Surat Civil Hospitalથી સામે આવ્યા દારૂબંધીનાં ધજાગરા ઉડાડતા દ્રશ્યો, કેમ્પસમાંથી મળી આવી દારૂની બોટલો! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-02 12:00:56

ગુજરાતની અનેક જગ્યાઓ એવી છે જ્યાંથી દારૂ મળી આવે છે ભલેને ગુજરાતમાં દારૂબંધી રહી. કેવી દારૂબંધી છે તે આપણે જાણીએ છીએ. પ્રતિદિન એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હોય. અનેક લોકો એવું પણ કહેતા હોય છે કે કાયદા બને જ એટલા માટે છે કે તેને તોડી શકાય. અનેક કાયદા એવા છે જેનું પાલન નથી થતું અને તેમાંનો એક કાયદો છે દારૂબંધીનો! દારૂની વાત ફરી એટલા માટે કરવી છે કારણ કે દારૂનો જથ્થો સુરત સિવિલથી પકડાયો છે. સારવાર માટે જાવ ત્યારે દવા મળે કે ન મળે પરંતુ દારૂ મળશે તેની પૂરેપૂરી ગેરંટી છે!

દારૂબંધીનો કેટલો અમલ થાય છે તે ગુજરાતીઓ સારી રીતે જાણે છે

સામાન્ય રીતે ગુજરાત માટે કહેવામાં આવે છે કે આ રાજ્યની ગણતરી ડ્રાય સ્ટેટમાં થાય છે, એટલે કે દારૂ પર પ્રતિબંધ છે. બહાર રહેતા લોકોને કદાચ આ વાત સાચી પણ લાગે, એ લોકો કદાચ માની પણ લે કે કાયદો છે તો તેનો અમલ પણ થતો હશે. પરંતુ દારૂબંધી કેટલી છે તે ગુજરાતીઓ સારી રીતે જાણે છે. કાયદાના લીરેલીરા ઉડતા પણ અનેક વખત આપણે જોયા છે. 


સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળી આવી દારૂની બોટલ 

અલગ અલગ જગ્યાઓથી દારૂનો જથ્થો મળી આવતો હોય છે ફરી એક વખત દારૂની ખાલી બોટલ સુરત સિવિલથી મળી આવી છે... એ હોસ્પિટલ જ્યાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. સુરત સિવિલ હોસ્પિટલમાં જાવ છો તો દવા નહિ પણ ત્યાં દારૂની પુરેપુરી ગેરંટી છે તેમ કહીએ તો અતિશયોક્તિ ન ગણાય.


પહેલા ડ્રગ્સનો છોડ અને હવે દારૂની બોટલ મળી

પહેલા યુનિવર્સીટીઓમાંથી દારૂની બોટલો મળી હવે સિવિલ હોસ્પિટલમાંથી ખાલી બોટલો મળી રહી છે અને આપણે ગર્વથી કહીએ છીએ કે આપણે ડ્રાય સ્ટેટમાં રહીયે છીએ... સુરત સિવિલ હોસ્પિટલથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે જોઈને શરમ આવી જાય. સિવિલ કેમ્પસના જૂના ટ્રોમાં સેન્ટર બહારના STD- PCO પાછળ ઝાડ નીચેથી દારૂની બોટલો મળી આવી છે અને ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. જોકે દારૂ પહેલા પણ  સિવિલના કેમ્પસમાંથી ડ્રગ્સના છોડ મળ્યા હતા એટલે સિવિલમાં દવાની ખબર નહિ પણ દારૂની પુરેપુરી ગેરન્ટી છે....!

   

હોસ્પિટલમાં દારૂ ક્યાં આવ્યો તે પ્રશ્ન

આ મુદ્દો ચર્ચામાં આવતા RMOએ કહ્યું કે સૂચના અપાઈ ગઈ છે અને બીજીવાર આવું પુનરાવર્તન ન થાય એની કાળજી રખાશે. પણ ભાઈ સિવિલમાં આ દારૂની બોટલ આવી ક્યાંથી એનો જવાબ છે તમારી જોડે ? જે વીડિઓ સામે આવ્યો છે તેમાં દેખાય છે કે એક કે બે નહિ પણ 4થી 5 બોટલો છે. ઘટનાની જાણ થતા સિવિલમાં સારવાર લેનાર દર્દીઓ અને દર્દીઓના સગાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. 


તંત્રની ગંભીર બેદરકારી સામે આવી!

આ તો કશું નથી આજથી 3 વર્ષ પહેલા સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસના ગ્રાઉન્ડમાંથી દેશી દારૂની 7 પોટલી મળી આવી હતી લાકડા કાપવા વાળાઓને દારૂ ભરેલી સિમેન્ટની થેલી મળી આવ્યાં બાદ તેમાં તપાસ કરતાં દેશી દારૂની મોટી પોટલીઓ નીકળી એટલે સિવિલ માટે આ કશું નવું નથી પણ તંત્રની બેદરકારી ભયંકર છે. 


જો સરકારી કચેરીમાંથી પણ દારૂ મળી આવે તો નવાઈ નહીં!

સિવિલમાં અનેક એવા દર્દીઓ આવે છે જે દારૂ પીને જીવન અને મૃત્ય વચ્ચે લડી રહ્યા હોય છે. એ લોકોને એક તરફ ડોક્ટર દારૂ છોડવાનું કહે છે અને બીજી બાજુ હોસ્પિટલના જ કેમ્પસમાં દારૂની બોટલો મળી આવે છે. આપણે ગુજરાતમાં દારૂબંધી કાયદાના ધજાગરા ઉડે તેવા દ્રશ્યો રોજે જોઈએ છીએ. પહેલા કોલેજ, યુનિવર્સીટી હવે હોસ્પિટલ.. કલ જતા સરકારી કચેરીઓમાંથી પણ દારૂ મળી આવે તો પણ કઈ નવાઈ નહિ હોય...!  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.