સુરત એરપોર્ટ બન્યું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું


  • Published By :
  • Published Date : 2024-01-31 21:49:11

ભારત સરકારે ગુજરાતના સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારના ગેઝેટમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે.જોઈન્ટ સેક્રેટરી રૂબીના અલીએ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી આ નિર્ણય લીધો છે. ડિસેમ્બર 2023માં કેન્દ્રીય કેબિનેટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે, "આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, વિદેશી રોકાણ આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવો સર્વોપરી છે."


1800 મુસાફરોને હેન્ડલ કરવામાં સક્ષમ


સુરત એરપોર્ટની વાત કરીએ તો કેન્દ્ર સરકારે નવા ટર્મિનલ બિલ્ડિંગ માટે 353 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. નવી ઇમારતમાં 20 ચેક-ઇન કાઉન્ટર, પાંચ એરોબ્રિજ, 13 ઇમિગ્રેશન કાઉન્ટર અને પાંચ બેગેજ કેરોસેલ્સ હોવાનું કહેવાય છે. આ ટર્મિનલ બિલ્ડીંગ સુરત શહેરનું પ્રવેશદ્વાર છે, તેથી તેને સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.


એરપોર્ટ પર પાર્કિંગની મોટી જગ્યા 


તે પીક ટાઇમ દરમિયાન એક સમયે 1800 મુસાફરોને હેન્ડલ કરી શકશે. પ્લાન મુજબ સુરત એરપોર્ટ પર ફોર વ્હીલર, ટેક્સી, બસ અને બાઇક માટે મોટું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કર્મચારીઓ અને VIP માટે અલગ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


મોદીએ નવા ટર્મિનલ બિલ્ડિંગનું  કર્યું હતું ઉદ્ઘાટન


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બર 2024ના રોજ સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે આસપાસ ફરીને  નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, "સુરતમાં નવું ટર્મિનલ બિલ્ડીંગ શહેરના વિકાસમાં એક મહત્વની સિદ્ધિ દર્શાવે છે. આ અત્યાધુનિક સુવિધા પ્રવાસના અનુભવને શ્રેષ્ઠ બનાવશે, તે ઉપરાંત આર્થિક વિકાસ, પ્રવાસન અને હવાઈ સંપર્કને પણ વેગ આપશે. "



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.