સુરતના ક્લાર્કે નોકરીના છેલ્લા દિવસે પણ મલાઈ ખાવાનું ના છોડ્યું, CCTV થયા વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-31 17:37:49

સુરતમાં ફરીવાર ભ્રષ્ટાચારનો બનાવ સામે આવ્યો છે. સુરતના જે ક્લાર્કે લાંચ લીધી તે ક્લાર્કની નોકરીનો આજે છેલ્લો દિવસ હતો. નોકરીના છેલ્લા દિવસે પણ ક્લાર્કે મલાઈ આરોગવાનું ના છોડ્યું. જો કે સીસીટીવી વીડિયો બહાર આવતા ક્લાર્કની ઉપાધી વધી ગઈ છે. 

ક્લાર્ક નોકરીના છેલ્લા દિવસે લાંચ લેતા ઝડપાયો

સુરત કોર્પોરેશનના સાઉથ ઝોનના ક્લાર્કના લાંચ લેતા સીસીટીવીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ક્લાર્કનું નામ છે ભરત પસ્તાગિયા. વીડિયોમાં ક્લાર્ક 500-500ની નોટનું બંડલ ખિસ્સામાં લઈ રહ્યા છે. જે રીતે સમાચાર ફેલાઈ રહ્યા છે તે મુજબ ક્લાર્કે ખાનગી ઓફિસમાંથી 40 હજાર રૂપિયાની લાંચ લીધી. અધુરામાં પૂરું આજનો દિવસ ક્લાર્કની નોકરીનો છેલ્લો દિવસ હતો. જે સીસીટીવીમાં ભરત પસ્તાગિયા લાંચ લેતા દેખાય છે તે સીસીટીવી 17 મેના હોય તેવું જણાઈ રહ્યું છે. સીસીટીવી મુજબ ભરત પસ્તાગિયા બપોરે 1 વગ્યા નજીક ખાનગી ઓફિસમાં પહોંચ્યા હતા. ઑફિસમાં તે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. સીસીટીવીમાં ખબર નથી પડી રહી પણ ક્લાર્ક પોતાના ઉપરી અધિકારીનું નામ લઈ રહ્યો હોય તેવી વાતો ફેલાઈ રહી છે. જો કે સીસીટીવીમાંથી ઓડિયો કાઢી લેવામાં આવ્યો છે માટે સરખાયે સંભળાઈ નથી રહ્યું. હાલ તપાસ ચાલી રહી છે કે ક્લાર્ક કોઈ વ્યક્તિ પાસેથી શા માટે રૂપિયા લઈ રહ્યો છે. ભરત પસ્તાગિયાના સીસીટીવી વીડિયો જાહેર થતાં તેને શોકોઝ નોટીસ પણ પાઠવી દેવામાં આવી છે. નોટિસનો તેને ખુલાસો આપવો પડશે કે તે ખાનગી ઓફિસમાં શા માટે દેખાયા અને રૂપિયાની લેવડદેવડ શા માટે કરવામાં આવી હતી. 

સુરતની મહાનગરપાલિકાની વાત કરીએ તો અવાર નવાર શહેરમાં રહેતા વેપારીઓ અને મિલકત ધારકો પણ સરકારી કાર્યાલયોમાં થતા ભ્રષ્ટાચારના કારણે હેરાન છે. ક્લાર્કની નોકરીના છેલ્લા દિવસે આ વીડિયો બહાર આવતા ક્લાર્કના ઉપાધીના દિવસો શરૂ થઈ ગયા છે. હવે તપાસ કરવામાં આવસે ત્યાર બાદ શું સામે આવશે એ જોવાનું રહેશે. આ ક્લાર્ક સામે પગલા લેવામાં આવશે કે હાથ ઉંચા કરી લેવાશે જોઈશું. 






રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.