Surat: વધુ એક યુવાનને કાળ ભરખી ગયો, ગરબા રમતી વખતે યુવક ઢળી પડ્યો અને મોતને વ્હાલો થઈ ગયો.. પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-10-06 16:50:26

રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. કોરોના બાદ યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. થોડા દિવસોમાં જ અનેક યુવાનોના જીવ હૃદય હુમલાને કારણે થયા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત ગરબા રમતા રમતા થયું છે. સુરતમાં ગરબા રમતી વખતે યુવક અચાનક ઢળી પડ્યો. જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે થોડા દિવસોમાં અનેક યુવાનોને કાળ ભરખી ગયો છે. આ અંગે મળતી માહિતી અનુસાર 26 વર્ષીય રાજ મોદી નામના યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થઈ ગયું છે. પરિવારના સદસ્યની આવી અચાનક વિદાયથી પરિવાર શોકમાં છે. 





આની પહેલા પણ ગરબા કરતી વખતે યુવકનું થયું હતું મોત 

કોરોના બાદ રાજ્યમાં જાણે હાર્ટ એટેક આવવાનો રાફળો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા કિસ્સાઓ આપણી સામે છે. રાજકોટમાં માત્ર થોડા કલાકોની અંદર 5 જેટલા લોકોના મોત હૃદય હુમલાને કારણે થઈ ગયા છે. થોડા દિવસો પહેલા જામનગરથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં 19 વર્ષીય યુવાન ગરબા રમતી વખતે મોતને ભેટ્યો હતો. તે પહેલા પણ અનેક એવા કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં અચાનક માણસ પોતાનો અંતિમ શ્વાસ લઈ લે છે અને ખબર પણ નથી પડતી. 


ગરબાના ગ્રાઉન્ડ પર હાજર રહેશે ડોક્ટરની ટીમ   

યુવાનોમાં વધતા હાર્ટ એટેકને ધ્યાનમાં રાખી અનેક ગરબા આયોજકો દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. ગરબા ગ્રાઉન્ડમાં ડોક્ટરની ટીમ હાજર રહેશે જેને કારણે જો કોઈને તકલીફ પડે તો તેને ત્વરીત સારવાર મળી રહે. મહત્વનું છે કે ગરબાને લઈ ગુજરાતમાં રહેતા લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે. નવરાત્રીની રાહ લોકો લાંબા સમયથી જોતા હોય છે. અલગ અલગ સ્ટેપ શિખવા માટે ગરબા ક્લાસીસ પણ જોઈન કરતા હોય છે. ત્યારે ગરબા જીવનનો અંતિમ ક્ષણ ન બની જાય તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. 





ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.