સુરતની કામરેજ સીટના ભાજપના MLA ઝાલાવાડિયાની મિલકત જપ્તીનો કોર્ટનો આદેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:26:25


સુરતની એક કોર્ટે કામરેજના ધારાસભ્ય  વી ડી ઝાલાવાડિયાની મિલકત જપ્ત કરવાનો આદેશ આપતા ખળભળાટ મચી ગયો છે. અકસ્માતમાં મૃતકને 15 લાખનું વળતર નહીં ચૂકવતા 27.75 લાખની મિલકત જપ્તીનો આદેશ કરાયો છે. સીમાડા પાસે ઝાલાવાડિયાની રોંગ સાઇડમાં પાર્ક કરેલી ટ્રકમાં ઘૂસી જતાં યુવકનું મોત નિપજ્યુ હતું. જ્યારે ટ્રકની પાર્કિંગ લાઈટ પણ ચાલુ ન હતી. 


શા માટે ઝાલાવાડિયાને કોર્ટે દંડ ફટકાર્યો


વર્ષ 2016માં સીમાડા કેનાલ રોડ પર રોંગ સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાં ડ્રાઇવર લાઈટ ચાલુ રાખી ન હતી. તેને કારણે વરાછા વિસ્તારમાં વિશાલ નગરમાં રહેતો એક યુવક ટ્રકમાં ધડાકાભેર ઘૂસી ગયો હતો. અકસ્માતમાં યુવકનું મોત થયું હતું. જોકે આ મામલે યુવકના પરિવારે ફરિયાદ કરતા કોર્ટે આ કેસમાં સુરત કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ઝાલાવાડિયાની પત્નીના નામે અને ઝાલાવાડિયાની માલિકીની આ ટ્રક હોવાને લઈને માર્ચ મહિનામાં જ હુકમ કર્યો હતો કે, આ પરિવારને 15 લાખ વળતર પેટે ચૂકવી દેવામાં આવે, પરંતુ ધારાસભ્ય દ્વારા રૂપિયા ન ચૂકવવાતા આખરે સુરત કોઠે 24.75 લાખની મિલકત જપ્તીનો આદેશ કર્યો છે. ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ આ કેસ અંગે જણાવ્યું હતું કે અકસ્માત થયોએ પહેલાં ટ્રક વેચાઈ ગઈ હતી. ટ્રક લેનાર વ્યક્તિએ પોતાના નામ પર ટ્રક ન કરાવતા ઝાલાવડીયાના પત્નીના નામ પર ટ્રક બોલતી હતી. તેથી હવે તે ઉપલી કોર્ટમાં અપીલમાં જશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.