Surat: વધુ એક યુવાનને કાળ ભરખી ગયો, ગરબા રમતી વખતે યુવક ઢળી પડ્યો અને મોતને વ્હાલો થઈ ગયો.. પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-10-06 16:50:26

રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. કોરોના બાદ યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. થોડા દિવસોમાં જ અનેક યુવાનોના જીવ હૃદય હુમલાને કારણે થયા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત ગરબા રમતા રમતા થયું છે. સુરતમાં ગરબા રમતી વખતે યુવક અચાનક ઢળી પડ્યો. જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે થોડા દિવસોમાં અનેક યુવાનોને કાળ ભરખી ગયો છે. આ અંગે મળતી માહિતી અનુસાર 26 વર્ષીય રાજ મોદી નામના યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થઈ ગયું છે. પરિવારના સદસ્યની આવી અચાનક વિદાયથી પરિવાર શોકમાં છે. 





આની પહેલા પણ ગરબા કરતી વખતે યુવકનું થયું હતું મોત 

કોરોના બાદ રાજ્યમાં જાણે હાર્ટ એટેક આવવાનો રાફળો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા કિસ્સાઓ આપણી સામે છે. રાજકોટમાં માત્ર થોડા કલાકોની અંદર 5 જેટલા લોકોના મોત હૃદય હુમલાને કારણે થઈ ગયા છે. થોડા દિવસો પહેલા જામનગરથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં 19 વર્ષીય યુવાન ગરબા રમતી વખતે મોતને ભેટ્યો હતો. તે પહેલા પણ અનેક એવા કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં અચાનક માણસ પોતાનો અંતિમ શ્વાસ લઈ લે છે અને ખબર પણ નથી પડતી. 


ગરબાના ગ્રાઉન્ડ પર હાજર રહેશે ડોક્ટરની ટીમ   

યુવાનોમાં વધતા હાર્ટ એટેકને ધ્યાનમાં રાખી અનેક ગરબા આયોજકો દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. ગરબા ગ્રાઉન્ડમાં ડોક્ટરની ટીમ હાજર રહેશે જેને કારણે જો કોઈને તકલીફ પડે તો તેને ત્વરીત સારવાર મળી રહે. મહત્વનું છે કે ગરબાને લઈ ગુજરાતમાં રહેતા લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે. નવરાત્રીની રાહ લોકો લાંબા સમયથી જોતા હોય છે. અલગ અલગ સ્ટેપ શિખવા માટે ગરબા ક્લાસીસ પણ જોઈન કરતા હોય છે. ત્યારે ગરબા જીવનનો અંતિમ ક્ષણ ન બની જાય તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. 





ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી