SBIની અરજીને Supreme Courtએ ફગાવી, ઈલેક્ટોરલ બોન્ડના ડેટા આપવા અંગે સુપ્રીમ કોર્ટે અપનાવ્યું કડક વલણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-11 13:50:43

થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને એસબીઆઈને ડેટા શેર કરવાનો આદેશ આપ્યો હતો. એસીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તે અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અને આવતી કાલ સુધીમાં ડેટા આપવા માટે આદેશ આપ્યો છે. ઈલેક્ટોરલ બોન્ડમાં લેટેસ્ટ update આવી ગયી છે , સુપ્રીમે કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અરજી ફગાવી દીધી છે . આ સાથે જ Supreme કોર્ટની બંધારણીય બેન્ચે કાલ સુધીમાં એટલે કે ૧૨ માર્ચ એ ઈલેક્ટોરલ બોન્ડની તમામે તમામ માહિતીનો ખુલાસો કરવાનો SBI ને આદેશ આપ્યો છે . 

એસબીઆઈની દલિલને સુપ્રીમ કોર્ટે ફગાવી!

વિગતવાર વાત કરીએ તો State બેંક ઓફ ઇન્ડિયાએ Supreme કોર્ટમાં અરજી કરી હતી કે ઈલેક્ટોરલ બોન્ડની તમામ માહિતીનો ખુલાસો કરવા જૂનની ૩૦ તારીખ સુધીનો સમય આપવામાં આવે . આ માહિતી એવી છે કે , ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કઈ પાર્ટીને કેટલા પૈસા મળ્યા છે તેની માહિતી આપવાની હતી . પરંતુ હવે Supreme કોર્ટે SBIની આ દલીલ ફગાવી દીધી છે અને કાલ સુધીમાં બધી જ માહિતી રજુ કરવાનો આદેશ આપી દીધો છે . આ સાથે જ ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયાને પણ આદેશ અપાયો છે કે , SBI દ્વારા જે પણ માહિતી મળે તેને પોતાની website પર માર્ચની ૧૫ તારીખ સુધીમાં પ્રકાશિત કરવાની રહેશે.


સુપ્રીમ કોર્ટમાં શું કરાઈ દલીલ?  

આ કેસમાં સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય ચંદ્રચુડએ કહ્યું છે કે ,SBI એ જે અગાઉ submission આપ્યા તેમાં  SBI પાસે માહિતી તૈયાર જ છે એટલે SBIની ૩૦ જૂનની તારીખની અરજી ફગાવી દેવામાં આવે છે. તો બીજી તરફ  SBIના વકીલ હરીશ સાલ્વેએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા કીધું હતું કે , અમારે માહિતીને ક્રમવાર ગોઠવવાની છે , તે માટે આ આખી પ્રક્રિયાને Reverse કરવી પડશે , એક બેંક તરીકે અમને આ તમામ માહિતીને ગુપ્ત રાખવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે જસ્ટિસ સંજીવ ખન્નાએ એવું કીધું હતું કે , તમારે ખાલી sealed કવરને ઓપન કરી માહિતીને ક્રમવાર ગોઠવવાની રહેશે , અને તેનો ખુલાસો કરવાનો રહેશે . ઇલેકશન કમિશન ઓફ INDIA ને પણ એક sealed એન્વેલોપમાં માહિતી કોર્ટમાં જમા કરાવવાનું કેહવામાં આવ્યું છે . 


ચૂંટણી બોન્ડને રદ્દ કરતા સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આ આદેશ! 

તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીની ૧૫ તારીખે સુપ્રીમ કોર્ટે ભારત સરકારની આ ચૂંટણી બોન્ડ schemeને ગેરબંધારણીય ગણાવી બંધ કરી દીધી હતી , અને સ્ટૅટ બેંક ઓફ ઇન્ડિયાને માર્ચની  ૬ તારીખ સુધીમાં આ તમામ ચૂંટણી બોન્ડની માહિતી ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાને જમા કરાવવાનું કીધું હતું , અને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાને માર્ચની ૧૩ તારીખ સુધીમાં આ બધી જ માહિતી પોતાની website પર રજુ કરવાનું કીધું હતું . 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.