સુરતના રત્ન કલાકારો રણશિંગું ફૂકવા તૈયાર છે.. આગામી ૩૦મી માર્ચે હળતાળ પર ઉતરશે સુરતના રત્ન કલાકારો.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 14:47:48

 

 

 

આજના સમયે સામાન્ય થી લઈને રોજબરોજની મજૂરી કરતાં કારીગરો માટે રોજિંદા જીવનની હાડમારીઓ વધી રહી છે.મંદી અને મોંઘવારી બંનેનો ભાર વેઠતા સુરતના રત્ન કલાકારો હવે ફરીથી હડતાળના માર્ગે છે.આગામી ૩૦મી માર્ચના રોજ સૌ રત્ન કલાકારો મેદાને પડશે.કલાકારો પોતાની પડતર માંગણીઓ પૂરી ના થતાં, આર્થિક તંગીનો ભોગ બનીને અંતે જીવ ટૂંકાવે છે.  

 

ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશન અને કલાકારોના યુનિયન દ્વારા વારંવાર સરકારને કલાકારોના પ્રશ્નો અંગે માહિતગાર કર્યા છે.એમના પ્રશ્નોના હલ કરવાના વાયદા સરકાર વારંવાર આપે છે.સરકારે આપેલા વચન પૂરા ના કરતાં હવે, કલાકારો વાયદા પર વાયદા કરતી ભાજપ સરકારની સામે હવે ફરીથી રત્ન કલાકારો રણશિંગું ફૂકવા તૈયાર છે.આગામી ૩૦મી માર્ચે રત્ન કલાકારો હળતાળ પર ઉતરશે.

દસેક દિવસ પહેલાં યુનિયને હડતાળનું એલાન કર્યું તેના બીજા દિવસે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મીટિંગ મળી હતીજેમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે દિવસમાં સરકાર એક્શન પ્લાન બનાવશે.  વાતને આજે 10થી વધારે દિવસ થઈ ગયા હોવા છતાં સરકાર દ્વારા હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથીજેને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ફરી આગામી 30 માર્ચના રોજ હડતાળ પાડવા માટેનું એલાન કરવામાં આવ્યું છે.

 ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશનની સુરતના રત્ન કલાકારો આ હળતાળને લઈને રત્ન કલાકાર મનીષ ડાંગરિયાએ સૌ કારીગરોને કોવિદરમિયાનની પરિસ્થિતિ અંગે સજાગ કરતાં જણાવ્યું કે જો આપણે સૌ કોવિડ સમયે કામથી અડગા રહી શક્યા તો, હવેતો પોતાના પ્રશ્નો માટે ઉભા રહેવા માટે પાછી પાની ના કરવી જોઈએ.

     સુરત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, મુખ્યમંત્રી જ્યારે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન ડેલીગેશને મળ્યા ત્યારે વચન આપવામાં આવ્યું હતું કે બે દિવસમાં અમે એક્શન પ્લાન બનાવીશુંપરંતુ હજી સુધી સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથીજેને લઈને એસોસિએશન દ્વારા આગામી 30 માર્ચના રોજ હડતાળ પાડવાનું એલાન કર્યું છે. સરકાર દ્વારા 30 માર્ચ સુધીમાં જો કોઈ યોગ્ય પગલાં નહીં લેવામાં આવે છે તો ચોક્કસપણે હડતાળ પાડવામાં આવશે.

છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.સુરતમાં રત્ન કલાકારો 30મીએ હડતાળ પાડશેસરકારે દિવસમાં પ્લાન બનાવવાનું કહ્યા બાદ 10 દિવસે પણ નિરાકરણ નહીં આવતાં હવે તેઓ હડતાળ પર ઉતરશે.  

 

 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.