Surat: 50 વર્ષના આધેડની પોલીસે કરી ધરપકડ, 17 વર્ષની સગીરા પર આચર્યું હતું દુષ્કર્મ, જાણો આરોપીને કેટલા વર્ષની મળી સજા


  • Published By :
  • Published Date : 2023-08-18 15:35:58

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું, ગુજરાતમાં બહુ ઓછી બળાત્કારની ફરિયાદો નોંધાતી હતી પરંતુ હવે પરિસ્થિતિ અલગ છે. સુરક્ષિત મનાતા રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. મહિલાઓ તો ઠીક પરંતુ બાળકીઓ પણ હવે સુરક્ષિત નથી. ત્યારે એક સમાચાર સુરતથી સામે આવ્યા છે જેમાં 50 વર્ષના આધેડને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. 17 વર્ષની સગીરાનું 50 વર્ષના આધેડે અપહરણ કર્યું હતું, તેને ભગાડી લઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. જે આરોપીને સજા ફટકારવામાં આવી છે તે શાહરૂખ ખાનનો ફેન છે. ડુપ્લિકેટ શાહરૂખ ખાન બની સોશિયલ મીડિયામાં રિલ્સ અને ફોટા મૂક્યા છે. 


17 વર્ષની સગીરા પર 50 વર્ષના આધેડે આચર્યું દુષ્કર્મ 

અપહરણના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. નાની બાળકીઓ પણ હવસનો શિકાર બની રહી છે. ગુજરાતને પહેલા મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું પરંતુ હવે તો, આગળ કહેવાની જરૂર નથી. આપ બધુ જાણો છો. ત્યારે 2022માં એક 17 વર્ષની સગીરા પર 50 વર્ષના આધેડે દુષ્કર્મ આચર્યું હતું. જે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં ઉલ્લેખ છે કે 9 ઓક્ટોબર 2022ના રોજ 50 વર્ષના આધેડ અબ્દુલ હાસીમ માઘીએ 17 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું. અને તે બાદ તેણે દુષ્કર્મ આચર્યું હતું. 


2022માં બની હતી ઘટના 

જે જગ્યાએ સગીરા કામ કરતી હતી ત્યાં આધેડ પણ કામ કરતો હતો. ઘરે મૂકવાનું કામ કરતો હતો. 8 ઓક્ટોબર 2022ના રોજ ઘરે રિક્ષા લઈને સગીરાને લેવા ગયો હતો. સાંજે 7 વાગ્યા સુધી પીડિતા ઘરે નહીં આવતા પરિજનોએ તેની શોધખોળ કરી હતી. પીડિતા મળી ન આવતા પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આરોપી સગીરાને લઈ ફરાર થઈ ગયો હતો. 


પોલીસે આ મામલે કરી હતી ઝડપી કાર્યવાહી   

આ મામલે પોલીસે માત્ર થોડા દિવસોની અંદર ચાર્જશીટ રજૂ કરી હતી. મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે એક્ટિવ મોડમાં દેખાઈ હતી. જુદી જુદી ટીમો બનાવી પોલીસે આધેડને શોધવાની તજવીજ હાથ ધરી હતી અને માત્ર બે ત્રણ દિવસની અંદર જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. મહારાષ્ટ્રથી આરોપી ઝડપાયો હતો. આરોપીને કડકમાં કડક સજા થાય તેવી રીતે ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે. 42 દિવસોની અંદર ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટે એક વર્ષની અંદર આ ચૂકાદો આપી દીધો હતો. કોર્ટે આરોપીને 50 હજારનો દંડ અને પીડિતાને રૂપિયાનું વળતર આપવા આદેશ કર્યો છે.   


આરોપીને ફટકારવામાં આવી 20 વર્ષની સજા 

જ્યારે આરોપીને પકડવામાં આવ્યો ત્યારે તપાસમાં ખબર પડી કે આરોપીએ ખાનગી વાહનમાં સગીરાનું અપહરણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર અમદાવાદથી અજમેર જતી વખતે આરોપીએ રસ્તામાં દુષ્કર્મ આચર્યું હતું. જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે શાહરૂખ ખાનનો મોટો ફેન છે. સુરતમાં તેને લોકો નકલી શાહરૂખ ખાન કહે છે. ત્યારે નકલી શાહરૂખ ખાનને પોતાના કર્મોની સજા ભોગવવી પડી છે. આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. નકલી શાહરુખ ખાન ઉર્ફે અબ્દુલ હમીદ હાસિમ માધીને કોર્ટે દોષિત જાહેર કરતા સુરતના નકલી શાહરુખને 20 વર્ષની જેલ ભોગવવાનો વારો આવ્યો છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.