સુરતની કામરેજ સીટના ભાજપના MLA ઝાલાવાડિયાની મિલકત જપ્તીનો કોર્ટનો આદેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:26:25


સુરતની એક કોર્ટે કામરેજના ધારાસભ્ય  વી ડી ઝાલાવાડિયાની મિલકત જપ્ત કરવાનો આદેશ આપતા ખળભળાટ મચી ગયો છે. અકસ્માતમાં મૃતકને 15 લાખનું વળતર નહીં ચૂકવતા 27.75 લાખની મિલકત જપ્તીનો આદેશ કરાયો છે. સીમાડા પાસે ઝાલાવાડિયાની રોંગ સાઇડમાં પાર્ક કરેલી ટ્રકમાં ઘૂસી જતાં યુવકનું મોત નિપજ્યુ હતું. જ્યારે ટ્રકની પાર્કિંગ લાઈટ પણ ચાલુ ન હતી. 


શા માટે ઝાલાવાડિયાને કોર્ટે દંડ ફટકાર્યો


વર્ષ 2016માં સીમાડા કેનાલ રોડ પર રોંગ સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાં ડ્રાઇવર લાઈટ ચાલુ રાખી ન હતી. તેને કારણે વરાછા વિસ્તારમાં વિશાલ નગરમાં રહેતો એક યુવક ટ્રકમાં ધડાકાભેર ઘૂસી ગયો હતો. અકસ્માતમાં યુવકનું મોત થયું હતું. જોકે આ મામલે યુવકના પરિવારે ફરિયાદ કરતા કોર્ટે આ કેસમાં સુરત કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ઝાલાવાડિયાની પત્નીના નામે અને ઝાલાવાડિયાની માલિકીની આ ટ્રક હોવાને લઈને માર્ચ મહિનામાં જ હુકમ કર્યો હતો કે, આ પરિવારને 15 લાખ વળતર પેટે ચૂકવી દેવામાં આવે, પરંતુ ધારાસભ્ય દ્વારા રૂપિયા ન ચૂકવવાતા આખરે સુરત કોઠે 24.75 લાખની મિલકત જપ્તીનો આદેશ કર્યો છે. ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ આ કેસ અંગે જણાવ્યું હતું કે અકસ્માત થયોએ પહેલાં ટ્રક વેચાઈ ગઈ હતી. ટ્રક લેનાર વ્યક્તિએ પોતાના નામ પર ટ્રક ન કરાવતા ઝાલાવડીયાના પત્નીના નામ પર ટ્રક બોલતી હતી. તેથી હવે તે ઉપલી કોર્ટમાં અપીલમાં જશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે