પત્ની અને બાળકોનું ભરણપોષણ કરવું પુરૂષનું કર્તવ્ય: સુપ્રીમ કોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 16:44:09

મહિલાઓ અને બાળકોના હિતોની રક્ષા કરતા સુપ્રીમ કોર્ટે આજે બુધવારે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મહિલાની તરફેણમાં ચુકાદો સંભળાવતા કહ્યું કે મહિલા અને સગીર બાળકોની આર્થિક મદદ કરવી તે પુરૂષની ફરજ છે. પુરુષે પત્ની અને બાળકોના ભરણપોષણ માટે શારીરિક શ્રમ કરીને પણ પૈસા કમાવવા પડશે.


પુરુષ પોતાના કર્તવ્યથી બચી શકશે નહીં-સુપ્રીમ


જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે એક ચુકાદો આપતા કહ્યુ છે કે પતિને શારિરીક શ્રમથી પણ પૈસા કામાવવાની આવશ્યકતા હોય છે, જો તે શારિરીક રૂપે સક્ષમ છે અને તે વિધાનમાં દર્શાવેલ કાયદાકીયરૂપે અનુમતિપાત્ર આધારોને છોડીને પોતાના કર્તવ્યથી બચી શકશે નહીં. બેન્ચે તે પણ કહ્યુ છે કે ગુનાહિત પ્રક્રિયા સંહિતાની ધારા 125 સામાજીક ન્યાયનો એક ઉપાય છે અને વિશેષ રૂપે મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે ઘડવામાં આવ્યો છે.


પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો ચુકાદો ફગાવ્યો


બેન્ચે ફરીદાબાદની એક ફેમિલી કોર્ટના આદેશને યથાવત રાખીને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચુકાદોની વિરુદ્ધ એક મહિલાની અરજીનો સ્વીકાર કર્યો. બેન્ચે પતિની તરફથી હાજર થયેલ વકીલ દુષ્યંત પરાશરની આ દલીલને ફગાવી દીધી હતી કે તેમનો એક નાનો ધંધો છે, જે બંધ થઈ ગયો છે, તેથી તેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી.


પતિને વળતર ચૂકવવા આદેશ


સર્વોચ્ચ અદાલતે વ્યક્તિને દિકરાને 6,000 રૂપિયા અને પત્નીને 10,000 રૂપિયા ચુકવવાનો હુકમ કર્યો છે. વકીલ પરાશરે પત્નીનાં ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતું કે છોકરો (પુત્ર) તેનો જૈવિક પુત્ર નથી. ફેમિલી કોર્ટે જોકે ડીએનએ પરીક્ષણ માટે તેની અરજી ફગાવી દીધી હતી.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.