Surat : એક જ દિવસમાં થયા પાંચ યુવાનોના મોત! Heart Attackને કારણે મોત થયા હોવાનું અનુમાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-25 10:51:24

એક તરફ કોરોનાના કેસમાં ફરી એક વખત કેસ નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ હાર્ટ એટેકના કેસમાં પણ વધારો સતત થઈ રહ્યો છે. યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો સતત તોળાઈ રહ્યો છે. હાર્ટ એટેકમાં ન માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત પણ થઈ રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓના મોતના કિસ્સા આપણી સામે છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે સુરતમાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 20થી 40 વર્ષ વયની વચ્ચે લોકો અચાનક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા છે. તેમના મોત હાર્ટ એટેકને કારણે થયો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


20થી 30 વર્ષીય યુવાનોને આવી રહ્યો છે હાર્ટ એટેક 

એક સમય હતો જ્યારે કોરોના શબ્દ સાંભળવો સામાન્ય બની ગયો હતો ત્યારે હવે હાર્ટ એટેક એક એવો શબ્દ બની ગયો છે પ્રતિદિન સાંભળવા મળી રહ્યો છે. કોરોના બાદ હૃદયહુમલાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. યુવાનોને કાળ ભરખી રહ્યો છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં 20થી 30 વર્ષીય યુવાનો મોતને ભેટી રહ્યા છે હાર્ટ એટેકને કારણે.


સુરતમાં પાંચ લોકો અચાનક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા

પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સમગ્ર ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે.  હજી સુધી અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા છે. ત્યારે સુરતમાં એક જ દિવસે પાંચ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પાંડેસરા, હજીરા અને પુણા વિસ્તારમાં પાંચ વ્યક્તિઓ અચાનક જ ઢળી પડ્યાના સમાચાર મળ્યા છે. 


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સા! 

છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે જેમાં કોઈ ડાન્સ કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતા ઢળી પડે છે તો કોઈ વાત કરતા કરતા ઢળી પડે છે અને મોતને ભેટે છે. ત્યારે વધતા હાર્ટ એટેકને કારણે યુવાનોમાં ચિંતા વધી રહી છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે કોરોના વેક્સિનને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.       




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી