SBIની અરજીને Supreme Courtએ ફગાવી, ઈલેક્ટોરલ બોન્ડના ડેટા આપવા અંગે સુપ્રીમ કોર્ટે અપનાવ્યું કડક વલણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-11 13:50:43

થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને એસબીઆઈને ડેટા શેર કરવાનો આદેશ આપ્યો હતો. એસીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તે અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અને આવતી કાલ સુધીમાં ડેટા આપવા માટે આદેશ આપ્યો છે. ઈલેક્ટોરલ બોન્ડમાં લેટેસ્ટ update આવી ગયી છે , સુપ્રીમે કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અરજી ફગાવી દીધી છે . આ સાથે જ Supreme કોર્ટની બંધારણીય બેન્ચે કાલ સુધીમાં એટલે કે ૧૨ માર્ચ એ ઈલેક્ટોરલ બોન્ડની તમામે તમામ માહિતીનો ખુલાસો કરવાનો SBI ને આદેશ આપ્યો છે . 

એસબીઆઈની દલિલને સુપ્રીમ કોર્ટે ફગાવી!

વિગતવાર વાત કરીએ તો State બેંક ઓફ ઇન્ડિયાએ Supreme કોર્ટમાં અરજી કરી હતી કે ઈલેક્ટોરલ બોન્ડની તમામ માહિતીનો ખુલાસો કરવા જૂનની ૩૦ તારીખ સુધીનો સમય આપવામાં આવે . આ માહિતી એવી છે કે , ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કઈ પાર્ટીને કેટલા પૈસા મળ્યા છે તેની માહિતી આપવાની હતી . પરંતુ હવે Supreme કોર્ટે SBIની આ દલીલ ફગાવી દીધી છે અને કાલ સુધીમાં બધી જ માહિતી રજુ કરવાનો આદેશ આપી દીધો છે . આ સાથે જ ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયાને પણ આદેશ અપાયો છે કે , SBI દ્વારા જે પણ માહિતી મળે તેને પોતાની website પર માર્ચની ૧૫ તારીખ સુધીમાં પ્રકાશિત કરવાની રહેશે.


સુપ્રીમ કોર્ટમાં શું કરાઈ દલીલ?  

આ કેસમાં સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય ચંદ્રચુડએ કહ્યું છે કે ,SBI એ જે અગાઉ submission આપ્યા તેમાં  SBI પાસે માહિતી તૈયાર જ છે એટલે SBIની ૩૦ જૂનની તારીખની અરજી ફગાવી દેવામાં આવે છે. તો બીજી તરફ  SBIના વકીલ હરીશ સાલ્વેએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા કીધું હતું કે , અમારે માહિતીને ક્રમવાર ગોઠવવાની છે , તે માટે આ આખી પ્રક્રિયાને Reverse કરવી પડશે , એક બેંક તરીકે અમને આ તમામ માહિતીને ગુપ્ત રાખવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે જસ્ટિસ સંજીવ ખન્નાએ એવું કીધું હતું કે , તમારે ખાલી sealed કવરને ઓપન કરી માહિતીને ક્રમવાર ગોઠવવાની રહેશે , અને તેનો ખુલાસો કરવાનો રહેશે . ઇલેકશન કમિશન ઓફ INDIA ને પણ એક sealed એન્વેલોપમાં માહિતી કોર્ટમાં જમા કરાવવાનું કેહવામાં આવ્યું છે . 


ચૂંટણી બોન્ડને રદ્દ કરતા સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આ આદેશ! 

તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીની ૧૫ તારીખે સુપ્રીમ કોર્ટે ભારત સરકારની આ ચૂંટણી બોન્ડ schemeને ગેરબંધારણીય ગણાવી બંધ કરી દીધી હતી , અને સ્ટૅટ બેંક ઓફ ઇન્ડિયાને માર્ચની  ૬ તારીખ સુધીમાં આ તમામ ચૂંટણી બોન્ડની માહિતી ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાને જમા કરાવવાનું કીધું હતું , અને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાને માર્ચની ૧૩ તારીખ સુધીમાં આ બધી જ માહિતી પોતાની website પર રજુ કરવાનું કીધું હતું . 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.