Surat : બેંકમાં કામ કરતા કર્મચારીએ ઝેરી દવા પી ટૂંકાવ્યું જીવન, મરતા પહેલા લખી સ્યુસાઈડ નોટ અને પરિવારને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-12-28 14:27:22

અનેક લોકો આપઘાત કરી પોતાના જીવનનો અંત કરતા હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં માનસીક ત્રાસને કારણે લોકો આપઘાત કરી લેતા હોય છે. ત્યારે સુરતમાં એક બેંક કર્મચારીએ જીવનને ટૂંકાવી દીધું છે. મરતા પહેલા તેમણે એક સ્યુસાઈડ નોટ લખી હતી જે સામે આવી છે. સ્યુસાઈડ નોટમાં મૃતક અતુલ ભાલાળાએ સુરતની કુખ્યાત ગેંગ સાથે જોડાયેલા માણસના નામનો ઉલ્લેખ કર્યો છે. જે લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે તેમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલાનોનો સમાવેશ થાય છે. એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેની સાથે ચીટિંગ થઈ હોવાની વાત પણ કહી છે. 


સ્યુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા  

સરથાણા વિસ્તારમાં એક બેન્કકર્મચારીએ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 30 વર્ષીય અતુલ ભાલાળાએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. મરતા પહેલા તેમણે સ્યુસાઈડ નોટ લખી છે. જે નોટ સામે આવી છે તે ઈમોશનલ કરી દે તેવી છે. અતુલ પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવતો હતો. પરિવારે કહ્યું કે, અતુલના આપઘાતને લઈને તેઓ પણ ચોંકી ગયા છે. દેખિતો કોઈ જ પ્રશ્ન કે સમસ્યા અતુલને નહોતી. ઘઉંમાં નાખવાની સેલફોસ દવાની ત્રણ ગોળી ખાઈ આપઘાત કર્યો હતો. અતુલ પાટીદાર અનામન આંદોલનમાં સક્રિય ભૂમિકા હતો.


આત્માને શાંતિ મળે તે માટે ન્યાય અપાવાની કરી અપીલ 

સ્યુસાઈડ નોટમાં જે નામનો ઉલ્લેખ છે તે અતુલ ભાલાળાને હેરાન કરતા હતા. તેમને ફોન કરીને ધમકી આપવામાં આવતી હતી બેંક જતા તે વખતે તેમને મેસેજ કરવામાં આવતો. જોબ પર જતા હોય ત્યારે સવારે માણસો મોકલે. સ્યુસાઈડમાં તેમણે લખ્યું કે આ લોકોને સજા થવી જોઈએ. ઉપરાંત સ્યુસાઈડ નોટમાં પણ તેમણે લખ્યું કે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી. જેથી હું દવા પી જાવ છું. આ લોકોને સજા થવી જોઈએ પ્લીઝ રિક્વેસ્ટ મારા આત્માને શાંતિ મળે તેના માટે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.