સુરતના ક્લાર્કે નોકરીના છેલ્લા દિવસે પણ મલાઈ ખાવાનું ના છોડ્યું, CCTV થયા વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-31 17:37:49

સુરતમાં ફરીવાર ભ્રષ્ટાચારનો બનાવ સામે આવ્યો છે. સુરતના જે ક્લાર્કે લાંચ લીધી તે ક્લાર્કની નોકરીનો આજે છેલ્લો દિવસ હતો. નોકરીના છેલ્લા દિવસે પણ ક્લાર્કે મલાઈ આરોગવાનું ના છોડ્યું. જો કે સીસીટીવી વીડિયો બહાર આવતા ક્લાર્કની ઉપાધી વધી ગઈ છે. 

ક્લાર્ક નોકરીના છેલ્લા દિવસે લાંચ લેતા ઝડપાયો

સુરત કોર્પોરેશનના સાઉથ ઝોનના ક્લાર્કના લાંચ લેતા સીસીટીવીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ક્લાર્કનું નામ છે ભરત પસ્તાગિયા. વીડિયોમાં ક્લાર્ક 500-500ની નોટનું બંડલ ખિસ્સામાં લઈ રહ્યા છે. જે રીતે સમાચાર ફેલાઈ રહ્યા છે તે મુજબ ક્લાર્કે ખાનગી ઓફિસમાંથી 40 હજાર રૂપિયાની લાંચ લીધી. અધુરામાં પૂરું આજનો દિવસ ક્લાર્કની નોકરીનો છેલ્લો દિવસ હતો. જે સીસીટીવીમાં ભરત પસ્તાગિયા લાંચ લેતા દેખાય છે તે સીસીટીવી 17 મેના હોય તેવું જણાઈ રહ્યું છે. સીસીટીવી મુજબ ભરત પસ્તાગિયા બપોરે 1 વગ્યા નજીક ખાનગી ઓફિસમાં પહોંચ્યા હતા. ઑફિસમાં તે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. સીસીટીવીમાં ખબર નથી પડી રહી પણ ક્લાર્ક પોતાના ઉપરી અધિકારીનું નામ લઈ રહ્યો હોય તેવી વાતો ફેલાઈ રહી છે. જો કે સીસીટીવીમાંથી ઓડિયો કાઢી લેવામાં આવ્યો છે માટે સરખાયે સંભળાઈ નથી રહ્યું. હાલ તપાસ ચાલી રહી છે કે ક્લાર્ક કોઈ વ્યક્તિ પાસેથી શા માટે રૂપિયા લઈ રહ્યો છે. ભરત પસ્તાગિયાના સીસીટીવી વીડિયો જાહેર થતાં તેને શોકોઝ નોટીસ પણ પાઠવી દેવામાં આવી છે. નોટિસનો તેને ખુલાસો આપવો પડશે કે તે ખાનગી ઓફિસમાં શા માટે દેખાયા અને રૂપિયાની લેવડદેવડ શા માટે કરવામાં આવી હતી. 

સુરતની મહાનગરપાલિકાની વાત કરીએ તો અવાર નવાર શહેરમાં રહેતા વેપારીઓ અને મિલકત ધારકો પણ સરકારી કાર્યાલયોમાં થતા ભ્રષ્ટાચારના કારણે હેરાન છે. ક્લાર્કની નોકરીના છેલ્લા દિવસે આ વીડિયો બહાર આવતા ક્લાર્કના ઉપાધીના દિવસો શરૂ થઈ ગયા છે. હવે તપાસ કરવામાં આવસે ત્યાર બાદ શું સામે આવશે એ જોવાનું રહેશે. આ ક્લાર્ક સામે પગલા લેવામાં આવશે કે હાથ ઉંચા કરી લેવાશે જોઈશું. 






ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.