સુરત એરપોર્ટ બન્યું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું


  • Published By :
  • Published Date : 2024-01-31 21:49:11

ભારત સરકારે ગુજરાતના સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારના ગેઝેટમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે.જોઈન્ટ સેક્રેટરી રૂબીના અલીએ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી આ નિર્ણય લીધો છે. ડિસેમ્બર 2023માં કેન્દ્રીય કેબિનેટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે, "આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, વિદેશી રોકાણ આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવો સર્વોપરી છે."


1800 મુસાફરોને હેન્ડલ કરવામાં સક્ષમ


સુરત એરપોર્ટની વાત કરીએ તો કેન્દ્ર સરકારે નવા ટર્મિનલ બિલ્ડિંગ માટે 353 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. નવી ઇમારતમાં 20 ચેક-ઇન કાઉન્ટર, પાંચ એરોબ્રિજ, 13 ઇમિગ્રેશન કાઉન્ટર અને પાંચ બેગેજ કેરોસેલ્સ હોવાનું કહેવાય છે. આ ટર્મિનલ બિલ્ડીંગ સુરત શહેરનું પ્રવેશદ્વાર છે, તેથી તેને સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.


એરપોર્ટ પર પાર્કિંગની મોટી જગ્યા 


તે પીક ટાઇમ દરમિયાન એક સમયે 1800 મુસાફરોને હેન્ડલ કરી શકશે. પ્લાન મુજબ સુરત એરપોર્ટ પર ફોર વ્હીલર, ટેક્સી, બસ અને બાઇક માટે મોટું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કર્મચારીઓ અને VIP માટે અલગ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


મોદીએ નવા ટર્મિનલ બિલ્ડિંગનું  કર્યું હતું ઉદ્ઘાટન


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બર 2024ના રોજ સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે આસપાસ ફરીને  નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, "સુરતમાં નવું ટર્મિનલ બિલ્ડીંગ શહેરના વિકાસમાં એક મહત્વની સિદ્ધિ દર્શાવે છે. આ અત્યાધુનિક સુવિધા પ્રવાસના અનુભવને શ્રેષ્ઠ બનાવશે, તે ઉપરાંત આર્થિક વિકાસ, પ્રવાસન અને હવાઈ સંપર્કને પણ વેગ આપશે. "



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.