Surat : બેંકમાં કામ કરતા કર્મચારીએ ઝેરી દવા પી ટૂંકાવ્યું જીવન, મરતા પહેલા લખી સ્યુસાઈડ નોટ અને પરિવારને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-12-28 14:27:22

અનેક લોકો આપઘાત કરી પોતાના જીવનનો અંત કરતા હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં માનસીક ત્રાસને કારણે લોકો આપઘાત કરી લેતા હોય છે. ત્યારે સુરતમાં એક બેંક કર્મચારીએ જીવનને ટૂંકાવી દીધું છે. મરતા પહેલા તેમણે એક સ્યુસાઈડ નોટ લખી હતી જે સામે આવી છે. સ્યુસાઈડ નોટમાં મૃતક અતુલ ભાલાળાએ સુરતની કુખ્યાત ગેંગ સાથે જોડાયેલા માણસના નામનો ઉલ્લેખ કર્યો છે. જે લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે તેમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલાનોનો સમાવેશ થાય છે. એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેની સાથે ચીટિંગ થઈ હોવાની વાત પણ કહી છે. 


સ્યુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા  

સરથાણા વિસ્તારમાં એક બેન્કકર્મચારીએ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 30 વર્ષીય અતુલ ભાલાળાએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. મરતા પહેલા તેમણે સ્યુસાઈડ નોટ લખી છે. જે નોટ સામે આવી છે તે ઈમોશનલ કરી દે તેવી છે. અતુલ પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવતો હતો. પરિવારે કહ્યું કે, અતુલના આપઘાતને લઈને તેઓ પણ ચોંકી ગયા છે. દેખિતો કોઈ જ પ્રશ્ન કે સમસ્યા અતુલને નહોતી. ઘઉંમાં નાખવાની સેલફોસ દવાની ત્રણ ગોળી ખાઈ આપઘાત કર્યો હતો. અતુલ પાટીદાર અનામન આંદોલનમાં સક્રિય ભૂમિકા હતો.


આત્માને શાંતિ મળે તે માટે ન્યાય અપાવાની કરી અપીલ 

સ્યુસાઈડ નોટમાં જે નામનો ઉલ્લેખ છે તે અતુલ ભાલાળાને હેરાન કરતા હતા. તેમને ફોન કરીને ધમકી આપવામાં આવતી હતી બેંક જતા તે વખતે તેમને મેસેજ કરવામાં આવતો. જોબ પર જતા હોય ત્યારે સવારે માણસો મોકલે. સ્યુસાઈડમાં તેમણે લખ્યું કે આ લોકોને સજા થવી જોઈએ. ઉપરાંત સ્યુસાઈડ નોટમાં પણ તેમણે લખ્યું કે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી. જેથી હું દવા પી જાવ છું. આ લોકોને સજા થવી જોઈએ પ્લીઝ રિક્વેસ્ટ મારા આત્માને શાંતિ મળે તેના માટે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.