સુરતની કામરેજ સીટના ભાજપના MLA ઝાલાવાડિયાની મિલકત જપ્તીનો કોર્ટનો આદેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:26:25


સુરતની એક કોર્ટે કામરેજના ધારાસભ્ય  વી ડી ઝાલાવાડિયાની મિલકત જપ્ત કરવાનો આદેશ આપતા ખળભળાટ મચી ગયો છે. અકસ્માતમાં મૃતકને 15 લાખનું વળતર નહીં ચૂકવતા 27.75 લાખની મિલકત જપ્તીનો આદેશ કરાયો છે. સીમાડા પાસે ઝાલાવાડિયાની રોંગ સાઇડમાં પાર્ક કરેલી ટ્રકમાં ઘૂસી જતાં યુવકનું મોત નિપજ્યુ હતું. જ્યારે ટ્રકની પાર્કિંગ લાઈટ પણ ચાલુ ન હતી. 


શા માટે ઝાલાવાડિયાને કોર્ટે દંડ ફટકાર્યો


વર્ષ 2016માં સીમાડા કેનાલ રોડ પર રોંગ સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાં ડ્રાઇવર લાઈટ ચાલુ રાખી ન હતી. તેને કારણે વરાછા વિસ્તારમાં વિશાલ નગરમાં રહેતો એક યુવક ટ્રકમાં ધડાકાભેર ઘૂસી ગયો હતો. અકસ્માતમાં યુવકનું મોત થયું હતું. જોકે આ મામલે યુવકના પરિવારે ફરિયાદ કરતા કોર્ટે આ કેસમાં સુરત કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ઝાલાવાડિયાની પત્નીના નામે અને ઝાલાવાડિયાની માલિકીની આ ટ્રક હોવાને લઈને માર્ચ મહિનામાં જ હુકમ કર્યો હતો કે, આ પરિવારને 15 લાખ વળતર પેટે ચૂકવી દેવામાં આવે, પરંતુ ધારાસભ્ય દ્વારા રૂપિયા ન ચૂકવવાતા આખરે સુરત કોઠે 24.75 લાખની મિલકત જપ્તીનો આદેશ કર્યો છે. ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ આ કેસ અંગે જણાવ્યું હતું કે અકસ્માત થયોએ પહેલાં ટ્રક વેચાઈ ગઈ હતી. ટ્રક લેનાર વ્યક્તિએ પોતાના નામ પર ટ્રક ન કરાવતા ઝાલાવડીયાના પત્નીના નામ પર ટ્રક બોલતી હતી. તેથી હવે તે ઉપલી કોર્ટમાં અપીલમાં જશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.