'માત્ર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાથી SC/ST એક્ટ હેઠળ કેસ કરી શકાય નહીં': સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-05-20 18:58:19

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ/જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 (SC/ST એક્ટ)ને લઈને મોટી ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ એસટી એક્ટની અરજી કરવા માટે માત્ર અભદ્ર ભાષાનો ઉપયોગ પૂરતો નથી. કોર્ટે વ્યક્તિ સામેના આરોપને ફગાવી દીધા હતા. કેસની સુનાવણી કરતા જસ્ટીસ એસ આર ભટ્ટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચએ શુક્રવારે ( 19 મે 2023)ના રોજ કહ્યું કે આ જરૂરી છે કે આ એક્ટ હેઠળ આરોપીત પર કેસ ચલાવતા પહેલા તેના દ્વારા જાહેરમાં કરવામાં આવેલી ટિપ્પણીને આરોપ પત્રમાં રેખાંકિત કરવામાં આવે. તેનાથી અદાલતો ગુનાનું સંજ્ઞાન લેતા પહેલા તે નક્કી કરી શકશે કે  SC/ST કલમ હેઠળ કેસ બને છે કે નહીં?  


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો કોઈ બીજી વ્યક્તિને સાર્વજનિક સ્થળે બેવકુફ, મૂર્ખ અથવા ચોર કહે છે, તો તે ચોક્કસપણે અપમાનજનક અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ઈરાદાપૂર્વક અપમાનજનક અથવા શરમજનક કૃત્ય માનવામાં આવશે. જો આ શબ્દોનો ઉપયોગ SC અથવા ST વ્યક્તિને કહેવામાં આવી છે, ત્યાં સુધી કલમ કલમ-3(1) (એક્સ) હેઠળ વ્યક્તિને આરોપિત માન શકાય નહીં, જ્યા સુધી કે આ પ્રકારનો શબ્દ જાતિ સુચક ટિપ્પણીની સાથે કહેવામાં આવી ન હોય. જસ્ટિસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે અવલોકન કર્યું કે, વિધાયિકાનો ઈરાદો સ્પષ્ટ જણાય છે કે, દરેક અપમાન અથવા શરમજનક ધમકી એ એસસી-એસટી એક્ટની કલમ 3(1)(10) હેઠળ ગુનો ગણાશે નહીં, સિવાય કે આવું માત્ર પીડિતાના એસસી અથવા એસટી હોવાને કારણે આવું ન કરવામાં આવ્યું હોય. કોર્ટે કહ્યું કે આ કેસમાં વ્યક્તિને અપમાનિત કરવાનો ઈરાદો સ્પષ્ટ હોવો જોઈએ. દરેક અપમાન અથવા ધાકધમકી એ SC/ST એક્ટની કલમ 3(1) (x) હેઠળ ગુનો નથી. જો આવી ટિપ્પણીમાં જાતિવાદી ઉદ્દેશ્ય ન હોય તો, આ કાયદા હેઠળ કેસ નોંધી શકાય નહીં.


ચાર્જશીટ રદ કરવાની કરી હતી માગ


અપીલમાં ચાર્જશીટ રદ કરવાની અને અપીલકર્તા સામે પડતર ફોજદારી કાર્યવાહી રદ્દ  કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, જાન્યુઆરી, 2016માં અપીલકર્તા સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તપાસ બાદ જે એક દિવસની અંદર પૂરી થઈ ગઈ હતી તપાસ અધિકારીએ આઈપીસીની વિવિધ કલમો અને એસસી-એસટી એક્ટની કલમ 3(1) (10) હેઠળ ગુનો નોંધ્યો હતો. અપીલકર્તાએ તેના આધારે અપરાધિક કાર્યવાહી રદ્દ કરવાની માંગણી કરતા હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો કે ચાર્જશીટમાં કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી અને કાર્યવાહી માત્ર હેરાન કરવાના ઈરાદાથી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ્દ કરતા કહ્યું હતું કે, કોઈ કેસમાં માત્ર એક જ દિવસમાં તપાસ પૂરી કરી લેવાની પ્રક્રિયા પ્રશંસનીય હોઈ શકે છે, પરંતુ વર્તમાન કેસમાં તે ન્યાયની સેવા કરવાની સરખામણીમાં વધુ અસંગત છે.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.