પત્ની અને બાળકોનું ભરણપોષણ કરવું પુરૂષનું કર્તવ્ય: સુપ્રીમ કોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 16:44:09

મહિલાઓ અને બાળકોના હિતોની રક્ષા કરતા સુપ્રીમ કોર્ટે આજે બુધવારે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મહિલાની તરફેણમાં ચુકાદો સંભળાવતા કહ્યું કે મહિલા અને સગીર બાળકોની આર્થિક મદદ કરવી તે પુરૂષની ફરજ છે. પુરુષે પત્ની અને બાળકોના ભરણપોષણ માટે શારીરિક શ્રમ કરીને પણ પૈસા કમાવવા પડશે.


પુરુષ પોતાના કર્તવ્યથી બચી શકશે નહીં-સુપ્રીમ


જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે એક ચુકાદો આપતા કહ્યુ છે કે પતિને શારિરીક શ્રમથી પણ પૈસા કામાવવાની આવશ્યકતા હોય છે, જો તે શારિરીક રૂપે સક્ષમ છે અને તે વિધાનમાં દર્શાવેલ કાયદાકીયરૂપે અનુમતિપાત્ર આધારોને છોડીને પોતાના કર્તવ્યથી બચી શકશે નહીં. બેન્ચે તે પણ કહ્યુ છે કે ગુનાહિત પ્રક્રિયા સંહિતાની ધારા 125 સામાજીક ન્યાયનો એક ઉપાય છે અને વિશેષ રૂપે મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે ઘડવામાં આવ્યો છે.


પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો ચુકાદો ફગાવ્યો


બેન્ચે ફરીદાબાદની એક ફેમિલી કોર્ટના આદેશને યથાવત રાખીને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચુકાદોની વિરુદ્ધ એક મહિલાની અરજીનો સ્વીકાર કર્યો. બેન્ચે પતિની તરફથી હાજર થયેલ વકીલ દુષ્યંત પરાશરની આ દલીલને ફગાવી દીધી હતી કે તેમનો એક નાનો ધંધો છે, જે બંધ થઈ ગયો છે, તેથી તેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી.


પતિને વળતર ચૂકવવા આદેશ


સર્વોચ્ચ અદાલતે વ્યક્તિને દિકરાને 6,000 રૂપિયા અને પત્નીને 10,000 રૂપિયા ચુકવવાનો હુકમ કર્યો છે. વકીલ પરાશરે પત્નીનાં ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતું કે છોકરો (પુત્ર) તેનો જૈવિક પુત્ર નથી. ફેમિલી કોર્ટે જોકે ડીએનએ પરીક્ષણ માટે તેની અરજી ફગાવી દીધી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.