી. મહિલા ગર્ભપાત કરાવવા માંગતી હતી. પરંતુ સમય પસાર થયો હતો અને તેણીની ગર્ભાવસ્થા 28 અઠવાડિયાની થઈ ગઈ હતી. મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) એક્ટ હેઠળ, 24 અઠવાડિયાથી વધુની પ્રેગ્નન્સીનો ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી જરૂરી છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .