રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારનારા સુરત કોર્ટના જજની બઢતી સાથે બદલી


  • Published By :
  • Published Date : 2023-05-04 14:38:33

મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારનારા સુરત કોર્ટના જજ એચ.એચ.વર્માની બઢતી સાથે બદલી થઈ છે. સુરત જિલ્લા અને સેશન્સ કોર્ટમાં ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ પર રહેલા જસ્ટિસ હરીશ હસુમખભાઈ વર્માની રાજકોટમાં 16માં અધિક જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી છે. રાહુલ ગાંધીને બે વર્ષની સજા બાદ દેશના રાજકારણમાં રીતસરનો રાજકીય ભૂકંપ આવ્યો હતો. આ સજા માટે કોંગ્રેસના નેતાઓએ ભાજપ ભાજપ અને  કેન્દ્રની મોદી સરકારને જવાબદાર ઠરાવી તેના પર આકરા પ્રહારો કર્યા હતા.


રાહુલ ગાંધીને મળી છે બે વર્ષની સજા?


રાહુલ ગાંધી દ્વારા મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના મામલે 23 માર્ચે સુરતની કોર્ટે 2019માં કેસમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેમને કલમ 504 હેઠળ બે વર્ષની સજા સંભળાવી હતી. જોકે, તેને અમલ માટે કોર્ટ તરફથી થોડા દિવસનો સમય મળ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ મળી ગયા હતા. રાહુલે તેમની સજાને સુરત સેસન્સ કોર્ટમાં પડકારી હતી. જો કે તેમની અરજી કોર્ટે ફગાવી દીધી હતી.


સમગ્ર મામલો શું છે?


રાહુલ ગાંધીએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં યોજાયેલી એક રેલીમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘બધા ચોરોની અટક મોદી કેમ હોય છે?’જેને લઈને સુરત ભાજપના નેતા, ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલના નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી, જેના કારણે રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ પણ રદ્દ થયું હતું. આ સમગ્ર મામલે જબરદસ્ત રાજકીય વિવાદ થયો હતો. 


રાહુલ ગાંધીએ કરી છે ગુજરાત HCમાં અરજી


સુરત કોર્ટના ચુકાદાને રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલે ગઈ કાલે 2 મેના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જો કે હાઈકોર્ટે રાહુલ ગાંધીને કોઇ રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર વચગાળાના જામીન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. કોર્ટે બંન્ને પક્ષની દલિલો સાંભળ્યા બાદ કોઇ પણ રાહત આપી નહોતી. કોર્ટ દ્વારા પોતાનો ચુકાદો અનામત રાખી લીધો હતો. ઉનાળાનું વેકેશન શરૂ થઇ રહ્યું હોવાથી જજ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. વેકેશન પૂર્ણ થયા બાદ તેઓ ચુકાદો આપશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.