સુરતના રત્ન કલાકારો રણશિંગું ફૂકવા તૈયાર છે.. આગામી ૩૦મી માર્ચે હળતાળ પર ઉતરશે સુરતના રત્ન કલાકારો.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 14:47:48

 

 

 

આજના સમયે સામાન્ય થી લઈને રોજબરોજની મજૂરી કરતાં કારીગરો માટે રોજિંદા જીવનની હાડમારીઓ વધી રહી છે.મંદી અને મોંઘવારી બંનેનો ભાર વેઠતા સુરતના રત્ન કલાકારો હવે ફરીથી હડતાળના માર્ગે છે.આગામી ૩૦મી માર્ચના રોજ સૌ રત્ન કલાકારો મેદાને પડશે.કલાકારો પોતાની પડતર માંગણીઓ પૂરી ના થતાં, આર્થિક તંગીનો ભોગ બનીને અંતે જીવ ટૂંકાવે છે.  

 

ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશન અને કલાકારોના યુનિયન દ્વારા વારંવાર સરકારને કલાકારોના પ્રશ્નો અંગે માહિતગાર કર્યા છે.એમના પ્રશ્નોના હલ કરવાના વાયદા સરકાર વારંવાર આપે છે.સરકારે આપેલા વચન પૂરા ના કરતાં હવે, કલાકારો વાયદા પર વાયદા કરતી ભાજપ સરકારની સામે હવે ફરીથી રત્ન કલાકારો રણશિંગું ફૂકવા તૈયાર છે.આગામી ૩૦મી માર્ચે રત્ન કલાકારો હળતાળ પર ઉતરશે.

દસેક દિવસ પહેલાં યુનિયને હડતાળનું એલાન કર્યું તેના બીજા દિવસે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મીટિંગ મળી હતીજેમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે દિવસમાં સરકાર એક્શન પ્લાન બનાવશે.  વાતને આજે 10થી વધારે દિવસ થઈ ગયા હોવા છતાં સરકાર દ્વારા હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથીજેને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ફરી આગામી 30 માર્ચના રોજ હડતાળ પાડવા માટેનું એલાન કરવામાં આવ્યું છે.

 ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશનની સુરતના રત્ન કલાકારો આ હળતાળને લઈને રત્ન કલાકાર મનીષ ડાંગરિયાએ સૌ કારીગરોને કોવિદરમિયાનની પરિસ્થિતિ અંગે સજાગ કરતાં જણાવ્યું કે જો આપણે સૌ કોવિડ સમયે કામથી અડગા રહી શક્યા તો, હવેતો પોતાના પ્રશ્નો માટે ઉભા રહેવા માટે પાછી પાની ના કરવી જોઈએ.

     સુરત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, મુખ્યમંત્રી જ્યારે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન ડેલીગેશને મળ્યા ત્યારે વચન આપવામાં આવ્યું હતું કે બે દિવસમાં અમે એક્શન પ્લાન બનાવીશુંપરંતુ હજી સુધી સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથીજેને લઈને એસોસિએશન દ્વારા આગામી 30 માર્ચના રોજ હડતાળ પાડવાનું એલાન કર્યું છે. સરકાર દ્વારા 30 માર્ચ સુધીમાં જો કોઈ યોગ્ય પગલાં નહીં લેવામાં આવે છે તો ચોક્કસપણે હડતાળ પાડવામાં આવશે.

છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.સુરતમાં રત્ન કલાકારો 30મીએ હડતાળ પાડશેસરકારે દિવસમાં પ્લાન બનાવવાનું કહ્યા બાદ 10 દિવસે પણ નિરાકરણ નહીં આવતાં હવે તેઓ હડતાળ પર ઉતરશે.  

 

 



અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.