Surat : કારચાલકે ટક્કર મારી તોડી આઈસ્ક્રીમ વેચતા ફેરિયાની સાઇકલ, શ્રમજીવી પહોંચ્યા પોલીસ સ્ટેશન અને સર્જાયા ભાવુક દ્રશ્યો, જાણો શા માટે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-16 14:56:18

પોલીસ.... આ શબ્દ સાંભળીને પોલીસ દ્વારા કરવામાં આવતો ખરાબ વ્યવહાર, ખરાબ વર્તન, દાદાગીરી જેવી વાતો યાદ આવતી હોય છે.... પરંતુ પોલીસ વિભાગમાં અનેક એવા અધિકારીઓ પણ છે જેમની કામગીરી પ્રશંસનિય હોય છે.. તેમને જોતા લાગે છે કે પોલીસમાં પણ હજી માનવતા જીવે છે...  ત્યારે આવો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં પોલીસની ટીમ દ્વારા શ્રમજીવીને નવી સાયકલ આપવામાં આવી છે... સાયકલ મળતા જ શ્રમજીવીની આંખો હરખથી ભરાઈ આવી હતી.. હર્ષ સંઘવીએ આનો વીડિયો શેર કર્યો છે. 

સાયકલ તૂટી પડતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા શ્રમજીવી 

નાનું મોટું કામ કરી અનેક લોકો પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે... પરંતુ જ્યારે તે જીવા દોરી સમાન ગણાતું સાધન તેમનાથી દૂર થઈ જાય તો તેમને ઘણી મુશ્કેલી વેઠવી પડતી હોય છે.. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં સાયકલ પર આઈસ્ક્રીમ વેચી પોતાનું ગુજરાન ચલાવતા એક શ્રમજીવીની સાયકલ વાહનની અડફેટે આવતા તૂટી ગઈ... સાયકલ તૂટી જતા તે શ્રમિક પોલીસસ્ટેશન ગયા અને ત્યાં પોલીસને આપવીતિ કહી.. પોલીસવાળાથી તેમનું દુ:ખ જોઈ ના શકાયું અને રાંદેર પોલીસની ટીમે તેમને નવી સાયકલ ભેટ કરી.. નવી સાયકલ મળતા શ્રમજીવીની આંખો ભીની થઈ ગઈ..  જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભાવુક કરી દે તેવા છે..


પોલીસે મહેકાવી માનવતા... 

મહત્વનું છે કે આ વાંચ્યા બાદ અનેક લોકોને લાગી શકે છે  આમાં શું માત્ર સાયકલ જ ભેટ કરી છેને.. પરંતુ તે સાયકલ આપણા માટે સાયકલ  છે પરંતુ તે શ્રમજીવી માટે તેની રોજીરોટી આપનારૂં સાધન છે.. પોલીસની છબી ગમે તેવી ખરાબ કેમ ના હોય પરંતુ પોલીસની સામે આવતી આવી છબી એવો વિશ્વાસ બેસાડે છે કે માનવતા હજી જીવંત છે પોલીસ વાળામાં.. પોલીસ વિભાગની કામગીરીને લઈ અનેક સવાલો ઉભા થઈ શકે તેમ છે પરંતુ આવા દ્રશ્યો જ્યારે સામે આવે છે ત્યારે તેની તારીફ કરવી જોઈએ..



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.