Surat : બેંકમાં કામ કરતા કર્મચારીએ ઝેરી દવા પી ટૂંકાવ્યું જીવન, મરતા પહેલા લખી સ્યુસાઈડ નોટ અને પરિવારને કરી આ અપીલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-28 14:27:22

અનેક લોકો આપઘાત કરી પોતાના જીવનનો અંત કરતા હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં માનસીક ત્રાસને કારણે લોકો આપઘાત કરી લેતા હોય છે. ત્યારે સુરતમાં એક બેંક કર્મચારીએ જીવનને ટૂંકાવી દીધું છે. મરતા પહેલા તેમણે એક સ્યુસાઈડ નોટ લખી હતી જે સામે આવી છે. સ્યુસાઈડ નોટમાં મૃતક અતુલ ભાલાળાએ સુરતની કુખ્યાત ગેંગ સાથે જોડાયેલા માણસના નામનો ઉલ્લેખ કર્યો છે. જે લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે તેમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલાનોનો સમાવેશ થાય છે. એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેની સાથે ચીટિંગ થઈ હોવાની વાત પણ કહી છે. 


સ્યુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા  

સરથાણા વિસ્તારમાં એક બેન્કકર્મચારીએ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 30 વર્ષીય અતુલ ભાલાળાએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. મરતા પહેલા તેમણે સ્યુસાઈડ નોટ લખી છે. જે નોટ સામે આવી છે તે ઈમોશનલ કરી દે તેવી છે. અતુલ પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવતો હતો. પરિવારે કહ્યું કે, અતુલના આપઘાતને લઈને તેઓ પણ ચોંકી ગયા છે. દેખિતો કોઈ જ પ્રશ્ન કે સમસ્યા અતુલને નહોતી. ઘઉંમાં નાખવાની સેલફોસ દવાની ત્રણ ગોળી ખાઈ આપઘાત કર્યો હતો. અતુલ પાટીદાર અનામન આંદોલનમાં સક્રિય ભૂમિકા હતો.


આત્માને શાંતિ મળે તે માટે ન્યાય અપાવાની કરી અપીલ 

સ્યુસાઈડ નોટમાં જે નામનો ઉલ્લેખ છે તે અતુલ ભાલાળાને હેરાન કરતા હતા. તેમને ફોન કરીને ધમકી આપવામાં આવતી હતી બેંક જતા તે વખતે તેમને મેસેજ કરવામાં આવતો. જોબ પર જતા હોય ત્યારે સવારે માણસો મોકલે. સ્યુસાઈડમાં તેમણે લખ્યું કે આ લોકોને સજા થવી જોઈએ. ઉપરાંત સ્યુસાઈડ નોટમાં પણ તેમણે લખ્યું કે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી. જેથી હું દવા પી જાવ છું. આ લોકોને સજા થવી જોઈએ પ્લીઝ રિક્વેસ્ટ મારા આત્માને શાંતિ મળે તેના માટે.    



સાબરકાંઠાના વડાલી ગામથી જે સમાચાર સામે આવ્યા તે ડરાવનારા હતા.. વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

ચૂંટણી પ્રચાર માટે કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા હતા મોરબીમાં ચાલતા શક્તિધામ મંદિરમાં... સ્ટેજ પર પહોંચીને ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓને ભાજપના બંને નેતાઓને જાહેરમંચ પરથી ખખડાવી નાંખ્યા...!

રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં અનેક રાજવી પરિવારના સદસ્યો હાજર હતા. ગુજરાત 45 રાજવીઓએ પીએમ મોદીને સમર્થન આપ્યું છે.

લોકસભા બેઠકના ઉમેદવારોને જમાવટની ટીમ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે. તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. ત્યારે મહેસાણાના ઉમેદવારોને ફોન કર્યો હતો.