સુરતના ક્લાર્કે નોકરીના છેલ્લા દિવસે પણ મલાઈ ખાવાનું ના છોડ્યું, CCTV થયા વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-31 17:37:49

સુરતમાં ફરીવાર ભ્રષ્ટાચારનો બનાવ સામે આવ્યો છે. સુરતના જે ક્લાર્કે લાંચ લીધી તે ક્લાર્કની નોકરીનો આજે છેલ્લો દિવસ હતો. નોકરીના છેલ્લા દિવસે પણ ક્લાર્કે મલાઈ આરોગવાનું ના છોડ્યું. જો કે સીસીટીવી વીડિયો બહાર આવતા ક્લાર્કની ઉપાધી વધી ગઈ છે. 

ક્લાર્ક નોકરીના છેલ્લા દિવસે લાંચ લેતા ઝડપાયો

સુરત કોર્પોરેશનના સાઉથ ઝોનના ક્લાર્કના લાંચ લેતા સીસીટીવીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ક્લાર્કનું નામ છે ભરત પસ્તાગિયા. વીડિયોમાં ક્લાર્ક 500-500ની નોટનું બંડલ ખિસ્સામાં લઈ રહ્યા છે. જે રીતે સમાચાર ફેલાઈ રહ્યા છે તે મુજબ ક્લાર્કે ખાનગી ઓફિસમાંથી 40 હજાર રૂપિયાની લાંચ લીધી. અધુરામાં પૂરું આજનો દિવસ ક્લાર્કની નોકરીનો છેલ્લો દિવસ હતો. જે સીસીટીવીમાં ભરત પસ્તાગિયા લાંચ લેતા દેખાય છે તે સીસીટીવી 17 મેના હોય તેવું જણાઈ રહ્યું છે. સીસીટીવી મુજબ ભરત પસ્તાગિયા બપોરે 1 વગ્યા નજીક ખાનગી ઓફિસમાં પહોંચ્યા હતા. ઑફિસમાં તે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. સીસીટીવીમાં ખબર નથી પડી રહી પણ ક્લાર્ક પોતાના ઉપરી અધિકારીનું નામ લઈ રહ્યો હોય તેવી વાતો ફેલાઈ રહી છે. જો કે સીસીટીવીમાંથી ઓડિયો કાઢી લેવામાં આવ્યો છે માટે સરખાયે સંભળાઈ નથી રહ્યું. હાલ તપાસ ચાલી રહી છે કે ક્લાર્ક કોઈ વ્યક્તિ પાસેથી શા માટે રૂપિયા લઈ રહ્યો છે. ભરત પસ્તાગિયાના સીસીટીવી વીડિયો જાહેર થતાં તેને શોકોઝ નોટીસ પણ પાઠવી દેવામાં આવી છે. નોટિસનો તેને ખુલાસો આપવો પડશે કે તે ખાનગી ઓફિસમાં શા માટે દેખાયા અને રૂપિયાની લેવડદેવડ શા માટે કરવામાં આવી હતી. 

સુરતની મહાનગરપાલિકાની વાત કરીએ તો અવાર નવાર શહેરમાં રહેતા વેપારીઓ અને મિલકત ધારકો પણ સરકારી કાર્યાલયોમાં થતા ભ્રષ્ટાચારના કારણે હેરાન છે. ક્લાર્કની નોકરીના છેલ્લા દિવસે આ વીડિયો બહાર આવતા ક્લાર્કના ઉપાધીના દિવસો શરૂ થઈ ગયા છે. હવે તપાસ કરવામાં આવસે ત્યાર બાદ શું સામે આવશે એ જોવાનું રહેશે. આ ક્લાર્ક સામે પગલા લેવામાં આવશે કે હાથ ઉંચા કરી લેવાશે જોઈશું. 






ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.