સુરત શહેર વિકાસ વિભાગનો ઈજનેર રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયો, ACBએ છટકું ગોઠવી રંગેહાથ પકડ્યો


  • Published By :
  • Published Date : 2023-09-13 18:14:04

રાજ્યની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર હવે શિષ્ટાચાર બની ગયો છે. ગુજરાત સરકારના કર્મચારીઓને તગડો પગાર મળતો હોવા છતાં પણ લાંચ લેવાની લાલચ રોકી શક્તા નથી. ઘણી વખત આવા કર્મચારીઓ ACBની ટ્રેપમાં ફસાઈને નોકરી પણ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના સુરતના વરાછા ઝોન-એના શહેર વિકાસ વિભાગની ઓફિસમાં બની હતી. શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેરને લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો હતો, આ ઉપરાંત લાંચ માંગવામાં સામેલ પટાવાળાની પણ ACBએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક મકાનના બીજા અને ત્રીજા માળે આવેલા બે રૂમનું ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવા લાંચ માગવામાં આવી હતી. સુરત કોર્પોરેશનના જુનિયર એન્જિનીયર કેયુર પટેલ અને પટાવાળા નિમેષ ગાંધીને ACBએ ઝડપી પાડતા ચકચાર મચી ગઈ હતી.


35 હજારની લાંચ લેતા ઝડપાયા


સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન-એના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલને ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યા છે, આ ઉપરાંત લાંચ માંગવામાં સામેલ પટાવાળા, નિમેષકુમાર રજનીકાંત ગાંધીની પણ ACBએ ધરપકડ કરી છે, મકાનના બીજા માળ અને ત્રીજા માળે આવેલ બે રૂમનું ગેરકાયદે બાંધકામ નહી તોડવાના અવેજપેટે 50 હજારની લાંચ બંને આરોપીઓએ માંગી હતી. આ દરમ્યાન રકઝકના અંતે 35 હજાર લેવાના નક્કી કર્યા હતા.


ACBની ટ્રેપમાં આબાદ ઝડપાઈ ગયા


ACBમાં આ મામલે ફરિયાદ થતા ACBએ સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહિલા પીઆઈ એ.કે.ચૌહાણે ગત મોડી સાંજે પુણાગામ પુણા વોર્ડ ઓફિસની સામે છટકું ગોઠવ્યું હતું અને પુણા વોર્ડ ઓફિસની સામેથી જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલને 35 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા જયારે પટાવાળા નિમેષકુમાર રજનીકાંત ગાંધીની તેમની ઓફિસમાંથી ઝડપી પાડી આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.