SBIની અરજીને Supreme Courtએ ફગાવી, ઈલેક્ટોરલ બોન્ડના ડેટા આપવા અંગે સુપ્રીમ કોર્ટે અપનાવ્યું કડક વલણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-11 13:50:43

થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને એસબીઆઈને ડેટા શેર કરવાનો આદેશ આપ્યો હતો. એસીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તે અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અને આવતી કાલ સુધીમાં ડેટા આપવા માટે આદેશ આપ્યો છે. ઈલેક્ટોરલ બોન્ડમાં લેટેસ્ટ update આવી ગયી છે , સુપ્રીમે કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અરજી ફગાવી દીધી છે . આ સાથે જ Supreme કોર્ટની બંધારણીય બેન્ચે કાલ સુધીમાં એટલે કે ૧૨ માર્ચ એ ઈલેક્ટોરલ બોન્ડની તમામે તમામ માહિતીનો ખુલાસો કરવાનો SBI ને આદેશ આપ્યો છે . 

એસબીઆઈની દલિલને સુપ્રીમ કોર્ટે ફગાવી!

વિગતવાર વાત કરીએ તો State બેંક ઓફ ઇન્ડિયાએ Supreme કોર્ટમાં અરજી કરી હતી કે ઈલેક્ટોરલ બોન્ડની તમામ માહિતીનો ખુલાસો કરવા જૂનની ૩૦ તારીખ સુધીનો સમય આપવામાં આવે . આ માહિતી એવી છે કે , ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કઈ પાર્ટીને કેટલા પૈસા મળ્યા છે તેની માહિતી આપવાની હતી . પરંતુ હવે Supreme કોર્ટે SBIની આ દલીલ ફગાવી દીધી છે અને કાલ સુધીમાં બધી જ માહિતી રજુ કરવાનો આદેશ આપી દીધો છે . આ સાથે જ ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયાને પણ આદેશ અપાયો છે કે , SBI દ્વારા જે પણ માહિતી મળે તેને પોતાની website પર માર્ચની ૧૫ તારીખ સુધીમાં પ્રકાશિત કરવાની રહેશે.


સુપ્રીમ કોર્ટમાં શું કરાઈ દલીલ?  

આ કેસમાં સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય ચંદ્રચુડએ કહ્યું છે કે ,SBI એ જે અગાઉ submission આપ્યા તેમાં  SBI પાસે માહિતી તૈયાર જ છે એટલે SBIની ૩૦ જૂનની તારીખની અરજી ફગાવી દેવામાં આવે છે. તો બીજી તરફ  SBIના વકીલ હરીશ સાલ્વેએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા કીધું હતું કે , અમારે માહિતીને ક્રમવાર ગોઠવવાની છે , તે માટે આ આખી પ્રક્રિયાને Reverse કરવી પડશે , એક બેંક તરીકે અમને આ તમામ માહિતીને ગુપ્ત રાખવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે જસ્ટિસ સંજીવ ખન્નાએ એવું કીધું હતું કે , તમારે ખાલી sealed કવરને ઓપન કરી માહિતીને ક્રમવાર ગોઠવવાની રહેશે , અને તેનો ખુલાસો કરવાનો રહેશે . ઇલેકશન કમિશન ઓફ INDIA ને પણ એક sealed એન્વેલોપમાં માહિતી કોર્ટમાં જમા કરાવવાનું કેહવામાં આવ્યું છે . 


ચૂંટણી બોન્ડને રદ્દ કરતા સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આ આદેશ! 

તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીની ૧૫ તારીખે સુપ્રીમ કોર્ટે ભારત સરકારની આ ચૂંટણી બોન્ડ schemeને ગેરબંધારણીય ગણાવી બંધ કરી દીધી હતી , અને સ્ટૅટ બેંક ઓફ ઇન્ડિયાને માર્ચની  ૬ તારીખ સુધીમાં આ તમામ ચૂંટણી બોન્ડની માહિતી ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાને જમા કરાવવાનું કીધું હતું , અને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાને માર્ચની ૧૩ તારીખ સુધીમાં આ બધી જ માહિતી પોતાની website પર રજુ કરવાનું કીધું હતું . 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.