સુરત એરપોર્ટ બન્યું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું


  • Published By :
  • Published Date : 2024-01-31 21:49:11

ભારત સરકારે ગુજરાતના સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારના ગેઝેટમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે.જોઈન્ટ સેક્રેટરી રૂબીના અલીએ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી આ નિર્ણય લીધો છે. ડિસેમ્બર 2023માં કેન્દ્રીય કેબિનેટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે, "આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, વિદેશી રોકાણ આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવો સર્વોપરી છે."


1800 મુસાફરોને હેન્ડલ કરવામાં સક્ષમ


સુરત એરપોર્ટની વાત કરીએ તો કેન્દ્ર સરકારે નવા ટર્મિનલ બિલ્ડિંગ માટે 353 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. નવી ઇમારતમાં 20 ચેક-ઇન કાઉન્ટર, પાંચ એરોબ્રિજ, 13 ઇમિગ્રેશન કાઉન્ટર અને પાંચ બેગેજ કેરોસેલ્સ હોવાનું કહેવાય છે. આ ટર્મિનલ બિલ્ડીંગ સુરત શહેરનું પ્રવેશદ્વાર છે, તેથી તેને સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.


એરપોર્ટ પર પાર્કિંગની મોટી જગ્યા 


તે પીક ટાઇમ દરમિયાન એક સમયે 1800 મુસાફરોને હેન્ડલ કરી શકશે. પ્લાન મુજબ સુરત એરપોર્ટ પર ફોર વ્હીલર, ટેક્સી, બસ અને બાઇક માટે મોટું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કર્મચારીઓ અને VIP માટે અલગ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


મોદીએ નવા ટર્મિનલ બિલ્ડિંગનું  કર્યું હતું ઉદ્ઘાટન


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બર 2024ના રોજ સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે આસપાસ ફરીને  નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, "સુરતમાં નવું ટર્મિનલ બિલ્ડીંગ શહેરના વિકાસમાં એક મહત્વની સિદ્ધિ દર્શાવે છે. આ અત્યાધુનિક સુવિધા પ્રવાસના અનુભવને શ્રેષ્ઠ બનાવશે, તે ઉપરાંત આર્થિક વિકાસ, પ્રવાસન અને હવાઈ સંપર્કને પણ વેગ આપશે. "



વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.