Surat : એક જ દિવસમાં થયા પાંચ યુવાનોના મોત! Heart Attackને કારણે મોત થયા હોવાનું અનુમાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-25 10:51:24

એક તરફ કોરોનાના કેસમાં ફરી એક વખત કેસ નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ હાર્ટ એટેકના કેસમાં પણ વધારો સતત થઈ રહ્યો છે. યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો સતત તોળાઈ રહ્યો છે. હાર્ટ એટેકમાં ન માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત પણ થઈ રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓના મોતના કિસ્સા આપણી સામે છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે સુરતમાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 20થી 40 વર્ષ વયની વચ્ચે લોકો અચાનક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા છે. તેમના મોત હાર્ટ એટેકને કારણે થયો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


20થી 30 વર્ષીય યુવાનોને આવી રહ્યો છે હાર્ટ એટેક 

એક સમય હતો જ્યારે કોરોના શબ્દ સાંભળવો સામાન્ય બની ગયો હતો ત્યારે હવે હાર્ટ એટેક એક એવો શબ્દ બની ગયો છે પ્રતિદિન સાંભળવા મળી રહ્યો છે. કોરોના બાદ હૃદયહુમલાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. યુવાનોને કાળ ભરખી રહ્યો છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં 20થી 30 વર્ષીય યુવાનો મોતને ભેટી રહ્યા છે હાર્ટ એટેકને કારણે.


સુરતમાં પાંચ લોકો અચાનક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા

પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સમગ્ર ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે.  હજી સુધી અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા છે. ત્યારે સુરતમાં એક જ દિવસે પાંચ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પાંડેસરા, હજીરા અને પુણા વિસ્તારમાં પાંચ વ્યક્તિઓ અચાનક જ ઢળી પડ્યાના સમાચાર મળ્યા છે. 


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સા! 

છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે જેમાં કોઈ ડાન્સ કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતા ઢળી પડે છે તો કોઈ વાત કરતા કરતા ઢળી પડે છે અને મોતને ભેટે છે. ત્યારે વધતા હાર્ટ એટેકને કારણે યુવાનોમાં ચિંતા વધી રહી છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે કોરોના વેક્સિનને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.       




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.