Surat - ડ્રગ્સ મામલે Harsh Sanghavi આકરા પાણીએ, ગુરૂપૂર્ણિમા નિમિત્તે આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-07-22 18:02:31

ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એટલે જ સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી રાખી હતી જેમાં તેમણે પોતાનાં ભાષણ દરમિયાન ડ્રગ્સ મુદ્દે મોટું નિવેદન આપ્યું સાથે જ તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી અને અંતે કહી દીધું કે સુરતમાં કોઈ ભાઈ નહીં! 

ડ્રગ્સ મામલે હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન  

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાઈ રહ્યો છે. ડ્રગ્સનું દુષણ દૂર કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મોટી માત્રામાં એટીએસ દ્વારા ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે. ડ્રગ્સ મામલે સરકાર તેમજ હર્ષ સંઘવી પણ જાણે કોઈ કસર છોડવા માગતા નથી તેવું લાગે છે. ડ્રગ્સ મામલે તેમણે અનેક વખત નિવેદન આપ્યું છે ત્યારે ગઈકાલે ફરી એક વખત ડ્રગ્સ મામલે નિવેદન આપ્યું છે.  



શું કહ્યું હર્ષ સંઘવીએ? 

નિવેદન આપતા તેમણે ડ્રગસના મુદ્દે વાત કરી કે કઈ રીતે સરકાર ડ્રગ્સનું દૂષણ દૂર કરે છે અને પછી કહ્યું રાજકિય પાર્ટી જણાવી રહી છે કે ડ્રગ્સ મળી આવી રહ્યું છે, મહેરબાની કરી ડ્રગ્સ બાબતે રાજનીતિ ન કરો. રાજકિય પાર્ટી નિવેદન આપી ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ બંધ કરવા માંગે છે. ગુજરાતના દરિયાકાંઠેથી છેલ્લા થોડા દિવસોથી સમયાંતરે ડ્રગ્સ મળી રહ્યું છે. પોલીસના સઘન પેટ્રોલિંગ અને ચાંપતી નજરના કારણે ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. 


કોંગ્રેસ પર નામ લીધા વગર કર્યા પ્રહાર!

એક રાજકીય પાર્ટી ડ્રગ્સ બાબતે રાજનીતિ કરી રહી છે. ડ્રગ્સએ રાજનીતિનો વિષય નથી. ડ્રગ્સ પોલીસ પકડી રહી છે. રાજકિય પાર્ટી જણાવી રહી છે કે ડ્રગ્સ મળી આવી રહ્યું છે, મહેરબાની કરી ડ્રગ્સ બાબતે રાજનીતિ ન કરો. તે સિવાય તેમણે વ્યાજખોરોના આતંકને લઈ પણ નિવેદન આપ્યું હતું.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.