Surat : બેંકમાં કામ કરતા કર્મચારીએ ઝેરી દવા પી ટૂંકાવ્યું જીવન, મરતા પહેલા લખી સ્યુસાઈડ નોટ અને પરિવારને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-12-28 14:27:22

અનેક લોકો આપઘાત કરી પોતાના જીવનનો અંત કરતા હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં માનસીક ત્રાસને કારણે લોકો આપઘાત કરી લેતા હોય છે. ત્યારે સુરતમાં એક બેંક કર્મચારીએ જીવનને ટૂંકાવી દીધું છે. મરતા પહેલા તેમણે એક સ્યુસાઈડ નોટ લખી હતી જે સામે આવી છે. સ્યુસાઈડ નોટમાં મૃતક અતુલ ભાલાળાએ સુરતની કુખ્યાત ગેંગ સાથે જોડાયેલા માણસના નામનો ઉલ્લેખ કર્યો છે. જે લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે તેમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલાનોનો સમાવેશ થાય છે. એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેની સાથે ચીટિંગ થઈ હોવાની વાત પણ કહી છે. 


સ્યુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા  

સરથાણા વિસ્તારમાં એક બેન્કકર્મચારીએ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 30 વર્ષીય અતુલ ભાલાળાએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. મરતા પહેલા તેમણે સ્યુસાઈડ નોટ લખી છે. જે નોટ સામે આવી છે તે ઈમોશનલ કરી દે તેવી છે. અતુલ પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવતો હતો. પરિવારે કહ્યું કે, અતુલના આપઘાતને લઈને તેઓ પણ ચોંકી ગયા છે. દેખિતો કોઈ જ પ્રશ્ન કે સમસ્યા અતુલને નહોતી. ઘઉંમાં નાખવાની સેલફોસ દવાની ત્રણ ગોળી ખાઈ આપઘાત કર્યો હતો. અતુલ પાટીદાર અનામન આંદોલનમાં સક્રિય ભૂમિકા હતો.


આત્માને શાંતિ મળે તે માટે ન્યાય અપાવાની કરી અપીલ 

સ્યુસાઈડ નોટમાં જે નામનો ઉલ્લેખ છે તે અતુલ ભાલાળાને હેરાન કરતા હતા. તેમને ફોન કરીને ધમકી આપવામાં આવતી હતી બેંક જતા તે વખતે તેમને મેસેજ કરવામાં આવતો. જોબ પર જતા હોય ત્યારે સવારે માણસો મોકલે. સ્યુસાઈડમાં તેમણે લખ્યું કે આ લોકોને સજા થવી જોઈએ. ઉપરાંત સ્યુસાઈડ નોટમાં પણ તેમણે લખ્યું કે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી. જેથી હું દવા પી જાવ છું. આ લોકોને સજા થવી જોઈએ પ્લીઝ રિક્વેસ્ટ મારા આત્માને શાંતિ મળે તેના માટે.    



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.