Surat: 50 વર્ષના આધેડની પોલીસે કરી ધરપકડ, 17 વર્ષની સગીરા પર આચર્યું હતું દુષ્કર્મ, જાણો આરોપીને કેટલા વર્ષની મળી સજા


  • Published By :
  • Published Date : 2023-08-18 15:35:58

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું, ગુજરાતમાં બહુ ઓછી બળાત્કારની ફરિયાદો નોંધાતી હતી પરંતુ હવે પરિસ્થિતિ અલગ છે. સુરક્ષિત મનાતા રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. મહિલાઓ તો ઠીક પરંતુ બાળકીઓ પણ હવે સુરક્ષિત નથી. ત્યારે એક સમાચાર સુરતથી સામે આવ્યા છે જેમાં 50 વર્ષના આધેડને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. 17 વર્ષની સગીરાનું 50 વર્ષના આધેડે અપહરણ કર્યું હતું, તેને ભગાડી લઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. જે આરોપીને સજા ફટકારવામાં આવી છે તે શાહરૂખ ખાનનો ફેન છે. ડુપ્લિકેટ શાહરૂખ ખાન બની સોશિયલ મીડિયામાં રિલ્સ અને ફોટા મૂક્યા છે. 


17 વર્ષની સગીરા પર 50 વર્ષના આધેડે આચર્યું દુષ્કર્મ 

અપહરણના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. નાની બાળકીઓ પણ હવસનો શિકાર બની રહી છે. ગુજરાતને પહેલા મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું પરંતુ હવે તો, આગળ કહેવાની જરૂર નથી. આપ બધુ જાણો છો. ત્યારે 2022માં એક 17 વર્ષની સગીરા પર 50 વર્ષના આધેડે દુષ્કર્મ આચર્યું હતું. જે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં ઉલ્લેખ છે કે 9 ઓક્ટોબર 2022ના રોજ 50 વર્ષના આધેડ અબ્દુલ હાસીમ માઘીએ 17 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું. અને તે બાદ તેણે દુષ્કર્મ આચર્યું હતું. 


2022માં બની હતી ઘટના 

જે જગ્યાએ સગીરા કામ કરતી હતી ત્યાં આધેડ પણ કામ કરતો હતો. ઘરે મૂકવાનું કામ કરતો હતો. 8 ઓક્ટોબર 2022ના રોજ ઘરે રિક્ષા લઈને સગીરાને લેવા ગયો હતો. સાંજે 7 વાગ્યા સુધી પીડિતા ઘરે નહીં આવતા પરિજનોએ તેની શોધખોળ કરી હતી. પીડિતા મળી ન આવતા પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આરોપી સગીરાને લઈ ફરાર થઈ ગયો હતો. 


પોલીસે આ મામલે કરી હતી ઝડપી કાર્યવાહી   

આ મામલે પોલીસે માત્ર થોડા દિવસોની અંદર ચાર્જશીટ રજૂ કરી હતી. મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે એક્ટિવ મોડમાં દેખાઈ હતી. જુદી જુદી ટીમો બનાવી પોલીસે આધેડને શોધવાની તજવીજ હાથ ધરી હતી અને માત્ર બે ત્રણ દિવસની અંદર જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. મહારાષ્ટ્રથી આરોપી ઝડપાયો હતો. આરોપીને કડકમાં કડક સજા થાય તેવી રીતે ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે. 42 દિવસોની અંદર ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટે એક વર્ષની અંદર આ ચૂકાદો આપી દીધો હતો. કોર્ટે આરોપીને 50 હજારનો દંડ અને પીડિતાને રૂપિયાનું વળતર આપવા આદેશ કર્યો છે.   


આરોપીને ફટકારવામાં આવી 20 વર્ષની સજા 

જ્યારે આરોપીને પકડવામાં આવ્યો ત્યારે તપાસમાં ખબર પડી કે આરોપીએ ખાનગી વાહનમાં સગીરાનું અપહરણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર અમદાવાદથી અજમેર જતી વખતે આરોપીએ રસ્તામાં દુષ્કર્મ આચર્યું હતું. જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે શાહરૂખ ખાનનો મોટો ફેન છે. સુરતમાં તેને લોકો નકલી શાહરૂખ ખાન કહે છે. ત્યારે નકલી શાહરૂખ ખાનને પોતાના કર્મોની સજા ભોગવવી પડી છે. આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. નકલી શાહરુખ ખાન ઉર્ફે અબ્દુલ હમીદ હાસિમ માધીને કોર્ટે દોષિત જાહેર કરતા સુરતના નકલી શાહરુખને 20 વર્ષની જેલ ભોગવવાનો વારો આવ્યો છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.