Surat : ઘેંટા બકરાની જેમ રિક્ષામાં ભર્યા હતા બાળકો, ખાડો આવતા રિક્ષા પલટી, જો દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદાર હોત?


  • Published By :
  • Published Date : 2023-10-06 13:09:12

ખરાબ રોડ રસ્તાની વાત, રસ્તા પર પડેલા ખાડાની વાત તેમજ રિક્ષામાં ઘેંટા બકરાની જેમ ભરેલા લોકોની વાત તો અમે અનેક વખત કરતા હોઈએ છીએ. દર વખતે અલગ અલગ કરતા હોઈએ છીએ. ખરાબ રસ્તાની અલગ સ્ટોરીમાં અને રિક્ષામાં ઘેંટાની જેમ ભરાતા લોકોની અલગ સ્ટોરી કરતા હોઈએ છીએ. પરંતુ આજે થયું બંને સ્ટોરી એક સાથે કરીએ કારણ કે સુરતથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં બંનેની વાત એકસાથે થઈ શકે છે.  

રિક્ષામાં ઘેંટા બકરાની જેમ ભર્યા હોય છે વિદ્યાર્થીઓ  

શાળા સુધી વિદ્યાર્થીઓને લાવા લઈ જવા માટે વાલીઓ રિક્ષા બંધાવતા હોય છે. રિક્ષામાં બેસીને વિદ્યાર્થીઓ સ્કૂલે તો પહોંચી જાય અને પાછા ઘરે પણ આવી જતા હોય છે પરંતુ સ્કૂલે કેવી રીતે જતા હોય છે કદાચ તેની જાણ તેમના વાલીઓને નહીં હોય.રિક્ષામાં ઘેંટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. તેની ચર્ચા અનેક વખત કરી. એક રિક્ષા એટલા બધા વિદ્યાર્થીઓ બેઠા હોય છે કે વિદ્યાર્થીઓને સરખી રીતે બેસવાની જગ્યા પણ નથી મળતી. બાળકો એટલા સંકોચાઈને બેઠા હોય છે જે જોઈને કદાચ આપણને દયા આવી જાય. જે રિક્ષા બાળકોને શાળા સુધી પહોંચાડે છે જો તેને અકસ્માત નડે તો દેવી દશા થાય તેનો ખ્યાલ આવે છે? વાલીઓને પોતાના સંતાનોને ગુમાવવાનો વારો આવે. જે રીતે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે તે તદ્દન ખોટુ છે. વિદ્યાર્થીઓના જીવને જોખમમાં નાખવાનો હક કોઈને નથી.    

Agency clashes in filling potholes at Mahuvej Char Rasta | મહુવેજ ચાર રસ્તા  ખાતે પડેલા ખાડા પુરવામાં એજન્સીની આડોડાઈ - Divya Bhaskar

રોડ પરના ખાડાઓ વર્ષે ર૩૦૦ જેટલા લોકોનો જીવ લેતા હોવાથી કેરળ હાઈકોર્ટ લાલઘૂમ

રસ્તા પર પડેલા ખાડાને કારણે પલટી આખી સ્કૂલ રિક્ષા!

આ ઉપરનો જે વીડિયો જોયો તે સુરતનોના સાયણનો છે. વીડિયોમાં દેખાય છે કે રસ્તા પરથી જ્યારે રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રસ્તામાં ખાડો આવે છે. ખાડો એટલો ભયંકર હતો કે આખી રિક્ષા પલટી મારી ગઈ. રિક્ષા પલટી જવાથી નાના નાના ભૂલકાઓ દબાઈ ગયા. આ દ્રશ્યો જોઈ આસપાસના લોકો રિક્ષાને ઉભી કરવા ત્યાં આવી ગયા અને રિક્ષાને સીધી કરી દીધી. જો આ દુર્ઘટનામાં બાળકોને થઈ ગયું હોત તો જવાબદાર કોણ હોત? 

ખરાબ રસ્તાને કારણે લોકો બન્યા છે ત્રસ્ત 

સામાન્ય દિવસોમાં પણ રસ્તાની હાલત એકદમ દયનિય હોય છે. રસ્તા પર અનેક ખાડાઓ જોવા મળતા હોય છે. ત્યારે હમણાં જ ચોમાસાની સિઝન પૂર્ણ થઈ છે. આ દરમિયાન રસ્તા પર ખાડારાજ જોવા મળતું હોય છે. ખરાબ રસ્તાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ખરાબ રસ્તાને કારણે વાહનોને તો નુકસાન પહોંચે છે પરંતુ શરીરને પણ નુકસાન પહોંચે છે. ત્યારે ખરાબ રસ્તાનું સમારકામ પણ કરાવું જોઈએ ઉપરાંત આવા રિક્ષા ચાલકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ. 




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.