સુરતના ક્લાર્કે નોકરીના છેલ્લા દિવસે પણ મલાઈ ખાવાનું ના છોડ્યું, CCTV થયા વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-31 17:37:49

સુરતમાં ફરીવાર ભ્રષ્ટાચારનો બનાવ સામે આવ્યો છે. સુરતના જે ક્લાર્કે લાંચ લીધી તે ક્લાર્કની નોકરીનો આજે છેલ્લો દિવસ હતો. નોકરીના છેલ્લા દિવસે પણ ક્લાર્કે મલાઈ આરોગવાનું ના છોડ્યું. જો કે સીસીટીવી વીડિયો બહાર આવતા ક્લાર્કની ઉપાધી વધી ગઈ છે. 

ક્લાર્ક નોકરીના છેલ્લા દિવસે લાંચ લેતા ઝડપાયો

સુરત કોર્પોરેશનના સાઉથ ઝોનના ક્લાર્કના લાંચ લેતા સીસીટીવીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ક્લાર્કનું નામ છે ભરત પસ્તાગિયા. વીડિયોમાં ક્લાર્ક 500-500ની નોટનું બંડલ ખિસ્સામાં લઈ રહ્યા છે. જે રીતે સમાચાર ફેલાઈ રહ્યા છે તે મુજબ ક્લાર્કે ખાનગી ઓફિસમાંથી 40 હજાર રૂપિયાની લાંચ લીધી. અધુરામાં પૂરું આજનો દિવસ ક્લાર્કની નોકરીનો છેલ્લો દિવસ હતો. જે સીસીટીવીમાં ભરત પસ્તાગિયા લાંચ લેતા દેખાય છે તે સીસીટીવી 17 મેના હોય તેવું જણાઈ રહ્યું છે. સીસીટીવી મુજબ ભરત પસ્તાગિયા બપોરે 1 વગ્યા નજીક ખાનગી ઓફિસમાં પહોંચ્યા હતા. ઑફિસમાં તે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. સીસીટીવીમાં ખબર નથી પડી રહી પણ ક્લાર્ક પોતાના ઉપરી અધિકારીનું નામ લઈ રહ્યો હોય તેવી વાતો ફેલાઈ રહી છે. જો કે સીસીટીવીમાંથી ઓડિયો કાઢી લેવામાં આવ્યો છે માટે સરખાયે સંભળાઈ નથી રહ્યું. હાલ તપાસ ચાલી રહી છે કે ક્લાર્ક કોઈ વ્યક્તિ પાસેથી શા માટે રૂપિયા લઈ રહ્યો છે. ભરત પસ્તાગિયાના સીસીટીવી વીડિયો જાહેર થતાં તેને શોકોઝ નોટીસ પણ પાઠવી દેવામાં આવી છે. નોટિસનો તેને ખુલાસો આપવો પડશે કે તે ખાનગી ઓફિસમાં શા માટે દેખાયા અને રૂપિયાની લેવડદેવડ શા માટે કરવામાં આવી હતી. 

સુરતની મહાનગરપાલિકાની વાત કરીએ તો અવાર નવાર શહેરમાં રહેતા વેપારીઓ અને મિલકત ધારકો પણ સરકારી કાર્યાલયોમાં થતા ભ્રષ્ટાચારના કારણે હેરાન છે. ક્લાર્કની નોકરીના છેલ્લા દિવસે આ વીડિયો બહાર આવતા ક્લાર્કના ઉપાધીના દિવસો શરૂ થઈ ગયા છે. હવે તપાસ કરવામાં આવસે ત્યાર બાદ શું સામે આવશે એ જોવાનું રહેશે. આ ક્લાર્ક સામે પગલા લેવામાં આવશે કે હાથ ઉંચા કરી લેવાશે જોઈશું. 






પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.