Surat : કારચાલકે ટક્કર મારી તોડી આઈસ્ક્રીમ વેચતા ફેરિયાની સાઇકલ, શ્રમજીવી પહોંચ્યા પોલીસ સ્ટેશન અને સર્જાયા ભાવુક દ્રશ્યો, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2024-05-16 14:56:18

પોલીસ.... આ શબ્દ સાંભળીને પોલીસ દ્વારા કરવામાં આવતો ખરાબ વ્યવહાર, ખરાબ વર્તન, દાદાગીરી જેવી વાતો યાદ આવતી હોય છે.... પરંતુ પોલીસ વિભાગમાં અનેક એવા અધિકારીઓ પણ છે જેમની કામગીરી પ્રશંસનિય હોય છે.. તેમને જોતા લાગે છે કે પોલીસમાં પણ હજી માનવતા જીવે છે...  ત્યારે આવો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં પોલીસની ટીમ દ્વારા શ્રમજીવીને નવી સાયકલ આપવામાં આવી છે... સાયકલ મળતા જ શ્રમજીવીની આંખો હરખથી ભરાઈ આવી હતી.. હર્ષ સંઘવીએ આનો વીડિયો શેર કર્યો છે. 

સાયકલ તૂટી પડતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા શ્રમજીવી 

નાનું મોટું કામ કરી અનેક લોકો પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે... પરંતુ જ્યારે તે જીવા દોરી સમાન ગણાતું સાધન તેમનાથી દૂર થઈ જાય તો તેમને ઘણી મુશ્કેલી વેઠવી પડતી હોય છે.. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં સાયકલ પર આઈસ્ક્રીમ વેચી પોતાનું ગુજરાન ચલાવતા એક શ્રમજીવીની સાયકલ વાહનની અડફેટે આવતા તૂટી ગઈ... સાયકલ તૂટી જતા તે શ્રમિક પોલીસસ્ટેશન ગયા અને ત્યાં પોલીસને આપવીતિ કહી.. પોલીસવાળાથી તેમનું દુ:ખ જોઈ ના શકાયું અને રાંદેર પોલીસની ટીમે તેમને નવી સાયકલ ભેટ કરી.. નવી સાયકલ મળતા શ્રમજીવીની આંખો ભીની થઈ ગઈ..  જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભાવુક કરી દે તેવા છે..


પોલીસે મહેકાવી માનવતા... 

મહત્વનું છે કે આ વાંચ્યા બાદ અનેક લોકોને લાગી શકે છે  આમાં શું માત્ર સાયકલ જ ભેટ કરી છેને.. પરંતુ તે સાયકલ આપણા માટે સાયકલ  છે પરંતુ તે શ્રમજીવી માટે તેની રોજીરોટી આપનારૂં સાધન છે.. પોલીસની છબી ગમે તેવી ખરાબ કેમ ના હોય પરંતુ પોલીસની સામે આવતી આવી છબી એવો વિશ્વાસ બેસાડે છે કે માનવતા હજી જીવંત છે પોલીસ વાળામાં.. પોલીસ વિભાગની કામગીરીને લઈ અનેક સવાલો ઉભા થઈ શકે તેમ છે પરંતુ આવા દ્રશ્યો જ્યારે સામે આવે છે ત્યારે તેની તારીફ કરવી જોઈએ..



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.