Surat - ડ્રગ્સ મામલે Harsh Sanghavi આકરા પાણીએ, ગુરૂપૂર્ણિમા નિમિત્તે આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-07-22 18:02:31

ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એટલે જ સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી રાખી હતી જેમાં તેમણે પોતાનાં ભાષણ દરમિયાન ડ્રગ્સ મુદ્દે મોટું નિવેદન આપ્યું સાથે જ તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી અને અંતે કહી દીધું કે સુરતમાં કોઈ ભાઈ નહીં! 

ડ્રગ્સ મામલે હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન  

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાઈ રહ્યો છે. ડ્રગ્સનું દુષણ દૂર કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મોટી માત્રામાં એટીએસ દ્વારા ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે. ડ્રગ્સ મામલે સરકાર તેમજ હર્ષ સંઘવી પણ જાણે કોઈ કસર છોડવા માગતા નથી તેવું લાગે છે. ડ્રગ્સ મામલે તેમણે અનેક વખત નિવેદન આપ્યું છે ત્યારે ગઈકાલે ફરી એક વખત ડ્રગ્સ મામલે નિવેદન આપ્યું છે.  



શું કહ્યું હર્ષ સંઘવીએ? 

નિવેદન આપતા તેમણે ડ્રગસના મુદ્દે વાત કરી કે કઈ રીતે સરકાર ડ્રગ્સનું દૂષણ દૂર કરે છે અને પછી કહ્યું રાજકિય પાર્ટી જણાવી રહી છે કે ડ્રગ્સ મળી આવી રહ્યું છે, મહેરબાની કરી ડ્રગ્સ બાબતે રાજનીતિ ન કરો. રાજકિય પાર્ટી નિવેદન આપી ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ બંધ કરવા માંગે છે. ગુજરાતના દરિયાકાંઠેથી છેલ્લા થોડા દિવસોથી સમયાંતરે ડ્રગ્સ મળી રહ્યું છે. પોલીસના સઘન પેટ્રોલિંગ અને ચાંપતી નજરના કારણે ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. 


કોંગ્રેસ પર નામ લીધા વગર કર્યા પ્રહાર!

એક રાજકીય પાર્ટી ડ્રગ્સ બાબતે રાજનીતિ કરી રહી છે. ડ્રગ્સએ રાજનીતિનો વિષય નથી. ડ્રગ્સ પોલીસ પકડી રહી છે. રાજકિય પાર્ટી જણાવી રહી છે કે ડ્રગ્સ મળી આવી રહ્યું છે, મહેરબાની કરી ડ્રગ્સ બાબતે રાજનીતિ ન કરો. તે સિવાય તેમણે વ્યાજખોરોના આતંકને લઈ પણ નિવેદન આપ્યું હતું.. 



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .